Karachi bakery: ‘કરાચી બેકરી’માં ભારતીય ધ્વજ કેમ લગાવવામાં આવ્યા? જાણો તેમના માલિક કોણ છે
Karachi-bakery: એક તરફ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું છે. બીજી તરફ 'કરાચી બેકરી'ની દુકાનો પર ભારતીય ત્રિરંગો ધ્વજ લગાવવાનું કામ ચાલી થયું છે. આ પાછળનું મોટું કારણ સામે આવ્યું છે.

‘કરાચી બેકરી’ ના સ્ટોર પર ભારતીય ધ્વજ ‘ત્રિરંગો’ લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. યુદ્ધ ફાટી નીકળવા માટે પરિસ્થિતિઓ પાકી ગઈ છે. પાકિસ્તાનના લાહોરમાં બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે અને ઇસ્લામાબાદથી કરાચી સુધીના એરપોર્ટ પણ બંધ છે. ‘કરાચી બેકરી’ દ્વારા પોતાના સ્ટોર પર ભારતીય ધ્વજ લગાવવાનું કારણ શું છે?
એટલા માટે દુકાન પર ત્રિરંગો લગાવવામાં આવ્યો હતો
‘કરાચી બેકરી’ હૈદરાબાદની એક પ્રખ્યાત કૂકીઝ બ્રાન્ડ છે. તે તેના ઉસ્માનિયા બિસ્કિટ માટે દેશભરમાં જાણીતા છે. હૈદરાબાદ શહેરના સામાન્ય લોકોમાં તે ચા કાફે તરીકે લોકપ્રિય છે. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે, ત્યારે ‘કરાચી બેકરી’ના મેનેજમેન્ટે શહેરમાં તેની 20 શાખાઓ પર ‘ત્રિરંગો’ લગાવવાનું શરૂ કર્યું છે.
આનું કારણ બ્રાન્ડના નામમાં ‘કરાચી’નો ઉમેરો છે. જે પાકિસ્તાનના સૌથી મોટા શહેરોમાંનું એક છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે ત્યારે લોકો ઘણીવાર તેના સ્ટોર્સને નિશાન બનાવે છે. તેથી સાવચેતી રૂપે કંપની તેના સ્ટોર્સની બહાર ‘ત્રિરંગો’ લગાવે છે. કંપની લોકોમાં એ મેસેજ પણ પહોંચાડે છે કે તે સંપૂર્ણપણે ભારતીય બ્રાન્ડ છે. શહેરમાં ‘કરાચી બેકરી’ના લગભગ 20 સ્ટોર્સ છે.
‘કરાચી બેકરી’ના મેનેજમેન્ટે શરુ કર્યું આ કામ
ડેક્કન ક્રોનિકલ અનુસાર ‘કરાચી બેકરી’ના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક પોલીસે પણ કરાચી બેકરી સ્ટોરની આસપાસ પોતાના સ્ટાફને તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે, જેથી પરિસ્થિતિને કાબુમાં લઈ શકાય.
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. આમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવા જેવી સ્થિતિ છે.
વ્યવસાય 20 દેશોમાં ફેલાયેલો છે
‘કરાચી બેકરી’ તેના ‘ઓસ્માનિયા બિસ્કીટ’ માટે સૌથી પ્રખ્યાત છે. કંપની 20 થી વધુ દેશોમાં નિકાસ કરે છે. આમાં અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. કંપની દરરોજ 10 ટનથી વધુ બિસ્કિટનું ઉત્પાદન કરે છે. જ્યારે હૈદરાબાદમાં તેના દરેક સ્ટોર પર સરેરાશ દૈનિક ફૂટફોલ 2000 સુધી છે. મીડિયા અહેવાલો અનુસાર, ‘કરાચી બેકરી’ની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયાથી વધુ છે. આ એક એવી કંપની છે જે 1,000 થી વધુ લોકોને રોજગારી આપે છે.
આ રીતે કરાચીનું નામ એક હિન્દુની માલિકીની કંપની સાથે જોડાયું
‘કરાચી બેકરી’ 1953માં ખાનચંદ રામનાની નામના સિંધી હિન્દુ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીથી હૈદરાબાદ આવ્યો હતો. આ કારણે તેણે પોતાની બેકરીના નામમાં ‘કરાચી’ ઉમેર્યું. હૈદરાબાદમાં પહેલી કરાચી બેકરી મોઅઝમ જાહી માર્કેટમાં ખુલી હતી.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.