ગુજરાત ATSએ ISIS મોડ્યુલનો કર્યો પર્દાફાશ, પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા, સોશિયલ મીડિયાથી યુવાનોમાં ભડકાવતા કટ્ટરવાદ

માહિતીના આધારે ગુજરાત ATSએ પોરબંદરમાં ધામા નાખ્યા હતા અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઉમેદ મીર, હનાન શોલ અને મોહમ્મદ હાજીમ નામના શ્રીનગરના ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.

ગુજરાત ATSએ ISIS મોડ્યુલનો કર્યો પર્દાફાશ, પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા, સોશિયલ મીડિયાથી યુવાનોમાં ભડકાવતા કટ્ટરવાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 3:54 PM

Ahmedabad : ગુજરાત ATSએ રથયાત્રા પહેલા જ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી છે જે લોકો IS ખુરાસાન સાથે સંકળાયેલા છે. ISIS સાથે સંકળાયેલા પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટે ચાર આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગુજરાત ATSને માહિતી મળી હતી કે, ત્રણ શખ્સો પોરબંદરના દરિયાઇ માર્ગેથી અફઘાનિસ્તાન અને ત્યારથી ઇરાન જવાના ફિરાકમાં છે. તેથી માહિતીના આધારે ગુજરાત ATSએ પોરબંદરમાં ધામા નાખ્યા હતા અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઉમેદ મીર, હનાન શોલ અને મોહમ્મદ હાજીમ નામના શ્રીનગરના ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો-Breaking News : Cyclone Biparjoyના પગલે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, 55 કિમીની ઝડપે પણ પવન ફૂંકાવાની શકયતા

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અબુ હમઝા નામના હેન્ડલ દ્વારા કટ્ટરવાદી બન્યા

ATSએ આરોપીઓની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે આ ત્રણેય યુવકો અબુ હમઝા નામના હેન્ડલ મારફતે કટ્ટરવાદી બન્યા હતા અને ત્યારબાદ તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિઝનમાં જોડાયા હતા. વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સુરતના સૈયદપુરામાં રહેતી સુમેરાબાનુ નામની મહિલા પણ તેમના મોડ્યુલમાં સામેલ છે. તેથી ગુજરાત ATSએ સુરત ક્રાઇમ બ્રાંચની મદદથી સુમેરાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસને સુમેરાના ઘરેથી વોઇસ ઓફ ખુરાસાન નામનું પ્રકાશન પણ મળી આવ્યું હતું.

સુમેરાબાનુએ ભાજપ અને RSSના કાર્યાલયોની રેકી કરી હતી

સુમેરાની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે, તે ISISના હેન્ડલરના સંપર્કમાં હતી. એટલું જ નહિં કાશ્મીરના ઝુબેર મુનશી સાથે ગાઢ સંબંધો ધરાવે છે. એટલું જ નહિં વધુ ખુલાસો થયો છે કે સુમેરા ભાજપ અને RSSના કાર્યાલયોની રેકી પણ કરી હતી. તો આરોપીઓ પાસેથી પોલીસને કેટલાક મહત્વના ડિજિટલ ડિવાઇઝ મળી આવ્યા છે. જેમાં લેપટોપ અને મોબાઇલનો પણ સમાવેશ થાય છે.

હિજરત કરનારા ચાર યુવાનોના વીડિયો પણ મળી આવ્યા

આ મોબાઇલ અને લેપટોપમાંથી કેટલીક ફાઇલ અને ચાર યુવાનોના વીડિયો પણ મળી આવ્યા છે. જે હિજરત કરવાના છે. એટલું જ નહિં તેમના આકાઓની ઓડિયો ક્લિપ પણ મળી આવી છે. આ દસ્તાવેજોની તપાસ કરતા ખુલાસો થયો કે, આતંકી હેન્ડલરે આરોપીઓને પોરબંદર પહોંચવા સૂચના આપી હતી અને ત્યાં ફિશિંગ બોટમાં મજૂર તરીકે નોકરી પણ લેવાના હતા. એટલું જ નહિં આ બોટના કપ્તાનનો ઉપયોગ કરીને નિર્ધારિત કરેલા સ્થળે પહોંચવાના હતા. ત્યાંથી તેઓ ઇરાન માટે રવાના થવાના હતા. એટલું જ નહિં નકલી પાસપોર્ટ મારફતે ખોરાસાન પહોંચવાના હતા અને ત્યાં આતંકી પ્રવૃતિઓની ટ્રેનિંગ પણ લેવાના હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">