AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ચાર્ટ બની ગયા પછી પણ ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રિફંડ મળશે? જાણો રેલવે ટિકિટ કેન્સલેશન સંબંધિત નિયમ

પહેલા ચાર્ટ બનાવ્યા પછી તમે રિફંડનો દાવો કરી શકતા ન હતા પરંતુ હવે નિયમો બદલાયા છે. જો કોઈ વ્યક્તિએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો તે ટિકિટ ડિપોઝિટની રસીદ એટલે કે TDR ઓનલાઈન સબમિટ કરીને રિફંડ મેળવી શકે છે.

શું ચાર્ટ બની ગયા પછી પણ ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રિફંડ મળશે? જાણો રેલવે ટિકિટ કેન્સલેશન સંબંધિત નિયમ
Indian Railway
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 9:10 AM
Share

રેલ્વે (Railway )આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. કેટલીકવાર લોકોને કન્ફર્મ ટિકિટ પણ મળતી નથી. કન્ફર્મ રેલવે ટિકિટ મેળવવા માટે લોકો મહિનાઓ અગાઉથી રિઝર્વેશન કરાવે છે. જો કે ઘણી વખત પેસેન્જરના મહત્વના પ્રસંગે ટ્રીપ કેન્સલ કરવી પડે તો આવી સ્થિતિમાં પેસેન્જરને બહુ નુકસાન થતું નથી. રેલવે ચાર્ટ બની ગયા પછી પણ તમે ટિકિટ કેન્સલ કરી શકો છો અને તમને ટિકિટનું રિફંડ પણ મળશે. પહેલા ચાર્ટ બનાવ્યા પછી તમે રિફંડનો દાવો કરી શકતા ન હતા પરંતુ હવે નિયમો બદલાયા છે. જો કોઈ વ્યક્તિએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો તે ટિકિટ ડિપોઝિટની રસીદ એટલે કે TDR ઓનલાઈન સબમિટ કરીને રિફંડ મેળવી શકે છે. તો ચાલો જાણીએ ઓનલાઈન ટિકિટ બુકિંગ અને રેલવે ચાર્ટ બની ગયા પછી ટિકિટ કેન્સલેશન પર TDR કેવી રીતે સબમિટ કરવો

ઓનલાઈન TDR સબમિશન પ્રક્રિયા

  • જો ચાર્ટ બની ગયા પછી તમે ટિકિટ કેન્સલ કરી હોય તો આવી સ્થિતિમાં રિફંડ મેળવવા માટે તમારે IRCTCની સત્તાવાર વેબસાઇટ irctc.co.in પર જવું પડશે.
  • અહીં તમારું લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
  • હવે My Account ઓપ્શન પર ક્લિક કરો.
  • My Transaction વિકલ્પ પસંદ કરો.
  • My Transaction ઓપ્શનમાં તમને TDR ફાઈલ કરવાનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • આ વિકલ્પ પસંદ કર્યા પછી તમને કેન્સલેશન ટિકિટની માહિતી દેખાશે. આ વિકલ્પ પસંદ કરો.
  • આ પછી તમે રિઝર્વેશન કરતી વખતે તમામ માહિતી જોશો.
  • આ પછી તમારે ટ્રેન નંબર અને કેપ્ચા ભરવાનો રહેશે.
  • આ પછી OTP તે નંબર પર આવશે જે રિઝર્વેશન કરતી વખતે ભરવામાં આવે છે જે તમારે દાખલ કરવાનું રહેશે.
  • આ પછી છેલ્લે તમને રિફંડની રકમ મળી જશે
  • TDR ફાઇલ પછી તમારા મોબાઇલ પર એક Confirmation મેસેજ આવશે.
  • હવે તમને થોડા દિવસોમાં રિફંડ મળી જશે.

આ પણ વાંચો : સરકારી તિજોરીમાં 3.31 લાખ કરોડ રૂપિયા ઉમેરાયા, પેટ્રોલિયમ ઉત્પાદનોમાંથી ટેક્સ વસૂલાતમાં 24 ટકાનો થયો વધારો

આ પણ વાંચો : Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">