ચીનમાં તાંડવ મચાવતો કોરોના, માત્ર એક જ મહિનામાં 60 હજાર મોત !

ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટે ચીનમાં હોબાળો મચાવી દીધો છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત દર્દીઓને તાવને કારણે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચીનમાં તાંડવ મચાવતો કોરોના, માત્ર એક જ મહિનામાં 60 હજાર મોત !
Corona outbreak in China
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 10:57 AM

ચીનમાં છેલ્લા એક મહિનામાં કોરોનાને કારણે 60 હજારથી વધુ લોકોના મોત થયા છે.  શનિવારે સ્વાસ્થ્ય વિભાગની માહિતી મુજબ, જ્યારથી ઝીરો કોવિડ પોલિસી હટાવવામાં આવી છે, ત્યારથી ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને આ એક મહિનામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો છુપાવવાને કારણે ચીનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ટીકાનો સામનો કરવો પડે છે.

ચીનમાં મોતના આંકડા વધ્યા

બેઇજિંગની શૂન્ય કોવિડ નીતિ સામે નવેમ્બરમાં વિરોધ શરૂ થયો હતો, જે પછી ડિસેમ્બરની શરૂઆતમાં કોવિડ પરીક્ષણ, મુસાફરી પ્રતિબંધો અને મોટા પ્રમાણમાં લોકડાઉન હટાવવામાં આવ્યું હતું. તે પછી, ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટે ચીનમાં હોબાળો મચાવી દીધો છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત દર્દીઓને તાવને કારણે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે પણ મોતના આંકડા સતત વધી રહ્યા છે.

એક જ મહિનામાં 60 હજારના મોત

નેશનલ હેલ્થ કમિશન (NHC) ના મેડિકલ એડમિનિસ્ટ્રેશન બ્યુરોના વડા, Xiao Yahui એ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરીની વચ્ચે, હોસ્પિટલોમાં COVID-સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા 59,938 હતી. આમાં કોવિડને કારણે શ્વાસ લેવામાં તકલીફને કારણે 5,503 મૃત્યુ નોંધાયા છે. તે જ સમયે, કોવિડ સંબંધિત અન્ય રોગોને કારણે 54,435 લોકોના મોત થયા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પણ વાંચો: ચીન કોરોનાના કેસના આંકડામાં ગરબડ કરે છે, મૃત્યુઆંક છુપાવે છે : WHO

80થી 90ની ઉંમર ધરાવતા લોકોમાં ચીંતા વધી

ભલે સત્તાવાર આંકડાઓમાં મૃત્યુઆંક 60 હજાર જણાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમાં આ આંકડા વધુ ભયાનક હોઈ શકે છે કારણ કે ઓગસ્ટ 2022માં ચીને કોરોનાના કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ બદલી હતી. આ પદ્ધતિ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલા ફોર્મ્યુલાથી સંપૂર્ણપણે અલગ છે. ચીનમાં, કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં માત્ર શ્વસન રોગ અને ન્યુમોનિયાના કારણે મૃત્યુનો ઉમેરો થઈ રહ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, 90 ટકા મૃત્યુ 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં થયા છે. અને સરેરાશ ઉંમર 80 વર્ષ છે.

ચીન મોતના આંકડા છુપાવી રહ્યું હોવાનો WHOનો ખુલાસો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોવિડ-19 ટેકનિકલ હેડ, મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે, ચીન તરફથી આવતી માહિતીમાં ગરબડ છે. અમે આંકડાઓની માયાજાળને દૂર કરવા માટે ચીન સાથે કોરોના લઈને કામ કરી રહ્યા છીએ. નોંધપાત્ર રીતે, ગયા વર્ષે ડિસેમ્બરમાં શૂન્ય-કોવિડ નીતિના અંત પછી, ચીનમાં COVID-19 સંક્રમણ વધ્યુ છે. જો કે ચીન એ વાતનો ઇનકાર કરી રહ્યું છે કે તે કોવિડના મૃત્યુના આંકડા છુપાવી રહ્યું છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત વિશ્વભરના નિષ્ણાતોનું માનવું છે કે, ચીન જાણીજોઈને કોરોનાથી થયેલા મૃત્યુના આંકડાઓને ઓછો જણાવી રહ્યું છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">