AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂપિયા 8897 કરોડની 2000 ની નોટ કેમ લોકોએ આરબીઆઈને પરત ન કરી? કેન્દ્રીય બેંક માટે બન્યો તપાસનો વિષય

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સિસ્ટમમાંથી 2000 રૂપિયાની નોટ હટાવી દીધી છે. નવેમ્બર 2016માં ડિમોનેટાઈઝેશન પછી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી RBIએ 19 મે 2023ના રોજ તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. સરકારે લોકોને આ નોટ જમા કરાવવાની અપીલ કરી હતી.

રૂપિયા 8897 કરોડની 2000 ની નોટ કેમ લોકોએ આરબીઆઈને પરત ન કરી? કેન્દ્રીય બેંક માટે બન્યો તપાસનો વિષય
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2024 | 8:34 AM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સિસ્ટમમાંથી 2000 રૂપિયાની નોટ હટાવી દીધી છે. નવેમ્બર 2016માં ડિમોનેટાઈઝેશન પછી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી RBIએ 19 મે 2023ના રોજ તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. સરકારે લોકોને આ નોટ જમા કરાવવાની અપીલ કરી હતી. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર હજુ પણ આખી નોટો સિસ્ટમમાંથી હટાવવામાં આવી નથી.

31 જાન્યુઆરી 2024 સુધી 2000 રૂપિયાની માત્ર 97.5 ટકા નોટ જ પરત આવી છે. અત્યાર સુધી 8897 કરોડ રૂપિયાની આ મોટી નોટો હજુ પણ બજારમાં છે. સમયમર્યાદા વીતી ગયા પછી પણ લોકો આટલી મોટી રકમ પાસે રાખી બેઠા છે.

કરન્સી સરક્યુલેશનમાં જબરદસ્ત ઘટાડો થયો

RBI અનુસાર 2000 રૂપિયાની નોટોના ચલણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કારણે 9 ફેબ્રુઆરી સુધી કરન્સી સર્ક્યુલેશનમાં 3.7 ટકાનો ઘટાડો થયો છે. આ એક વર્ષ અગાઉના 8.2 ટકા કરતાં ઘણું ઓછું છે. ચલણમાં રહેલઈ કરન્સી દ્વારા આપણે ચલણમાં રહેલી નોટો અને સિક્કાઓ વિશે માહિતી મેળવીએ છીએ. આમાં જનતા પાસે ઉપલબ્ધ રોકડ અને બેંકોમાં પડેલા નાણાંનો પણ તેમાં સમાવેશ થાય છે.

કરન્સીની જરૂરિયાત ઘટાડવામાં મદદ કરી

RBIએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ હટાવવાથી ચલણની જરૂરિયાત ઘટાડવામાં ઘણી મદદ મળી છે. જાન્યુઆરીમાં બેંક ડિપોઝીટમાં સારો ઉછાળો આવ્યો છે તેને રૂપિયા 2000ની નોટ નાબૂદી સાથે જોડીને જોઈ શકાય છે. રિઝર્વ મની પણ એક વર્ષ અગાઉ 11.2 ટકાથી ઘટીને 9 ફેબ્રુઆરી સુધીમાં 5.8 ટકા થઈ ગઈ છે.

19મી મેના રોજ 2000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી

સેન્ટ્રલ બેંકે 19 મે 2023ના રોજ રૂપિયા 2000ની નોટો બંધ કરી દીધી હતી. 19 મે સુધીમાં 3.56 લાખ કરોડ રૂપિયાની અંદાજે 2,000 રૂપિયાની નોટો ચલણમાં હતી. આ નોટને બદલવા અથવા જમા કરવાનો વિકલ્પ 30 સપ્ટેમ્બર 2023 સુધી આપવામાં આવ્યો હતો. બાદમાં આ સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર 2023 કરવામાં આવી હતી. નોટબંધીમાં તેને રૂપિયા 500 અને રૂપિયા 1000ની જૂની નોટોના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી. હાલમાં દેશમાં સૌથી મોટી ચલણી નોટ રૂપિયા 500 ની છે. આ ઉપરાંત 2000 નો નોટ બંધ કરાઈ છે જયારે રૂપિયા 1000 ની નોટ નોટબંધી સમયે બંધ કરાઈ હતી.

આ પણ વાંચો : Upcoming IPO : ચાલુ સપ્તાહે 6 IPO ખુલશે અને 5 શેરબજારમાં લિસ્ટ થશે, કરો એક નજર તમામ યોજનાઓ પર

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">