JEE Advanced 2021 : JEE Advanced માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરી શકશો અરજી

લાયક ઉમેદવારો JEEની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને JEE એડવાન્સ માટે અરજી કરી શકે છે. આ સરળ સ્ટેપથી કરો અરજી.

JEE Advanced 2021 : JEE Advanced માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરી શકશો અરજી
JEE Advanced-2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 10:00 AM

JEE Advanced 2021 :  દેશની ટોચની IIT માં પ્રવેશ મેળવવા માટે JEE એડવાન્સ્ડની પરીક્ષા લેવામાં આવશે. 13 સપ્ટેમ્બરથી તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in ની મુલાકાત લઈને આ માટે અરજી કરી શકે છે. ત્યારે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે JEE મેઇનના ચોથા સત્રનું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવશે.

JEE એડવાન્સ્ડ 2021 માટેની નોંધણી પ્રક્રિયા(Registration Process)  11 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ JEE મુખ્ય પરિણામમાં થયેલા વિલંબના કારણે બે દિવસ માટે આ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. જાહેર કરેલી સૂચના મુજબ, પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર સુધી છે અને ફી ચૂકવવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર, 2021 છે.

નીચેની તારીખોને  ધ્યાનમાં રાખો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ – 13 સપ્ટેમ્બર

રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ – 19 સપ્ટેમ્બર

ફી ભરવાની છેલ્લી તારીખ – 20 સપ્ટેમ્બર

એડમિટ કાર્ડ – 25 સપ્ટેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે.

પરીક્ષા તારીખ – 3 ઓક્ટોબર

પ્રોવિઝનલ આન્સર કી – 10 ઓક્ટોબર

પરિણામની જાહેરાત – 15 ઓક્ટોબર

આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) માટે નોંધણીની શરૂઆતની તારીખ – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર 2021

આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) તારીખ – 18 ઓક્ટોબર 2021

AAT પરિણામની ઘોષણા – 22 ઓક્ટોબર 2021

કોણ અરજી કરી શકે?

જેઇઇ મેઇન્સ પરીક્ષાના કોઈપણ સત્રમાં લાયકાત ધરાવતા ઉમેદવારો જેઇઇ એડવાન્સ માટે અરજી કરી શકે છે. આ સિવાય, જે વિદ્યાર્થીઓએ 2020 માં JEE મેઇન્સ પાસ કર્યું છે અને કોવિડ (Corona) ને કારણે ગયા વર્ષે JEE- એડવાન્સ પેપર આપી શક્યા નથી તે પણ JEE-Advanced 2021 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરી શકશે.

પરીક્ષાના માપદંડમાં ફેરફાર

ગત વર્ષ સુધી JEE-Advanced માટે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં એક ઉમેદવારે 75% કે તેથી વધુ સ્કોર મેળવવો પડતો હતો, પરંતુ આ વર્ષે, કોરોના મહામારીના કારણે ધોરણ 12 ની પરીક્ષા રદ કરવામાં આવી હોવાના કારણે માપદંડમાં ફેરફાર કરવામાં આવ્યો છે.નવા માપદંડ મુજબ, આ વર્ષે JEE-Advanced માટે ઉમેદવારે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.

પરીક્ષાની વિગતો

પરીક્ષા 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ બે શિફ્ટમાં (Shift) લેવામાં આવશે. પેપર -1 સવારે 9 થી 12 અને પેપર -2 બપોરે 2.30 થી 5.30 વચ્ચે યોજાશે. JEE એડવાન્સ પરીક્ષા દ્વારા દેશની 23 પ્રતિષ્ઠિત IIT સંસ્થાઓમાં પ્રવેશ મળે છે. આ વખતે IIT ખડગપુર દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. જેઇઇ મેઇનમાં (JEE Mains) વધુ સારા સ્કોર કરનારા સફળ ઉમેદવારોમાંથી 2.5 લાખ વિદ્યાર્થીઓને જેઇઇ એડવાન્સ પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે.

આ પણ વાંચો: RBI Officer Grade B Final Result : RBI અધિકારી ગ્રેડ B ભરતી પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, આ સરળ રીતથી ચેક કરો

આ પણ વાંચો: IAS Success Story : સંજીતાએ નિષ્ફળતા મળવા છતાં ન હારી હિંમત, પાંચમાં પ્રયાસમાં બની UPSC ટોપર!

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">