ખેડૂતો માટે કામની વાત, ખેતરોને આગથી બચાવવા આ ઉપાય કરો, નહીં થાય પાકનો બગાડ
ઉનાળાની ઋતુમાં આગ લાગવાને કારણે ખેતરના ખેતરો અને જંગલના જંગલો બળીને રાખ થઈ જાય છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ખાસ કરીને જ્યારે તાપમાન વધે છે ત્યારે ઘઉં અને કઠોળના પાકમાં આગ લાગવાના બનાવો વધુ બને છે.
જેમ જેમ ઉનાળાની ઋતુ નજીક આવે છે તેમ આગના બનાવોમાં વધારો થાય છે. ઉનાળાની ઋતુમાં આગ લાગવાને કારણે ખેતરના ખેતરો અને જંગલના જંગલો બળીને રાખ થઈ જાય છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ખાસ કરીને જ્યારે તાપમાન વધે છે ત્યારે ઘઉં અને કઠોળના પાકમાં આગ લાગવાના બનાવો વધુ બને છે. પરંતુ જો ખેડૂત ભાઈઓ થોડી સાવચેતી રાખે તો પાકને આગથી બચાવી શકાય છે.
એક અંદાજ મુજબ, દર વર્ષે બિહારમાં સેંકડો એકર જમીનમાં ઉગાડવામાં આવતો ઘઉંનો પાક બળીને રાખ થઈ જાય છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. ઘણી વખત પાક લણ્યા પછી નાળમાં પણ આગ લાગી જાય છે, જેના કારણે આગ અન્ય ખેતરોમાં પણ પહોંચે છે. પછી થોડી જ વારમાં, તે આસપાસના ખેતરોમાં ઉગાડવામાં આવેલ પાકને તેના જપેટમાં લઈ લે છે. પરંતુ હવે બિહાર સરકાર આ પ્રકારની આગની ઘટનાને લઈને સાવધ બની ગઈ છે.
એક તણખો પણ પાકને આગ લગાડી શકે
આગથી બચવા માટે બિહાર કૃષિ વિભાગે ટ્વિટ કરીને ખેડૂતોને કેટલીક ખાસ અપીલ કરી છે. ખેડૂતોને સલાહ આપતાં તેમણે કહ્યું છે કે ખેડૂત ભાઈઓએ ખેતરો અને કોઠાર પાસે સૂકા ઘાસ અને ભૂસાના ઢગલા ન રાખવા જોઈએ. જો કોઈ પ્રકારનું નીંદણ હોય તો તેને તરત જ સાફ કરો. અન્યથા તેના કારણે આગની ઘટનાઓ વધી શકે છે. આ સાથે કૃષિ વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ પોતાના ખેતર અને કોઠારની નજીક ભૂલથી પણ આગ ન લગાડવી. અન્યથા એક તણખલાથી પણ પાકને આગ લાગી શકે છે.
किसान भाइयों एवं बहनों के लिए आवश्यक सूचना : गर्म हवाएँ / लू चलने से फसलों में अगलगी की घटना से बचाव। @saravanakr_n @KumarSarvjeet6 @HorticultureBih @dralokghosh #BiharAgricultureDept pic.twitter.com/rv4St4dHne
— Agriculture Department, Govt. of Bihar (@Agribih) April 21, 2023
આ પણ વાંચો : જુવારની દાંડીના રસમાંથી બનશે ખાંડ, મધ કરતા પણ ઓછી કેલરી, 6 સ્ટાર્ટઅપ થઈ શકે છે શરૂ
આગ લાગ્યા બાદ તરત જ વિદ્યુત વિભાગ અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરો
કૃષિ વિભાગના જણાવ્યા મુજબ, જો કોઠાર અથવા ખેતરની ઉપરથી હાઇવોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયર પસાર થતો હોય, તો તેની નીચે કે તેની આસપાસ લણાયેલ પાકને રાખશો નહીં. અન્યથા તમારા પાકને ગમે ત્યારે આગ લાગી શકે છે. તે જ સમયે, શોર્ટ સર્કિટના કારણે આગ વિશે તાત્કાલિક વિદ્યુત વિભાગ અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરો, જેથી આગ પર કાબૂ મેળવી શકાય.
કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
APMC ભાવ સમાચાર, એગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝ, સક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…