10 લાખ યુવાનોનો ‘રોજગાર મેળો’ શરૂ, 75 હજાર યુવાનોને મળી સરકારી નોકરી, જાણો કઈ જગ્યાએ મળશે નોકરી

Rojgar Mela : દેશભરમાં 10 લાખ યુવાનોની ભરતી અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. તેને 'રોજગાર મેળો' નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત આજે 75,000 યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે.

10 લાખ યુવાનોનો 'રોજગાર મેળો' શરૂ, 75 હજાર યુવાનોને મળી સરકારી નોકરી, જાણો કઈ જગ્યાએ મળશે નોકરી
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 12:33 PM

દિવાળીનો તહેવાર (Diwali Festival) 24મી ઓક્ટોબર એટલે કે, સોમવારના રોજ દેશભરમાં ઉજવવામાં આવનારી છે. જો કે, દિવાળી પહેલાં જ યુવાનો માટે દિવાળી થવા જઈ રહી છે. વાસ્તવમાં દેશના યુવાનો માટે રોજગાર મેળો શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે 10 લાખ યુવાનોની ભરતી અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. આ અભિયાનને ‘રોજગાર મેળો’ નામ આપવામાં આવ્યું છે. PM મોદી 75,000 યુવાનોને સરકારી નોકરીનો નિમણૂક પત્ર આપશે. આ દરમિયાન પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને સંબોધિત કર્યા છે.

વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં લગભગ 10 લાખ પદો ખાલી

વડાપ્રધાન કાર્યાલયે કહ્યું છે કે, યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. હકીકતમાં, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં લગભગ 10 લાખ પદો ખાલી છે. આ ખાલી જગ્યાઓને લઈને વિપક્ષ દ્વારા સરકારને સતત નિશાન બનાવવામાં આવી રહી છે.

વિપક્ષનું કહેવું છે કે, દેશમાં બેરોજગારી ચરમસીમા પર છે પરંતુ આ પછી પણ સરકાર દ્વારા રોજગારી બાબતે કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી. વિપક્ષ બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. આ જ કારણ છે કે, હવે કેન્દ્ર સરકાર આ ખાલી જગ્યાઓ પર લોકોની નિમણૂક કરવા જઈ રહી છે. આજે 75,000 લોકોને મળેલા એપોઇન્ટમેન્ટ લેટર આ કડીનો એક ભાગ છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

મિશન મોડમાં થશે ભરતી

હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનમાં કહ્યું હતું કે, જે મંત્રાલયો અને વિભાગોમાં પદો ખાલી છે. તેઓ મિશન મોડમાં ભરતી કરે છે. પીએમઓએ કહ્યું કે, વડા પ્રધાનના નિર્દેશો અનુસાર, તમામ મંત્રાલયો અને વિભાગો સ્વીકૃત પદો સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે.

ભારત આત્મનિર્ભર ભારતના માર્ગ પર ચાલી રહ્યું છે

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં દેશમાં જે રોજગાર અને સ્વરોજગાર અભિયાન ચાલી રહ્યું છે, આજે તેમાં બીજી કડી જોડાઈ રહી છે. આ રોજગાર મેળાની કડી છે. આજે કેન્દ્ર સરકાર 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપી રહી છે.

પીએમ મોદીએ કહ્યું, ‘વિકસિત ભારતના સંકલ્પની પરિપૂર્ણતા માટે, અમે આત્મનિર્ભર ભારતના માર્ગ પર ચાલી રહ્યા છીએ. આમાં, આપણા ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, સાહસિકો, ખેડૂતો, સેવા અને ઉત્પાદન સહયોગીઓની મોટી ભૂમિકા છે.

યુવાનોની નિમણૂંક ક્યાં થશે?

દેશભરમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓને ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં પોસ્ટ કરવામાં આવશે. નવા ભરતી થયેલા કર્મચારીઓ સરકારમાં વિવિધ સ્તરે જોડાશે. ઉદાહરણ તરીકે, ગ્રુપ-એ, ગ્રુપ-બી (રાજપત્રિત), ગ્રુપ-બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ-સી. જે જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. તેમાં કેન્દ્રીય સશસ્ત્ર બળ કાર્મિક, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, PA, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, MTS અને અન્યનો સમાવેશ થાય છે.

ભરતી કોણ કરી રહ્યું છે?

પ્રાપ્ત માહિતી અનુસાર, જે મંત્રાલયો અને વિભાગોમાં જગ્યાઓ ખાલી છે, ત્યાં લોકો જાતે અથવા નિયુક્ત એજન્સીઓ દ્વારા મિશન મોડમાં ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. તે જ સમયે, ઝડપી ભરતી માટે પસંદગી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે અને તકનીકી રીતે સક્ષમ બનાવવામાં આવી છે.

(ભાષા ઇનપુટ સાથે)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">