ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય

ખેતીવાડી ખાતા દ્વારા 40 PTO HPસુધીના ટ્રેક્ટર માટે તમામ ખેડૂતો માટે ખર્ચના 25% અથવા રૂ.45,000 અને 40 PTO HP થી વધુ અને 60 PTO HPસુધીના ટ્રેક્ટર માટે ખર્ચના 25% અથવા રૂ.60,000 આ બે માંથી જે ઓછી હોય તે રકમ લાભાર્થીને મળે છે.

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય
ટ્રેક્ટર ખરીદવા સરકારી સહાય
Follow Us:
| Updated on: Jan 01, 2021 | 7:02 PM

ખેતીવાડી ખાતા દ્વારા અવારનવાર ખેડૂતોને સહાયરૂપ થાય તેવી યોજનાઓ લાવવામાં આવે છે. જે ખેડૂતો પોતાનું ટ્રેકટર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે એક ખુબ જ ફાયદાકારક યોજના છે. ખેતીવાડી ખાતા એ 40 અને 60 પી.ટી.ઓ એચ.પી. નું ટ્રેકટર ખરીદવા માંગતા ખેડૂતો માટે 45 હજારથી 60 હજાર સુધીની સહાય જાહેર કરી છે. તો ખેડૂતો કઇ રીતે આ યોજનાનો લાભ લઇ શક્શે તે જાણીએ.

આ પણ વાંચો: કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કપાસની વીણીનું મશીન, સુરેન્દ્રનગરના ખેડૂતની નવિનત્તમ શોધ

ખેડૂતો પહેલા પરંપરાગત પધ્ધતિથી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો જાગૃત થયા છે અને પોતાની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ખેતી માટે ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ, જંતુનાશક દવાઓ વગેરેને ઉપયોગ વૈજ્ઞાનિકોની ભલામણ મૂજબ કરી રહ્યા છે. ખેડૂતોને પાકોના વિસ્તાર તથા ઉત્પાદન વધારવા, સંકલિત રોગ જીવાત નિયંત્રણ વ્યવસ્થા, સંકલિત ખાતર વ્યવસ્થા, યાંત્રિકરણ, પાકોમાં મુલ્યવર્ધન, પાકોની નિકાસમાં પ્રોત્સાહન વગેરે માટે ખેતીવાડી ખાતા દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આધુનિક પધ્ધતિ દ્વારા ખેતી કરવા ખેતીમાં યાંત્રીકરણનું મહત્વ ધીરે ધીરે વધતું જાય છે. ઉભા પાકમાં વિવિધ કામગીરી કરવા માટે અને જુદા-જુદા સાધનોને ટ્રેક્ટર સાથે જોડી તેનો ઉપયોગ આધુનિક ખેતી થાય છે. આ માટે ખેતીવાડી ખાતા દ્વારા ટ્રેક્ટર માટે સહાય આપવામાં આવે છે. આ ટ્રેક્ટર ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ એમ્પેનલ થયેલ કંપની પાસેથી મેળવી શકાય છે.

ઓનલાઇન અરજી આઇ-ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે

ખેતીવાડી ખાતા દ્વારા 40 PTO HPસુધીના ટ્રેક્ટર માટે તમામ ખેડૂતો માટે ખર્ચના 25% અથવા રૂ.45,000 આ બે માંથી જે ઓછી હોય તે રકમ લાભાર્થીને મળે છે. તમામ ખેડૂતો માટે 40 PTO HP થી વધુ અને 60 PTO HPસુધીના ટ્રેક્ટર માટે ખર્ચના 25% અથવા રૂ.60,000 આ બે માંથી જે ઓછી હોય તે રકમ લાભાર્થીને મળે છે. ગુજરાત સરકાર દ્વારા એમ્પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ટ્રેકટર ખરીદવાનું રહેશે.

ટ્રેક્ટરમાં સહાય મેળવવાની આ મુજબની કાર્યવાહી કરવાની રહેશે. 1. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. 2. આઇ-ખેડૂત પોર્ટલમાં જે તે ઘટકમાં અરજી કરી તેની પ્રિન્ટ મેળવી સહિ/અંગુઠો કરી સંબંધિત જીલ્લા કચેરીમાં જમા કરાવવાની રહેશે. 3. અરજી સાથે નીચે મૂજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે. * 7-12 અને 8 અ ની તાજેતરની નકલ * બેંકની પાસબુકની નકલ કે પછી કેન્સલ ચેક * ખેડૂત લાભાર્થીના ઓળખ તથા રહેઠાણ પુરાવાની નકલ * અનુસુચિત જાતિ અને જન જાતિના ખેડૂતો માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો * વાવેતર અંગેનો તલાટીશ્રીનું પ્રમાણપત્ર

ખેડૂતની મીની ટ્રેક્ટરની અરજીને સંબંધિત જીલ્લા કચેરીમાંથી પાત્રતા ધરાવતા ખેડૂતોને મીની ટ્રેક્ટર ખરીદવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં 60 દિવસમાં લાભાર્થી ખેડૂતે અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાનું રહેશે. ખેડૂતે મીની ટ્રેક્ટર ખરીદી કર્યા બાદ તેના દસ્તાવેજ સંબંધિત જીલ્લા કચેરીમાં સમયસર રજુ કરવાની રહેશે. જેમ કે ટ્રેક્ટરનું અસલ બીલ, ઇન્સ્યોરન્સ, RC બૂકની નકલ, RTO તેમજ ટેક્ષ ભર્યાની પહોંચ કે બીલ સમય મર્યાદામાં મીની ટ્રેક્ટર ખરીદી તેના જરૂરી આધાર પુરાવા રજુ કર્યાથી સંબંધિત અધિકારીશ્રી દ્વારા યોગ્ય ચકાસણી કરી સહાયની રકમ ખેડૂતના ખાતામાં જમાં કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">