AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mansukh Hiren Murder Case : પ્રદીપ શર્માએ સોપારી લઈને હત્યા કરી, પોલીસકર્મી સચિન વાઝેએ આપી હતી મોટી રકમ – NIA ચાર્જશીટ

NIA ચાર્જશીટમાં જાણવા મળ્યું છે કે 48 વર્ષીય હિરેનના મૃત્યુના બે દિવસ પહેલા 2 માર્ચના રોજ વાઝેએ એક બેઠક યોજી હતી, જેમાં અન્ય પોલીસકર્મી સુનીલ માને અને શર્મા પણ હાજર હતા.

Mansukh Hiren Murder Case : પ્રદીપ શર્માએ સોપારી લઈને હત્યા કરી, પોલીસકર્મી સચિન વાઝેએ આપી હતી મોટી રકમ - NIA ચાર્જશીટ
Mansukh Hiren Murder Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 12:51 PM
Share

Mansukh Hiren Murder Case : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ 3 સપ્ટેમ્બરે એન્ટિલિયા વિસ્ફોટક અને મનસુખ હિરેન હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં (Charge Sheet) કહેવામાં આવ્યું છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને થાણેના બિઝનેસમેન મનસુખ હિરેનને મારવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

તેમાં જણાવવામાં આવ્યુ હતું કે, હત્યાના મુખ્ય આરોપી સચિન વાઝે દ્વારા તેને હત્યા માટે “મોટી રકમ” ચૂકવવામાં આવી હતી અને તેણે તેના સાથી સંતોષ શેલાર (Santosh Shelar) મારફતે ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરી હતી. ઉપરાંત ચાર્જશીટમાં જાણવા મળ્યું છે કે હિરનના (Mansukh Hiren) મૃત્યુના બે દિવસ પહેલા 2 માર્ચે વાઝે એક બેઠકમાં હાજરી આપી હતી, જેમાં અન્ય પોલીસકર્મી સુનીલ માને અને શર્મા પણ હાજર રહ્યા હતા.

મળતા અહેવાલ અનુસાર પ્રદીપ શર્મા (A-10) ને આ કામ સોંપવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપી પ્રદીપ શર્મા (A-10) એ આરોપી સંતોષ શેલાર (A-6) નો સંપર્ક કર્યો અને પૂછ્યું હતુ કે શું તે પૈસાના બદલામાં હત્યા કરે છે ? જેના જવાબમાં આરોપી સંતોષ શેલારે (Santosh Shelar) આ અંગે સ્વીકાર કર્યો હતો કે તે પૈસાના બદલામાં હત્યા કરે છે.

સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા

પોલીસ કર્મચારી વાઝે અને સુનીલ માને, બંનેને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. શિવસેનાના (Shiv Sena) ઉમેદવાર તરીકે રાજ્યની ચૂંટણી લડવા માટે શર્માએ 2019 માં રાજીનામું આપ્યું હતું અને તે સમયે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. 2 માર્ચની બેઠક દક્ષિણ મુંબઈના કાર માઇકલ રોડ પર અબજોપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક લીલી મહિન્દ્રા સ્કોર્પિયો છોડ્યાના એક સપ્તાહ બાદ મળી હતી.

ખંડણીનો કોઈ પુરાવો મળ્યો નથી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના (National investigation Agency) અધિકારીએ જણાવ્યુ હતુ કે, વાઝેએ તપાસના રૂપમાં તેમના ઓળખપત્રોને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હશે, જોકે તેના કોઈ પુરાવા નથી. તેમજ મુંબઈ પોલીસને પણ આ કેસમાં કોઈ ખંડણીના પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચો: નૌકાદળના વડા લક્ષ્મીનારાયણે કર્યું જાવેદ અખ્તર અને નસીરુદ્દીન શાહનુ સમર્થન, ઘણી હસ્તીઓ સાથે 150 થી વધુ લોકોએ ઉઠાવ્યો અવાજ

આ પણ વાંચો: 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયત, પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">