Jamnagar: જામજોધપુરમાં અંધશ્રદ્ધાને કારણે ખેડૂતના કરોડો રૂપિયા ઠગ ટોળકી ચાંઉ કરી ગઈ

ગીંગણી ગામે પોતાની 65 વીઘા જમીન તેમજ અન્ય જમીનમાં ખેતીનો વ્યવસાય કરતા રમેશ કાલરીયાને 9 ફેબ્રુઆરીના રોજ કેટલાક લોકો મળ્યા હતા  જેમણે જણાવ્યું હતું કે ગુરૂ મહારાજ  તમારા બધા દુઃખ દર્દ દૂર કરશે.  પછી ગુરૂ મહારાજે  રમેશ કાલલિયાને રૂદ્રાક્ષનો પારો ફુંક મારીને આપ્યો હતો.

Jamnagar: જામજોધપુરમાં અંધશ્રદ્ધાને કારણે ખેડૂતના કરોડો રૂપિયા ઠગ ટોળકી ચાંઉ કરી ગઈ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:43 PM

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા ખેડૂતે પોતાની સાથે કરોડોની ઠગાઈ થયાની જામજોધુપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. સાધુના વેશમાં આવેલા ત્રણ વ્યકિત અને તેની સાથે આવેલી બોલેરો કારના ડ્રાઈવર સહિતના લોકો સામે પોલિસ ફરિયાદ નોંધવામાં આવી છે.

જામજોધપુર નજીક આવેલા ગીંગણી ગામના ખેડૂત રમેશ હંસરાજ કાલરીયાની પત્ની અને દીકરાની બીમારીઓ દૂર કરવાનો વિશ્વાસ આપીને તેમજ કરોડો રૂપિયા બનાવી આપવાનો વિશ્વાસ આપી તબક્કાવાર રૂ.87,14,00 રોકડા અને સોનાના દાગીના આશરે 83 તોલા અને 1.5 ગ્રામના જેની અંદાજે કિમત રૂપિયા 41,57,500  હતી. આમ કુલ મળીને 1 કરોડ 28 લાખ 71,500ની છેતરપીંડી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

આ પણ વાંચો: Gujarati Video : જમીન ખરીદવાના મામલે કરોડોની ઠગાઈ ! ભાજપના આગેવાન સહિત આઠ શખ્શ વિરુદ્ઘ ફરિયાદ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દુઃખ- દર્દ દૂર કરવાની આપી હતી હૈયાધારણા

ગીંગણી ગામે પોતાની 65 વીઘા જમીન તેમજ અન્ય જમીનમાં ખેતીનો વ્યવસાય કરતા રમેશ કાલરીયાને 9 ફેબ્રુઆરીના રોજ કેટલાક લોકો મળ્યા હતા, જેમણે જણાવ્યું હતું કે ગુરૂ મહારાજ તમારા બધા દુઃખ દર્દ દૂર કરશે. પછી ગુરૂ મહારાજે રમેશ કાલરિયાને રૂદ્રાક્ષનો પારો ફુંક મારીને આપ્યો અને કહ્યું કે તારા દુઃખ દર્દ દુર થઈ જશે. બાદ તે લોકોએ ઘરે આવવાની ઈચ્છા વ્યકત કરી હતી તો ત્યાં આ ઠગ લોકોએ રૂપિયા 500ની નોટ કાઢીને રમેશ કાલરીયાના પત્ની કુસુમને આપી જણાવ્યું હતું કે નોટ ઉપર સાથીયો કરીને ચુંદડીમાં વીંટાળીને મૂકી દેજો.

ફરીયાદી રમેશના પત્ની કુસુમને શરીરની તકલીફ તથા તેમના પુત્ર કલ્પેશની તકલીફ દૂર થઈ જશે તેમ જણાવતા કહ્યું કે  તમને હજી મોટા ગુરૂદેવને મળાવીશું તો બધી તકલીફો દૂર થઈ જશે. ઘરમાં ધન ધાન્ય ભરપુર થઈ જશે, ચિંતા ન કરો.

ત્ત્યાયાર બાદ આ પરિવાર આ સાધુ જેવા લાગતા વ્યક્તિઓને જમવા માટે આગ્રહ કર્યો હતો તો  આ લોકોએ  ભંડારા માટે ફાળો આપવા જણાવ્યં હતું આથી રમેશ ભાઈ કાલરિયાએ  તેમને  તો 51 હજાર રોકડા તેમને આપ્યા હતા. જોકે આ લોકોએ તેની કોઈ પાવતી આપી નહોતી.

ત્યારબાદ  11 ફેબ્રઆરીના રોજ ફોન કરીને જણાવ્યું કે તમારા પત્ની અને પુત્રને સારૂ થઈ જશે.આમ ધીરે ધીરે  કરીને આ લોકોએ રમેશ કાલરિયાના  કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હતા.  આ અંગે ફરિયાદ નોંધાતા હવે પોલીસે આ ઠગ લોકો સામે તપાસ શરૂ કરી છે.

          ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">