AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ-વિદેશથી આવતા પર્યટકોને અયોધ્યામાં મળશે 5 સ્ટાર સુવિધા, ટાટા ગ્રુપ બનાવશે તાજ હોટલ

તાજેતરમાં જ તાજ ગ્રુપે આની જાહેરાત કરી છે. તાજ ગ્રુપે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. આમાં, 100 રૂમ સાથે અપસ્કેલ વિવાંતા અને 120 રૂમ સાથે લીન લક્સ જીંજર હોટેલ વર્ષ 2027 સુધીમાં ખોલવામાં આવશે.

દેશ-વિદેશથી આવતા પર્યટકોને અયોધ્યામાં મળશે 5 સ્ટાર સુવિધા, ટાટા ગ્રુપ બનાવશે તાજ હોટલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 2:49 PM
Share

દેશનું સૌથી મોટું હોટેલ ગ્રુપ હવે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હોટલ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. હા, હવે અયોધ્યામાં પણ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવશે અને તે હોટલ તાજ ગ્રુપ બનાવશે. તાજ ગ્રુપ અયોધ્યામાં એક નહીં, પરંતુ 3 ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. સીએમ યોગી અને વડાપ્રધાન મોદી અયોધ્યાને આંતરરાષ્ટ્રીય પર્યટનના હબ તરીકે વિકસાવી રહ્યા છે.

તાજેતરમાં જ તાજ ગ્રુપે આની જાહેરાત કરી છે. તાજ ગ્રુપે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. આમાં, 100 રૂમ સાથે અપસ્કેલ વિવાંતા અને 120 રૂમ સાથે લીન લક્સ જીંજર હોટેલ વર્ષ 2027 સુધીમાં ખોલવામાં આવશે.

આ પણ વાંચો: પૂરતી ચોકસાઈ રાખવા છતાં વીમા કંપની Health Insurance Claim રિજેક્ટ કરી શકે છે, જાણો આ પાછળ ના કારણ અને નિરાકરણ

આવતા વર્ષે મંદિર તૈયાર થઈ જશે

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું કામ પણ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે. જાન્યુઆરી 2024થી મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. તે જ સમયે, અયોધ્યામાં બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ પણ આ વર્ષે જૂનમાં પૂર્ણ થવાની આશા છે. આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે. ટાટા ગ્રુપ અયોધ્યામાં 3 ફાઈવ સ્ટાર હોટલ બનાવવા જઈ રહ્યું છે. જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તે વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ જશે.

વિવાંતા અને જીંજર પ્રથમ બ્રાન્ડેડ હોટલ હશે

મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં આ હોટેલોનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ મુજબ IHCl એ જણાવ્યું છે કે અયોધ્યામાં વિવાંતા અને જીંજરની હોટેલો પ્રથમ બ્રાન્ડેડ હોટેલ હશે. તેનાથી અહીં આવતા લોકોને ઘણી સુવિધા મળશે. બનારસ પછી અયોધ્યા એક એવું ધાર્મિક શહેર છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">