AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિ પાકમાં રોગનો પ્રકોપ વધતા ખેડૂતો ચિંતિત, ઉપદ્રવ અટકાવવા કૃષિ નિષ્ણાંતોની ખેડૂતોને આ સલાહ

ઘણા સમયથી ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે ધાણા, ચણા, જીરું સહિતના પાકમાં ભયંકર રોગચાળો આવી ગયો છે, જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

રવિ પાકમાં રોગનો પ્રકોપ વધતા ખેડૂતો ચિંતિત, ઉપદ્રવ અટકાવવા કૃષિ નિષ્ણાંતોની ખેડૂતોને આ સલાહ
Winter Crop (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 2:29 PM
Share

Rajkot: જિલ્લાના ધોરાજી (Dhoraji)માં છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે રવી પાકમાં વિવિધ પ્રકારના રોગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ત્યારે ધરતીના તાતની મુંઝવણમાં વધારો થયો છે અને ઉત્પાદનમાં પચાસ ટકાનો ઘટાડો આવે એવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ધોરાજી પંથકમાં વાતાવરણના પલટાથી ખેડૂતો (Farmers)ને પાક પર માઠી અસર થવાની ચિંતા સતાવી રહી છે.

ઘણા સમયથી ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે ધાણા, ચણા, જીરું સહિતના પાકમાં ભયંકર રોગચાળો આવી ગયો છે, જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ધુમ્મસ અને ભેજવાળા વાતાવરણને કારણે ઉભા પાકમાં ગરો, મોલો મચ્છી, અને ચરમી જેવા વિવિધ રોગ આવી ગયા છે. જેને કારણે પાક વૃદ્ધિ કરતો અટકી ગયો છે અને ઉત્પાદન પર 50 ટકા અસર પડે તેવી ખેડૂતોને ભીતી છે.

ધોરાજીમાં ખેડૂતો છેલ્લા બે વર્ષથી પડકારોનો સામનો કરી રહ્યા છે. જેમાં કયારેક કુદરતી આફત તો ક્યારેક માનવ સર્જિત, લોકડાઉનને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તેમજ ખેડૂતોને એમની જણસના પૂરતા ભાવ ન મળવા અને અતિવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદને કારણે ઉભો પાક બળી ગયો હતો.

આમ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે હવે રવી પાકમાં આવેલ પુષ્કળ પ્રમાણમાં રોગને કારણે પાક વૃદ્ધિ કરતો નથી. જેથી પાક પીળો પડી ગયો છે અને જમીન જન્ય રોગને કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. જોકે સરકારી સહાયથી ખેડૂતોને થોડી રાહત જરૂર મળી છે.

શું કહેવું છે કૃષિ નિષ્ણાંતોનું?

કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે વાતાવરણમાં આવતા ફેરફારથી રવી પાક (Winter Crop)માં રોગ આવ્યા છે આવા સમયે ખેડૂતોએ પિયત ટાળવું જોઈએ અને કૃષિ નિષ્ણાંતની સલાહ અનુસાર દવાનો છંટકાવ કરવો જોઈએ તો પાકને રોગથી (Crop Disease) બચાવી શકાય.

આ પણ વાંચો: Child Vaccination: 15થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિનેશન શરૂ, મહારાષ્ટ્રના 650 સેન્ટરો પર 60 લાખ બાળકોને આપવામાં આવશે વેક્સિન

આ પણ વાંચો: Viral Video: દારૂ પી ટલ્લી થઈ વાંદરાએ જબરા ખેલ કર્યા, લોકો બોલ્યા દમ મારો દમ મુમેન્ટ

આ પણ વાંચો: નવોદય વિદ્યાલયમાં 82 બાળક કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, કુલ 488 બાળકોનો કરાયો હતો કોરોના ટેસ્ટ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">