મહારાષ્ટ્રના પાલઘરમાં ગુજરાતના બે સાધુઓની હત્યા, પૂર્વ CM ફડણવીસે સરકાર પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્રના પાલઘરમાં જૂના અઘાડાના બે સાધુની નિર્મમ હત્યાના વિરોધમાં સાધુ-સંતોથી લઈને સોશિયલ મીડિયા પર લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીઓ ચેતવણી આપી છે કે હત્યારાઓ પર કાર્યવાહી નહીં થાય તો મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ આંદોલન થશે. ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસે ટ્વીટ કરી હત્યાના આરોપીઓ સામે કાર્યવાહીની […]
મહારાષ્ટ્રના પાલઘરમાં જૂના અઘાડાના બે સાધુની નિર્મમ હત્યાના વિરોધમાં સાધુ-સંતોથી લઈને સોશિયલ મીડિયા પર લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીઓ ચેતવણી આપી છે કે હત્યારાઓ પર કાર્યવાહી નહીં થાય તો મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ આંદોલન થશે. ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસે ટ્વીટ કરી હત્યાના આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સિવાય ભાજપના રાષ્ટ્રીય ઉપાઅધ્યક્ષ અને પ્રવક્તા બૈજયંત જય પાંડાએ પણ આ હત્યાને વખોડતા ઠાકરે સરકાર પર નિશાન સાધ્યા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રના પાલઘરમાં ગડચિનચલે ગામ ખાતે બે સાધુઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.
આ મોબ લિન્ચિંગની ઘટના ત્યાં હાજર કેટલાક પોલીસ કર્મચારીઓની સામે જ બની હતી. બંને સાધુને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. બીજી તરફ પોલીસે અંદાજે ગામના 110 લોકોની પુછપરછ શરૂ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો