BHARAT BIOTECHની મોટી જાહેરાત, ‘Covaxin’ રસીની સાઈડ ઈફેક્ટ સામે આપશે વળતર

કોરોનાનો જડમૂળથી નાશ કરવા ભારતમાં કોરોના રસીકરણ મહા અભિયાન શરૂ થઈ ગયું છે. આ રસીકરણ અભિયાનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી.

BHARAT BIOTECHની મોટી જાહેરાત, 'Covaxin' રસીની સાઈડ ઈફેક્ટ સામે આપશે વળતર
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 16, 2021 | 8:08 PM

કોરોનાનો જડમૂળથી નાશ કરવા ભારતમાં કોરોના રસીકરણ મહા અભિયાન શરૂ થઈ ગયું છે. આ રસીકરણ અભિયાનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી. આ દરમિયાન ભારતમાં કોરોના રસી કોવેક્સીન (Covaxin) બનાવનારી કંપની ભારત બાયોટેકે (BHARAT BIOTECH) મોટી જાહેરાત કરી છે. ભારત બાયોટેકે કહ્યું કે કોરોના વેક્સિન કોવેક્સિનના સાઈડ ઈફેક્ટ સામે કંપની રસી મુકાવનારને વળતર આપશે. ભારત બાયોટેકે કહ્યું કે કોવેક્સીન લગાવ્યા બાદ જો કોઈ વ્યક્તિના શરીરમાં ઘાતક અસરો દેખાશે તો કંપની તે વ્યક્તિને વળતર આપશે.

વૈજ્ઞાનિકો-સંધોશકો પ્રસંશાને પાત્ર: વડાપ્રધાન મોદી

કેન્દ્ર સરકારે ભારત બાયોટેકને કોવેક્સીન (Covaxin)ના 55 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. વડાપ્રધાન મોદીએ (PM MODI)રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરાવતા પોતાના સંબોધનમાં આનંદ વ્યક્ત કરતા કહ્યું કે માત્ર થોડાક જ સમયમાં કોરોનાની વેક્સિન આવી ગઈ છે. સામાન્ય રીતે આવી રસીને બનાવતા વર્ષો લાગી જાય છે, પરંતુ આટલા ઓછા સમયમાં એક નહીં પણ બે-બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન બનાવવામાં આવી છે. આટલું જ નહીં હજી ઘણી વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે વેક્સિન રીસર્ચ સાથે જોડાયેલા સંશોધકો અને વૈજ્ઞાનિકો પ્રસંશાને પાત્ર છે. પાછલા ઘણા સમયથી આ લોકોએ કોરોના વિરૂદ્ધ વેક્સિન બનાવવામાં દિવસ-રાત કામે લાગેલા હતા.

ભારત બાયોટેકે શા માટે કરી વળતરની જાહેરાત?

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિન (Covaxin)પર ઘણા બધા પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યાં છે અને કોવેક્સિન વિશે અફવાઓ ફેલાવી વેક્સિનનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ માટે ભારત બાયોટેકે જાહેરાત કરી છે કે કોરોના વેક્સિન કોવેક્સિન (Covaxin) લગાવવાથી જો કોઈ વ્યક્તિમાં ઘાતક અસરો જણાશે તો કંપની તેને વળતર આપશે. વડાપ્રધાન મોદીએ (PM MODI) પણ રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરાવતા પોતાના સંબોધનમાં દેશના લોકોને કહ્યું કે રસીકરણ અંગેની અફવાઓથી દુર રહો અને જુઠ્ઠાણા પર ધ્યાન ન આપો.

આ પણ વાંચો: ONLINE ખરીદીના ચક્કરમાં લખી દીધું ગજબ ADDRESS, તસ્વીર થઈ રહી છે સોશિયલ મીડિયામાં VIRAL

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">