AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ITR આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાશે , જાણો વિગતવાર

કરદાતાને આકારણી વર્ષમાં માત્ર એક જ વાર તેનું ઈન્કમ ટેક્સ રિટર્ન અપડેટ (ITR Update)કરવાની મંજૂરી આપવામાં આવશે.

Income Tax: ITR આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાશે , જાણો વિગતવાર
Income tax return Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 7:01 AM
Share

જો તમે નોકરી કરો છો અને આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. ITR ફાઇલ કર્યા પછી કેવી રીતે સુધારવું તે અંગે એક નવું અપડેટ આવ્યું છે. PTI ના જણાવ્યા અનુસાર કરદાતાને આકારણી વર્ષમાં માત્ર એક જ વાર તેનું ઈન્કમ ટેક્સ રિટર્ન અપડેટ (ITR Update)કરવાની મંજૂરી આપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના અધ્યક્ષ જેબી મહાપાત્રાએ આ માહિતી આપી હતી.

રિટર્ન ફાઇલ કરવાની તક આપવાનો હેતુ

રિપોર્ટ અનુસાર કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) વતી આયોજિત એક કાર્યક્રમમાં મહાપાત્રાએ કહ્યું કે આ જોગવાઈનો ઉદ્દેશ્ય એવા લોકોને તક આપવાનો છે જેઓ કોઈ ચોક્કસ કારણસર સુધારો કરી શક્યા નથી. મહાપાત્રાએ કહ્યું કે કરદાતાઓ આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે.

બાકી ટેક્સ અને વ્યાજ પર 25% વધારાની ચુકવણી

બજેટ 2022-23 કરદાતાઓને ITR ફાઇલ કર્યાના બે વર્ષમાં ‘અપડેટ’ કરવાની મંજૂરી આપે છે જેના પરિણામે રિટર્નમાં કેટલીક ભૂલ રહી ગઈ હોય અથવા વિગતોની બાકી રહી ગઈ હોય તો સમસ્યા ઉભી થશે નહિ. કરદાતાઓ ટેક્સ ભરીને ITR અપડેટ કરી શકશે. જો Updated ITR 12 મહિનાની અંદર ફાઇલ કરવામાં આવે છે તો બાકી ટેક્સ અને વ્યાજ પર 25 ટકા વધારાની ચૂકવણી કરવી પડશે.

આ સંજોગોમાં વ્યાજ પર ચૂકવણી વધીને 50 ટકા થાય છે

જો અપડેટેડ આઈટીઆર (Updated Income tax return) 12 મહિના પછી ફાઈલ કરવામાં આવે છે તો ટેક્સ અને વ્યાજ પરની ચુકવણી વધીને 50 ટકા થઈ જશે પરંતુ તે સંબંધિત મૂલ્યાંકન વર્ષના 24 મહિનાની અંદર ફાઇલ કરવાનું રહેશે. જો કે આકારણી વર્ષ માટે નોટિસ જારી કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તો કરદાતાને આ સુવિધાનો લાભ મળશે નહીં.

આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ થયો, જાણો ક્યાં શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">