AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્યન ખાનના ડ્રગ્સ કેસને લઈને ઈમોશનલ થયો શાહરૂખ ખાન, કહી આ વાત

આર્યન ખાનના ડ્રગ્સ કેસની (Aryan Khan Drug case) તપાસ દરમિયાન NCB ઓફિસર શાહરૂખ ખાનને પણ મળ્યો હતો. સંજય સિંહે ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાને તેના વિશે પુત્ર વિશે શું વાત કરી હતી.

આર્યન ખાનના ડ્રગ્સ કેસને લઈને ઈમોશનલ થયો શાહરૂખ ખાન, કહી આ વાત
Shahrukh Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 4:38 PM
Share

પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drug case) ધરપકડ બાદ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેનો પરિવાર આ બાબતે ચુપ રહ્યો હતો. આર્યનની ઓક્ટોબર 2021માં NCB અધિકારીઓએ મુંબઈથી ગોવા જતા ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે તેને કેટલાક દિવસો જેલમાં પણ રહેવું પડ્યું હતું. 28 ઓક્ટોબરે તેને જામીન મળ્યા હતા. હાલમાં જ 24 વર્ષના આર્યન ખાનને આ બાબતે ક્લીનચીટ મળી છે. એનસીબીએ થોડા સમય પહેલા આ કેસ સાથે સંબંધિત ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ નથી એટલે કે આર્યનને ક્લીનચીટ મળી ગઈ છે.

શાહરૂખ ખાન સાથે થઈ હતી મુલાકાત

આર્યન ખાને કસ્ટડીમાં જેટલા દિવસો પસાર કર્યા તે તેના માટે મુશ્કેલ હતા. આ દરમિયાન તેના પિતા શાહરૂખ ખાન પણ તેને મળવા ગયા હતા. આર્યનને એનસીબીએ ડ્રગ પેડલર પણ કહ્યો હતો. પરંતુ તેની પાસેથી કોઈ પણ નશીલા પદાર્થ મળી આવ્યા ન હતા. શાહરૂખ અને તેનો પરિવાર આ બાબતે હજુ પણ ચુપ છે. પરંતુ હવે NCBના ડેપ્યુટી ડાયરેક્ટર સંજય સિંહે આ વિશે વાત કરી છે. તેણે ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાન સાથે તેની સાથે શું વાત થઈ છે.

સંજય સિંહે આર્યનના ડ્રગ્સ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરી હતી. આ તપાસ દરમિયાન તે આર્યન ખાનની સાથે સાથે તેના પિતા શાહરૂખ ખાન સાથે પણ જોડાયેલો હતો. હવે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીત દરમિયાન સંજય સિંહે જણાવ્યું છે કે શાહરૂખે આર્યનને મળ્યા બાદ શું વાત કરી હતી. આ સાથે જ તેણે જણાવ્યું કે વાત કરતી વખતે શાહરૂખની આંખોમાં આંસુ આવી ગયા હતા.

શાહરૂખે કહ્યું- અમને મોનસ્ટર બતાવવામાં આવી રહ્યા છે

સંજય સિંહે ખુલાસો કર્યો કે તપાસ દરમિયાન તેને ખબર પડી કે આર્યનના પિતા શાહરૂખ ખાન તેને મળવા માંગે છે. જ્યારે તે અન્ય આરોપીઓના માતા-પિતાને મળી રહ્યા હતા ત્યારે તેણે પણ શાહરૂખને મળવા માટે હા પાડી હતી. જ્યારે શાહરૂખ અને સંજય મળ્યા ત્યારે અભિનેતાએ પુત્ર આર્યન ખાનના મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ વિશે ચિંતા વ્યક્ત કરી. તેણે કહ્યું હતું કે આર્યન બરાબર સૂઈ શકતો નથી. આવી સ્થિતિમાં શાહરૂખ તેના બેડરૂમમાં ગયો અને આખી રાત તેનું ધ્યાન રાખ્યું.

સંજય સિંહના કહેવા મુજબ, શાહરૂખ ખાને કહ્યું હતું કે, કોઈ યોગ્ય પુરાવા મળ્યા વિના તેના પુત્રને બદનામ કરવામાં આવી રહ્યો છે. ભીની આંખો સાથે શાહરૂખે સંજયને કહ્યું, અમને મોટા ક્રિમિનલ અથવા મોનસ્ટર તરીકે બતાવવામાં આવી રહ્યા છે, જે સમાજને બરબાદ કરવા આવ્યા છે અને આ કારણે અમને રોજબરોજ કામ પર જવામાં મુશ્કેલી પડે છે.

Follow Us
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">