Go First Crisis: આસમાને પહોંચી શકે છે ફ્લાઈટ ટિકિટના ભાવ, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને પડશે મોટો ફટકો
ટ્રાવેલ એજન્ટ્સ ગ્રૂપ TAAIએ જણાવ્યું હતું કે, GoFirst કટોકટીના કારણે દેશના કેટલાક રૂટ પર ફ્લાઇટ ટિકિટ મોંઘી થઈ શકે છે. તેની સાથે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પર પણ તેની અસર પડશે.

એરલાઇન કંપની ગો ફર્સ્ટ કેશ ફ્લો અને એન્જિન સપ્લાયની સમસ્યાથી ઝઝૂમી રહી છે, જેના કારણે એરલાઇન્સે ત્રણ દિવસ માટે તેની તમામ નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. જો કે, આ સંકટ અહીં સમાપ્ત થતું નથી. એરલાઇન કંપનીએ નાદારીની કાર્યવાહી માટે પણ અરજી કરી છે.
આ પણ વાચો: Go Firstના CEOએ કહ્યું-નાદારી જાહેર કરવાનો હેતુ કંપનીને વેચવાનો નહીં પણ બચાવ કરવાનો છે!
આવી સ્થિતિમાં, જો ગો ફર્સ્ટ એરલાઇન બંધ થાય છે, તો તેની અસર તમારા ખિસ્સા પર પણ પડી શકે છે. ટ્રાવેલ એજન્ટ્સના જૂથ TAAIએ બુધવારે જણાવ્યું હતું કે નો-ફ્રીલ્સ કેરિયર ગો ફર્સ્ટની નાદારીની કાર્યવાહી અને ફ્લાઇટ રદ કરવાથી એરલાઇન ઉદ્યોગ પર ખરાબ અસર પડશે. તેનાથી ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો થશે અને કેટલાક રૂટ પર ફ્લાઈટ ટિકિટના ભાવ પણ વધી શકે છે.
ગો ફર્સ્ટ શા માટે મુશ્કેલીમાં છે?
એરલાઇન કંપની ગો ફર્સ્ટ એન્જિનના સપ્લાયમાં સંઘર્ષ કરી રહી છે. પ્રેટ એન્ડ વ્હીટની દ્વારા એન્જિનની સપ્લાય ન કરવાને કારણે એરલાઈને તેના અડધાથી વધુ એરક્રાફ્ટને ગ્રાઉન્ડેડ કરવું પડ્યું હતું. આ સાથે એરલાઇન પણ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. જેના કારણે GoFirst એ 3 મેથી 5 મે 2023 સુધીની તેની ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે.
વાડિયા ગ્રૂપની માલિકીની એરલાઇન ગો ફર્સ્ટે IBC (Insolvency and Bankruptcy Code) હેઠળ સ્વૈચ્છિક નાદારી ઉકેલ કાર્યવાહી માટે અરજી કરી છે.
ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (TAAI)ના પ્રમુખ જ્યોતિ માયાલે જણાવ્યું હતું કે, “તે એરલાઈન્સ ઉદ્યોગ માટે ખરાબ છે. તે ખૂબ જ નાજુક ઉદ્યોગ છે. અમે કિંગફિશર એરલાઈન્સમાં, જેટ એરવેઝમાં કરોડો રૂપિયાની ખોટ જોઈ છે. હવે બીજી એરલાઈન્સ નાદાર થવા જઈ રહી છે.
શું ફ્લાઇટ ટિકિટ મોંઘી થશે?
તેમણે કહ્યું કે ગો ફર્સ્ટ પર કટોકટી આવી છે, જે ઉડ્ડયન ઉદ્યોગમાં 17 વર્ષથી વધુ સમયથી છે, જ્યારે સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગ ઉપરની તરફ આગળ વધી રહ્યો છે. અત્યારે તહેવારોની મોસમ ચાલી રહી છે અને હવાઈ મુસાફરીની માંગ યથાવત છે. આ બધાની વચ્ચે ગો ફર્સ્ટની કટોકટીના કારણે ઘણા વિસ્તારોમાં ભાડામાં વધારો થવાની આશા છે. આવનારા અઠવાડિયામાં ભાડામાં વધારો થઈ શકે છે.
ટ્રાવેલ એજન્ટોને ફટકો પડશે
તેમણે કહ્યું કે ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં, બુક કરેલી ટિકિટનું રિફંડ એરલાઇન કંપનીને આપવું પડશે. પરંતુ જો કંપની નાદાર બની જાય તો નિયમો અલગ છે. આ કેટલાક પડકારો છે, જેનો ટ્રાવેલ એજન્ટોએ પણ સામનો કરવો પડે છે. TAAIએ ગો ફર્સ્ટની આવી સ્થિતિમાં અચાનક તેની ફ્લાઈટ્સ રદ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ગો ફર્સ્ટ ફ્લાઇટ્સ રદ કરવા અંગે તેના સભ્યો અને મુસાફરો માટે ચિંતા વ્યક્ત કરતા, TAAIએ કહ્યું કે ટિકિટના રિફંડને કારણે ટ્રાવેલ એજન્ટો પર પ્રતિકૂળ અસર થશે. કોરોના મહામારીના આંચકામાંથી બહાર આવી રહેલા ઉદ્યોગ માટે આ કટોકટી વધુ એક આંચકો સાબિત થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…