AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ITR આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાશે , જાણો વિગતવાર

કરદાતાને આકારણી વર્ષમાં માત્ર એક જ વાર તેનું ઈન્કમ ટેક્સ રિટર્ન અપડેટ (ITR Update)કરવાની મંજૂરી આપવામાં આવશે.

Income Tax: ITR આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાશે , જાણો વિગતવાર
Income tax return Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 7:01 AM
Share

જો તમે નોકરી કરો છો અને આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. ITR ફાઇલ કર્યા પછી કેવી રીતે સુધારવું તે અંગે એક નવું અપડેટ આવ્યું છે. PTI ના જણાવ્યા અનુસાર કરદાતાને આકારણી વર્ષમાં માત્ર એક જ વાર તેનું ઈન્કમ ટેક્સ રિટર્ન અપડેટ (ITR Update)કરવાની મંજૂરી આપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના અધ્યક્ષ જેબી મહાપાત્રાએ આ માહિતી આપી હતી.

રિટર્ન ફાઇલ કરવાની તક આપવાનો હેતુ

રિપોર્ટ અનુસાર કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) વતી આયોજિત એક કાર્યક્રમમાં મહાપાત્રાએ કહ્યું કે આ જોગવાઈનો ઉદ્દેશ્ય એવા લોકોને તક આપવાનો છે જેઓ કોઈ ચોક્કસ કારણસર સુધારો કરી શક્યા નથી. મહાપાત્રાએ કહ્યું કે કરદાતાઓ આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે.

બાકી ટેક્સ અને વ્યાજ પર 25% વધારાની ચુકવણી

બજેટ 2022-23 કરદાતાઓને ITR ફાઇલ કર્યાના બે વર્ષમાં ‘અપડેટ’ કરવાની મંજૂરી આપે છે જેના પરિણામે રિટર્નમાં કેટલીક ભૂલ રહી ગઈ હોય અથવા વિગતોની બાકી રહી ગઈ હોય તો સમસ્યા ઉભી થશે નહિ. કરદાતાઓ ટેક્સ ભરીને ITR અપડેટ કરી શકશે. જો Updated ITR 12 મહિનાની અંદર ફાઇલ કરવામાં આવે છે તો બાકી ટેક્સ અને વ્યાજ પર 25 ટકા વધારાની ચૂકવણી કરવી પડશે.

આ સંજોગોમાં વ્યાજ પર ચૂકવણી વધીને 50 ટકા થાય છે

જો અપડેટેડ આઈટીઆર (Updated Income tax return) 12 મહિના પછી ફાઈલ કરવામાં આવે છે તો ટેક્સ અને વ્યાજ પરની ચુકવણી વધીને 50 ટકા થઈ જશે પરંતુ તે સંબંધિત મૂલ્યાંકન વર્ષના 24 મહિનાની અંદર ફાઇલ કરવાનું રહેશે. જો કે આકારણી વર્ષ માટે નોટિસ જારી કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તો કરદાતાને આ સુવિધાનો લાભ મળશે નહીં.

આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ થયો, જાણો ક્યાં શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">