Jharkhand Crime News: ઝારખંડમાં નક્સલીઓએ વરસાવ્યો કહેર, 23 મહિનામાં 35 ગ્રામજનોના લીધા જીવ

Jharkhand Naxalite Attack:ઝારખંડ પોલીસ સતત નક્સલવાદીઓ પર લગામ લગાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમ છતાં નક્સલવાદીઓ ગ્રામીણ લોકોને નિશાન બનાવી રહ્યા છે.

Jharkhand Crime News: ઝારખંડમાં નક્સલીઓએ વરસાવ્યો કહેર, 23 મહિનામાં 35 ગ્રામજનોના લીધા જીવ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 1:19 PM

ઝારખંડમાં નક્સલવાદી(Jharkhand Naxalite)ઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. નક્સલવાદીઓના નિશાને ગ્રામીણ છે. છેલ્લા 23 મહિનામાં રાજ્યમાં સક્રિય અલગ-અલગ નક્સલવાદી સંગઠનો દ્વારા 35 લોકોની હત્યા (Naxalite Murder) કરવામાં આવી છે. ઝારખંડ પોલીસ હેડક્વાર્ટરના ડેટા અનુસાર, વર્ષ 2020માં 26 લોકોની હત્યા કરવામાં આવી હતી.

વર્ષ 2021 માં નવેમ્બર સુધી, 09 લોકોની હત્યા કરવામાં આવી હતી. ઝારખંડ પોલીસ સતત નક્સલવાદીઓ પર લગામ લગાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમ છતાં નક્સલવાદીઓ સતત ગ્રામીણ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં, એક કરોડની ઈનામી રકમ સાથે નક્સલવાદી પ્રશાંત બોઝ (Naxalite Prashant Bose Arrest)ની ધરપકડ બાદ નક્સલવાદીઓએ બદલો લેવાની કાર્યવાહી તેજ કરી છે.

છેલ્લા 23 મહિનામાં નક્સલવાદી સંગઠનોએ 23 વાહનોને આગ ચાંપી હતી. વર્ષ 2020 માં 16 અને વર્ષ 2021માં નવેમ્બર સુધીમાં 07 વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ સિવાય આ 23 મહિનામાં કુલ 28 નક્સલી હુમલાઓ થયા છે. અપહરણની 06, IED બ્લાસ્ટની 20 અને પોલીસ પર હુમલાની 5 ઘટનાઓ બની છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નક્સલવાદીઓ બાતમીદારોને નિશાન બનાવી રહ્યા છે

પ્રતિબંધિત નક્સલવાદી સંગઠન CPI માઓવાદીઓના નિશાના પર પોલીસના બાતમીદાર છે. પોલીસને ખુણે-ખુણાની જાણકારી મળે એટલા માટે પોલીસ બિનસત્તાવાર રીતે બાતમીદારોને પુનઃસ્થાપિત કરે છે. નક્સલવાદી પ્રવૃત્તિ અને આવા અન્ય અહેવાલોના બદલામાં, બાતમીદારોને પોલીસ તરફથી અમુક ઈનામ પણ મળે છે.

ઇનામમાં શું અને કેટલું મળે છે ? તે બધુ સરકારના રેકોર્ડમાં હતું નથી. નક્સલવાદી વિસ્તારોમાં, બાતમીદારોના કારણે જ પોલીસને ઘણી વખત મોટી સફળતા મળે છે. પરંતુ જો નક્સલવાદીઓને આ અંગેની જાણ થાય તો તેઓ સમાચાર આપનાર બાતમીદારને મારી નાખે છે. તાજેતરના મહિનાઓમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં નક્સલવાદીઓએ બાતમીદારનો આરોપ લગાવીને લોકોની હત્યા કરી છે.

તાજેતરમાં ગુમલા જિલ્લાના કુરુમગઢ પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કર્યું હતું

તાજેતરમાં ગુમલા જિલ્લાના ચેનપુર બ્લોકના કુરુમગઢ પોલીસ સ્ટેશન પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર બાદ પોલીસને ભારે પડતા જોઈને નક્સલવાદીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા.

તેના થોડા દિવસો પહેલા સીપીઆઈ-માઓવાદીઓએ કુરુમગઢના નવનિર્મિત પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કર્યો હતો. આ કેસમાં,પોલીસ હેડક્વાર્ટર દ્વારા બેદરકારી દર્શાવાના આરોપમાં ગુમલા એસપી ડૉ એહતેશામ વકારીબને શો-કોઝ (show cause) કર્યા હતા.

આ પણ વાંચો: Viral Video: જંગલના રાજાએ ઘૂંટણે પડી આ શું કર્યું ? સોશિયલ મીડિયા પર યૂઝર્સ થયા કન્ફ્યૂઝ

આ પણ વાંચો: Technology: ખુબ જ સરળ છે આધારકાર્ડને ITR સાથે લીંક કરવું, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">