AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવોદય વિદ્યાલયમાં 82 બાળક કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, કુલ 488 બાળકોનો કરાયો હતો કોરોના ટેસ્ટ

તાજેતરમાં શાળાના આચાર્ય સહિત કેટલાક પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ 488 બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે 82 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

નવોદય વિદ્યાલયમાં 82 બાળક કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, કુલ 488 બાળકોનો કરાયો હતો કોરોના ટેસ્ટ
82 children corona positive in Navodaya Vidyalaya (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 8:33 AM
Share

દેહરાદૂનઃ ઉત્તરાખંડ (Uttarakhand)ના નૈનીતાલ જિલ્લામાંથી કોરોના (Corona) વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. નૈનીતાલ જિલ્લાની નવોદય વિદ્યાલયમાં 82 બાળકો કોરોના પોઝિટિવ 82 (Children Corona Positive) મળી આવ્યા છે. જ્યારે કેટલાક બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ શાળાના આચાર્ય સહિત કેટલાક પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ 488 બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે 82 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના ચાર નવા કેસ

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોન (Omicron)ના ચાર નવા કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ભૂતકાળમાં ઓમિક્રોનથી સંક્રમિત ચાર લોકો સાજા થયા છે. રાજ્યમાં ઓમિક્રોનનો એક કેસ 11 ડિસેમ્બરે નોંધાયો હતો, જ્યારે 27 ડિસેમ્બરે વધુ ત્રણ કેસ નોંધાયા હતા.

આ ચાર નવા કેસોમાંથી ત્રણ કેસ દેહરાદૂન (Dehradun)ના છે અને એક કેસ ગુજરાત (Gujarat)ના અમદાવાદનો છે. તેમણે કહ્યું કે સંક્રમિત વ્યક્તિઓમાંથી ત્રણની ઉંમર 23 થી 28 વર્ષની વચ્ચે છે, જ્યારે આમાં 15 વર્ષનો કિશોર પણ સામેલ છે.

ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં દેહરાદૂનનો એક 28 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે, જે ગુરુગ્રામ થઈને વિદેશથી પાછો ફર્યો હતો, એક 23 વર્ષીય વ્યક્તિ જે તાજેતરમાં ગુરુગ્રામથી પાછો ફર્યો હતો, એક 15 વર્ષનો કિશોર જે તેના સંપર્કમાં આવ્યો હતો. અમદાવાદના 27 વર્ષીય યુવકનો પણ સમાવેશ થાય છે, જે 21 ડિસેમ્બરે ઋષિકેશ આવ્યો હતો. અમદાવાદનો વ્યક્તિ પહેલેથી જ પાછો ફર્યો હોવાથી ગુજરાત સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: BAPS: વડોદરા ખાતે સ્વામિનારાયણ સંસ્થાના દીક્ષા મહોત્સવમાં ન્યુયોર્કના જૈન યુવાનોએ મહંત સ્વામી મહારાજનાં હસ્તે દીક્ષા ગ્રહણ કરી

આ પણ વાંચો: TV Buying Tips: જો તમે સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 8 વાતનું રાખો ખાસ ધ્યાન

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">