AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકાર આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં 6000 રૂપિયા જમા કરે છે, જાણો કોને મળશે લાભ અને અરજીની રીત

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના 1 જાન્યુઆરી, 2017 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

સરકાર આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં 6000 રૂપિયા જમા કરે છે, જાણો કોને મળશે લાભ અને અરજીની રીત
આ યોજનામાં મહિલાઓને રૂપિયા 6000 મળી રહ્યા છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 9:58 AM
Share

PM Matritva Vandana Yojana: સરકાર ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને જરૂરિયાતમંદો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવે છે. આજે અમે તમને કેન્દ્ર સરકાર(Central Government)ની એક યોજના વિશે જણાવીશું જેમાં મહિલાઓ(Woman)ને રૂ.6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. શું તમે જાણો છો કે સરકાર ખેડૂતો ઉપરાંત મહિલાઓને 6000 રૂપિયા આપે છે. આજે તમને આ ખાસ યોજના વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. તમને કેન્દ્ર સરકારની સ્કીમ (Central government scheme 2021)હેઠળ યોજના ચાલી રહી છે જે હેઠળ મહિલાઓના ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરાય છે. આ યોજના દેશના દરેક ક્ષેત્રમાં કાર્યરત છે.

મહિલાઓને રૂ.6000 મળે છે

કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (PMMVY Scheme) છે. જેના હેઠળ કેન્દ્ર સરકાર મહિલાઓને 6000 રૂપિયા આપે છે. ચાલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જાણો

યોજના ક્યારે શરૂ થઈ?

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના 1 જાન્યુઆરી, 2017 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભવસ્થા સહાયતા યોજના તરીકે પણ ઓળખાય છે.

કોણ અરજી કરી શકે છે?

આ યોજનામાં ગર્ભવતી મહિલાઓ અરજી કરી શકે છે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે?

  • માતા-પિતાનું આધાર કાર્ડ
  • ઓળખ કાર્ડ
  • બાળ જન્મ પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક

પૈસા કેવી રીતે મળશે?

આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેના માટે સરકાર તેમને રૂ.6000ની નાણાકીય સહાય આપે છે. સરકાર આ પૈસા તબક્કાઓમાં આપે છે. પ્રથમ તબક્કામાં રૂ.1000, બીજા તબક્કામાં રૂ.2000 અને ત્રીજા તબક્કામાં રૂ.2000 ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. જ્યારે હોસ્પિટલમાં બાળકના જન્મ સમયે સરકાર દ્વારા છેલ્લા રૂ.1000 આપવામાં આવે છે.

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

આ યોજના વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ની મુલાકાત લઈ શકો છો.

મહિલાઓને આ યોજના પગભર બનાવી રહી છે

સરકાર દ્વારા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સખી યોજના(Bank Sakhi Yojana) માં નોંધાયેલી મહિલાઓને માનદ વેતન ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ મોદીએ તાજેતરમાં લગભગ 20,000 બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ( Sakhi) ના ખાતામાં રકમ જમા કરી હતી. સરકારે થોડા મહિના પહેલા રૂપિયા 4000 ટ્રાન્સફર કર્યા હતા. સરકાર માનદ વેતન તરીકે આ લોકોને 6 મહિના માટે 4000 રૂપિયા આપે છે. આ સિવાય કમિશનનો લાભ પણ મળે છે.

આ પણ વાંચો : Maharashtra: પીએમ મોદી સોમવારે પુણેની મુલાકાતે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે નહી રહે હાજર, શું છે કારણ ?

આ પણ વાંચો : Russia Ukraine War: યુક્રેન સંકટ પર અમિત શાહે કહ્યું- 4 માર્ચ સુધી અમે યુક્રેનમાંથી 16,000 નાગરિકોને બહાર કાઢ્યા, 13000થી વધુ ભારત પહોંચ્યા

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">