ખાડો ખોદે તે પડે, ચોરી કરીને ભાગવા બનાવેલા બાકોરામાં જ ફસાયો ચોર
Theft in the temple: ચોરે મંદિરમાંથી આભૂષણો તો ચોરી લીધા હતા પરંતુ જ્યારે મંદિરની (temple) બહાર આવવાનો સમય આવ્યો ત્યારે તેણે દિવાલમાં તોડીને બાકોરુ બનાવ્યુ. જ્યારે તે મંદિરની બહાર નીકળવા લાગ્યો ત્યારે ચોર તે જ બાકોરામાં ફસાઈ ગયો.
આંધ્રપ્રદેશમાંથી (Andhra Pradesh) એક અજીબોગરીબ ચોરીના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચોરે ચોરી કરીને બહાર નીકળવાનો રસ્તો તો બનાવ્યો પણ તે તેમા જ ફસાઈ ગયો. હા, અમે વાત કરી રહ્યા છીએ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના જામી યેલમ્મા મંદિરની (Jami Yellamma Temple in Srikakulam). આ મંદિરમાં ચોરે ચોરીનો પ્રયાસ કર્યો હતો. એટલો બધો કે તે મંદિરમાં (Temple) ઘૂસી ગયો અને ત્યાંથી ઘરેણાંની ચોરી પણ કરી, પરંતુ જ્યારે તે ચોરી કરીને મંદિરમાંથી બહાર નીકળવા માટે તેણે દિવાલ તોડીને એક બાકોરુ પાડ્યુ અને જ્યારે તે મંદિરની બહાર આવવા લાગ્યો ત્યારે તેણે પોતે બનાવેલા બાકોરાની અંદર ફસાઈ ગયો. જણાવી દઈએ કે મંદિરમાંથી 9 ગ્રામ ચાંદીની ચોરી કરવા બદલ ચોર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તે મંદિરની દિવાલના બાકોરામાં ફસાઈ જતા રંગે હાથે ઝડપાયો હતો. એસઆઈ ચિરંજીવીએ આ માહિતી આપી હતી.
#ViralVideo : Thief who drilled hole in temple wall to steal ornaments ends up getting stuck in it in #AndhraPradesh #TV9News pic.twitter.com/bEzQbMZ01U
— Tv9 Gujarati (@tv9gujarati) April 7, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ચોરનું નામ પાપા રાવ જણાવવામાં આવી રહ્યું છે. પાપા રાવને દારૂ પીવાની લત છે. ચોરે ભગવાનની મૂર્તિઓ પર ચઢાવેલા ઘરેણાંની ચોરી કરી હતી. તેના કહેવા પ્રમાણે, તેણે પુરો પ્રયાસ કર્યો કે તેઓ મંદિરની દિવાલ તોડીને બાકોરુ બનાવીને બહાર નીકળવા જાય છે પરંતુ તેમા તે સફળ ના થઈ શક્યો. ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે તે બાકોરામાંથી બહાર ન આવી શક્યો તો તેણે લોકોને બોલાવવાનું શરૂ કર્યું. આ પછી ગામલોકો ત્યાં એકઠા થઈ ગયા. પછી ચોરને તે બાકોરામાંથી બહાર કાઢીને પોલીસને હવાલે કરવામાં આવ્યો.
Andhra Pradesh | A thief got stuck in a wall hole after stealing silver from Jami Yellamma Temple in Srikakulam
Robbery case registered against him for stealing 9 gms silver from the temple. He was caught red-handed after he failed to escape from the hole…: SI Chiranjeevi pic.twitter.com/MD46GHZdTX
— ANI (@ANI) April 6, 2022
ખરાબ કાર્યોનું પરિણામ ખરાબ આવે
માનો કે ના માનો, પણ ખરાબ કર્મોનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે એ વાત ચોક્કસ છે. જો કોઈને આ ફળ તરત જ મળે છે તો કોઈને સમય પ્રમાણે ચોક્કસ મળે છે. મંદિરમાં થયેલી આ ચોરીની ઘટનાએ આ વાત સાબિત કરી. કારણ ગમે તે હોય, ખરાબ કર્મોની સજા અવશ્ય મળે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચોઃ
રાજસ્થાનઃ હિસ્ટ્રીશીટર દેવા ગુર્જરની હત્યા બાદ હિંસાના કેસમાં 500 લોકો સામે કેસ નોંધાયો, હજુ સુધી એક પણ ધરપકડ નહીં
આ પણ વાંચોઃ