AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: જામજોધપુરમાં અંધશ્રદ્ધાને કારણે ખેડૂતના કરોડો રૂપિયા ઠગ ટોળકી ચાંઉ કરી ગઈ

ગીંગણી ગામે પોતાની 65 વીઘા જમીન તેમજ અન્ય જમીનમાં ખેતીનો વ્યવસાય કરતા રમેશ કાલરીયાને 9 ફેબ્રુઆરીના રોજ કેટલાક લોકો મળ્યા હતા  જેમણે જણાવ્યું હતું કે ગુરૂ મહારાજ  તમારા બધા દુઃખ દર્દ દૂર કરશે.  પછી ગુરૂ મહારાજે  રમેશ કાલલિયાને રૂદ્રાક્ષનો પારો ફુંક મારીને આપ્યો હતો.

Jamnagar: જામજોધપુરમાં અંધશ્રદ્ધાને કારણે ખેડૂતના કરોડો રૂપિયા ઠગ ટોળકી ચાંઉ કરી ગઈ
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:43 PM
Share

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા ખેડૂતે પોતાની સાથે કરોડોની ઠગાઈ થયાની જામજોધુપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. સાધુના વેશમાં આવેલા ત્રણ વ્યકિત અને તેની સાથે આવેલી બોલેરો કારના ડ્રાઈવર સહિતના લોકો સામે પોલિસ ફરિયાદ નોંધવામાં આવી છે.

જામજોધપુર નજીક આવેલા ગીંગણી ગામના ખેડૂત રમેશ હંસરાજ કાલરીયાની પત્ની અને દીકરાની બીમારીઓ દૂર કરવાનો વિશ્વાસ આપીને તેમજ કરોડો રૂપિયા બનાવી આપવાનો વિશ્વાસ આપી તબક્કાવાર રૂ.87,14,00 રોકડા અને સોનાના દાગીના આશરે 83 તોલા અને 1.5 ગ્રામના જેની અંદાજે કિમત રૂપિયા 41,57,500  હતી. આમ કુલ મળીને 1 કરોડ 28 લાખ 71,500ની છેતરપીંડી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

આ પણ વાંચો: Gujarati Video : જમીન ખરીદવાના મામલે કરોડોની ઠગાઈ ! ભાજપના આગેવાન સહિત આઠ શખ્શ વિરુદ્ઘ ફરિયાદ

દુઃખ- દર્દ દૂર કરવાની આપી હતી હૈયાધારણા

ગીંગણી ગામે પોતાની 65 વીઘા જમીન તેમજ અન્ય જમીનમાં ખેતીનો વ્યવસાય કરતા રમેશ કાલરીયાને 9 ફેબ્રુઆરીના રોજ કેટલાક લોકો મળ્યા હતા, જેમણે જણાવ્યું હતું કે ગુરૂ મહારાજ તમારા બધા દુઃખ દર્દ દૂર કરશે. પછી ગુરૂ મહારાજે રમેશ કાલરિયાને રૂદ્રાક્ષનો પારો ફુંક મારીને આપ્યો અને કહ્યું કે તારા દુઃખ દર્દ દુર થઈ જશે. બાદ તે લોકોએ ઘરે આવવાની ઈચ્છા વ્યકત કરી હતી તો ત્યાં આ ઠગ લોકોએ રૂપિયા 500ની નોટ કાઢીને રમેશ કાલરીયાના પત્ની કુસુમને આપી જણાવ્યું હતું કે નોટ ઉપર સાથીયો કરીને ચુંદડીમાં વીંટાળીને મૂકી દેજો.

ફરીયાદી રમેશના પત્ની કુસુમને શરીરની તકલીફ તથા તેમના પુત્ર કલ્પેશની તકલીફ દૂર થઈ જશે તેમ જણાવતા કહ્યું કે  તમને હજી મોટા ગુરૂદેવને મળાવીશું તો બધી તકલીફો દૂર થઈ જશે. ઘરમાં ધન ધાન્ય ભરપુર થઈ જશે, ચિંતા ન કરો.

ત્ત્યાયાર બાદ આ પરિવાર આ સાધુ જેવા લાગતા વ્યક્તિઓને જમવા માટે આગ્રહ કર્યો હતો તો  આ લોકોએ  ભંડારા માટે ફાળો આપવા જણાવ્યં હતું આથી રમેશ ભાઈ કાલરિયાએ  તેમને  તો 51 હજાર રોકડા તેમને આપ્યા હતા. જોકે આ લોકોએ તેની કોઈ પાવતી આપી નહોતી.

ત્યારબાદ  11 ફેબ્રઆરીના રોજ ફોન કરીને જણાવ્યું કે તમારા પત્ની અને પુત્રને સારૂ થઈ જશે.આમ ધીરે ધીરે  કરીને આ લોકોએ રમેશ કાલરિયાના  કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હતા.  આ અંગે ફરિયાદ નોંધાતા હવે પોલીસે આ ઠગ લોકો સામે તપાસ શરૂ કરી છે.

          ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">