AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કઈ બેંક બચત ખાતા પર સૌથી વ્યાજ આપે છે? જુઓ SBI, HDFC, ICICI, Axis અને PNB ના વ્યાજદરોની તુલના

બચત ખાતામાં રાખવામાં આવેલ રૂપિયા 5 લાખ સુધીનો DICGC હેઠળ વીમો લેવામાં આવે છે. મતલબ કે બેંક ડૂબી જાય તો પણ તમે રૂ. 5 લાખ સુધી પાછા મેળવી શકો છો.

કઈ બેંક બચત ખાતા પર સૌથી વ્યાજ આપે છે? જુઓ SBI, HDFC, ICICI, Axis અને PNB ના વ્યાજદરોની તુલના
જાણો કઈ બેંકમાં રોકાણ વધુ લાભદાયી છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 9:00 AM
Share

બચત ખાતું(Saving Account) ટૂંકા ગાળાના રોકાણકારો માટે અત્યંત ઉપયોગી છે જેમને કોઈપણ સમયે નાણાંની જરૂર પડી શકે છે. બચત ખાતાની સૌથી મોટી વાત એ છે કે તે તમારી ડિપોઝિટ પર માત્ર વ્યાજ ચૂકવતું નથી પણ તમને કોઈપણ સમયે પૈસા ઉપાડવાની પણ પરવાનગી આપે છે. તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે બચત ખાતા પર મર્યાદાથી વધુ રકમના મેળવેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે કારણ કે તે અન્ય સ્ત્રોતોમાંથી આવક ગણવામાં આવે છે.બચત ખાતું દૈનિક ધોરણે વ્યાજની ગણતરી કરે છે અને ક્વાર્ટરના અંતે વ્યાજ દર તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બચત ખાતામાં રાખવામાં આવેલ રૂપિયા 5 લાખ સુધીનો DICGC હેઠળ વીમો લેવામાં આવે છે. મતલબ કે બેંક ડૂબી જાય તો પણ તમે રૂ. 5 લાખ સુધી પાછા મેળવી શકો છો. આજે અમે તમને અલગ-અલગ બેંકોમાં બચત ખાતા પર ચૂકવવા પડતા વ્યાજ વિશે જણાવી રહ્યા છીએ.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બચત ખાતું છે તો બેંક તમને ઝીરો બેલેન્સ પર એકાઉન્ટ રાખવાની સુવિધા પણ આપે છે. તમને વાર્ષિક 2.75% વ્યાજ દર આપે છે.

HDFC બેંક

2 ફેબ્રુઆરી 2022 પછી HDFC બેંક તેના બચત ખાતાના ગ્રાહકોને અલગ-અલગ વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમે રૂ. 50 લાખ થી ઓછા રાખો ચો તો તમને વાર્ષિક 3% વ્યાજ મળે છે. 50 લાખથી વધુ અને 1000 કરોડથી ઓછી રકમ પર 3.50% અને તેનાથી વધુ 4.50%ની રકમ ચૂકવવામાં આવે છે.

ICICI બેંક

ICICI બેંક મોટી ખાનગી બેંકો પૈકીની એક છે. રૂ. 50 લાખ થી ઓછી થાપણો પર 3% વ્યાજ ઓફર કરે છે. 50 લાખ થી વધુની થાપણો પર 3.50%. વ્યાજ આપે છે

Axis બેંક

50 લાખથી ઓછી રકમ પર 3% વાર્ષિક, 50 લાખ થી વધુ અને 10 કરોડ રૂપિયા થી ઓછી જમા રાશિ પર 3.50% વાર્ષિક, 10 થી વધુ અને 100 કરોડ રૂપિયા સુધી 3.50% કે ફ્લોર રેટ પર રેપો + (-0.65% ) વ્યાજ આપવામાં આવે છે.

પંજાબ નેશનલ બેંક (PNB)

આ સરકારી બેંક બચત ખાતામાં 10 લાખ સુધીની થાપણો પર 2.75% વ્યાજ ઓફર કરે છે. 10 લાખ અને તે ઉપરની થાપણો પર 2.80% વ્યાજ આપે છે.

આ પણ વાંચો : વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં સ્થાન પામવા છતાં મુકેશ અંબાણી – ગૌતમ અદાણી કરતા આ બાબતે પાછળ પડયા

આ પણ વાંચો : GOLD : તમે ઊંચી કિંમતે ખરીદેલું સોનુ શુદ્ધ છે કે નહિ કેવી રીતે ખાતરી કરશો? જાણો આ રીત દ્વારા

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">