AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICAI CA Result 2021 : CA ફાઉન્ડેશનનું ફાઈનલ રિઝલ્ટ આજે જાહેર થઈ શકે છે, આ રીતે જોઈ શકશો પરિણામ

ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icaiexam.icai.org, caresults.icai.org અને icai.nic.in પર તેમના રોલ નંબરની મદદથી CA ફાઉન્ડેશનનું ફાઈનલ પરિણામ જોઈ શકશે.

ICAI CA Result 2021 : CA ફાઉન્ડેશનનું ફાઈનલ રિઝલ્ટ આજે જાહેર થઈ શકે છે, આ રીતે જોઈ શકશો પરિણામ
CA Result 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 1:48 PM
Share

ICAI CA Result 2021 : ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) CA ફાઉન્ડેશનના જૂના અને નવા બંને કોર્સનું અંતિમ પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર, ICAI 13 સપ્ટેમ્બર અથવા 14 સપ્ટેમ્બરના રોજ જુલાઈ 2021 માં લેવાયેલી CA ફાઉન્ડેશન અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે.

પરીક્ષા આપેલા ઉમેદવારો સતાવાર વેબસાઈટ icaiexam.icai.org, caresults.icai.org અને icai.nic.in પર રોલ નંબર અને રજીસ્ટ્રેશન નંબરને આધારે પરિણામ જોઈ શકે છે.

આ રીતે ચકાસો પરિણામ

Step 1 : સૌ પ્રથમ ICAI ની સતાવાર વેબસાઈટ icaiexam.icai.org, caresults.icai.org અથવા icai.nic.in પર જાઓ

Step 2 : હોમપેજ પર દર્શાવેલ રિઝલ્ટ લિંક પર ક્લિક કરો

Step 3 : જરૂરી માહિતી ભરીને લોગ ઈન કરો

Step 4 : તમને સ્ક્રિન પર સ્કોરકાર્ડ્સ જોવા મળશે

Step 5 : ભવિષ્યના સંદર્ભ માટે સ્કોરકાર્ડ્સની પ્રિન્ટ આઉટ કાઢી લો

ઉમેદવાર આ રીતે પણ જોઈ શકશે પરિણામ

ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ, icaiexam.icai.org પર તેમના ઇમેઇલ દ્વારા રજીસ્ટ્રેશન કરીને પણ પરિણામોની ચકાસણી કરાવી શકે છે. જે ઉમેદવારો ઇમેઇલ દ્વારા રજીસ્ટ્રેશન કરે છે, તેમને સીએ ફાઇનલ અને સીએ ફાઉન્ડેશનના (CA Foundation) પરિણામો ઇમેઇલ દ્વારા મેળવી શકશે.

ICAI જણાવ્યુ હતુ કે, “જે ઉમેદવારો પરિણામ માટે ઈ મેઈલ દ્વારા રજીસ્ટ્રેશન (Registration) કરે છે, તેમને પરિણામ જાહેર થયા બાદ તરત જ ઈ-મેલ દ્વારા તેમના પરિણામો પૂરા મોકલવામાં આવશે.”

ક્વાલિફાઈ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 ટકા માર્કસ મેળવેલા હોવા જોઈએ

ઉમેદવારોએ ગ્રુપમાં ક્વાલિફાઈ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 ટકા માર્કસ મેળવેલા હોવા જોઈએ. ઉપરાંત જે વિદ્યાર્થીઓ એ એક કરતા વધુ ગ્રુપ માટે પરીક્ષા આપી છે, તે એક ગ્રુપમાં ક્વાલિફાઈ માર્કસ (Qualified Marks) મેળવે છે, પરંતુ બીજા ગ્રુપના ચાર પેપરમાંથી ઓછામાં ઓછા ગુણ મેળવવામાં નિષ્ફળ જાય છે, તો એ એક ગ્રુપમાં ક્વાલિફાઈ ગણાશે ,જ્યારે અન્ય ગ્રુપમાં ફેઈલ થશે.

આ પણ વાંચો: JEE Advanced 2021 : JEE Advanced માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરી શકશો અરજી

આ પણ વાંચો: IAS Success Story : સંજીતાએ નિષ્ફળતા મળવા છતાં ન હારી હિંમત, પાંચમાં પ્રયાસમાં બની UPSC ટોપર!

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">