Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત
આશરે 1,750 ઉમેદવારોને ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે લેખિત પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટ (PFT)માટે બોલાવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેના કટ ઓફ માર્ક્સ રાજ્ય દર રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે
Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખૂબ સારા સમાચાર આવ્યા છે. ભારતીય નેવીએ (Indian Navy) નાવિક એમઆર (Sailor MR)ની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય નૌકાદળની સત્તાવાર સાઇટ joinindiannavy.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2021 છે. આ ભરતી કુલ 350 ખાલી જગ્યાઓ ભરવા માટે હાથ ધરવામાં આવી છે. તમે અહિંયા ક્લિક કરીને પણ તમે ઓનલાઈન આરજી કરી શકો છો.
આશરે 1,750 ઉમેદવારોને ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે લેખિત પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટ (PFT)માટે બોલાવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેના કટ ઓફ માર્ક્સ રાજ્ય દર રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે. ઓનલાઇન અરજી કરવાની પ્રારંભ તારીખ – 19 જુલાઈ 2021 જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 23 જુલાઈ 2021 રાખવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત અને માપદંડ
શિક્ષણ મંત્રાલય સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત શાળા શિક્ષણ બોર્ડના બોર્ડમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ હોવી જ જોઇએ. ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 2001 થી 30 સપ્ટેમ્બર 2004 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને પી.એફ.ટી.ના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા અને પી.એફ.ટી. માટેના ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ ક્વોલિફાઇંગ પરીક્ષાનું ટકાવારી (ધોરણ 10 માર્ક) ના આધારે હાથ ધરવામાં આવશે. કટ ઓફ માર્ક્સ રાજ્ય-દર-રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે. કેમ કે ખાલી જગ્યાઓ રાજ્ય મુજબની રીતે ફાળવવામાં આવી છે.
(નોંધ-વધુ વિગતો માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા અને સત્તાવાર સૂચના તપાસવાની સલાહ આપવામાં આવે છે.)