AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMS Delhi: હવે કોરોના ટેસ્ટ વગર પણ AIIMS માં દર્દીની સારવાર થઇ શકશે

કોરોનાના ત્રીજી લહેર બાદ 7 જાન્યુઆરીથી AIIMSમાં નોન-કોવિડ દર્દીઓની ભરતી પર પ્રતિબંધ હતો.

AIIMS Delhi: હવે કોરોના ટેસ્ટ વગર પણ AIIMS માં દર્દીની સારવાર થઇ શકશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 7:22 AM
Share

દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (Delhi AIIMS)માં સારવાર લઈ રહેલા દર્દીઓને હવે કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નથી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ICMRની ગાઈડલાઈન મુજબ દર્દીઓની કોરોના તપાસ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. હવે AIIMSમાં દાખલ દર્દીઓ અને સર્જરી માટે આવતા લોકો માટે નિયમિત કોવિડ ટેસ્ટ કરવામાં આવશે નહીં.

ગયા વર્ષે કોરોનાની શરૂઆત પછી આ પહેલી વખત છે જ્યારે AIIMSએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની નિયમિત કોરોના તપાસ ન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી એવા દર્દીઓને રાહત મળશે જેમને દાખલ થતા પહેલા કે સર્જરી પહેલા કોરોનાની તપાસ માટે લાંબો સમય રાહ જોવી પડી હતી.

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ (Medical Superintendent) ડૉ ડી.કે.શર્માના જણાવ્યા અનુસાર કોરોનાને ધ્યાનમાં રાખીને, તમામ વિભાગો પાસેથી માહિતી માંગવામાં આવી છે કે તેઓ એક દિવસમાં કેટલા નવા અને જૂના દર્દીઓને તબીબી સલાહ આપી શકે છે. તમામ વિભાગો પાસેથી માહિતી મેળવ્યા બાદ મેનેજમેન્ટની બેઠક થશે અને તેના આધારે આગળ નક્કી કરવામાં આવશે કે એઈમ્સની ઓપીડીમાં મેડિકલ કન્સલ્ટેશનની સંખ્યા ચાલુ રાખવી કે કેમ.

કોરોનાના ત્રીજી લહેર બાદ 7 જાન્યુઆરીથી AIIMSમાં નોન-કોવિડ દર્દીઓની ભરતી પર પ્રતિબંધ હતો. તેમજ કામગીરી મોકૂફ રાખવી પડી હતી. ગયા અઠવાડિયે, AIIMS મેનેજમેન્ટે આ સૂચનાઓમાં ફેરફાર કર્યો હતા અને ભરતી પરનો પ્રતિબંધ હટાવ્યો હતો, પરંતુ OPD સેવાઓ નિયમિતપણે શરૂ કરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હોસ્પિટલના એક ડોક્ટરનું કહેવું છે કે કોરોનાને કારણે દિલ્હીમાં હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં ઓપીડી પણ પહેલાની જેમ શરૂ થઈ શકે છે.

બધા સેન્ટર ખોલવામાં આવ્યા

દિલ્હી સરકાર દ્વારા કોરોના પ્રતિબંધો હળવા કર્યા બાદ AIIMS એ તેના તમામ વિભાગો ખોલવાનો આદેશ જાહેર કર્યો હતો. હવે તમામ વિભાગના ખાનગી અને જનરલ વોર્ડમાં દર્દીઓને દાખલ કરી શકાશે. જો કે દર્દીઓને સ્ટાફ મુજબ આરોગ્ય સુવિધા મળી શકશે.

આ પણ વાંચો :Income Tax: ITR આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાશે , જાણો વિગતવાર

આ પણ વાંચો :Bhakti: ગુરુવારે વિષ્ણુ પૂજાનું કેમ છે વિશેષ મહત્વ ? ફટાફટ જાણી લો આ રહસ્ય

Follow Us
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
g clip-path="url(#clip0_868_265)">