AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruchi Soya FPO : બાબા રામદેવની કંપનીના FPO ને 3.60 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, 30 માર્ચ સુધી બિડ પરત ખેંચી શકાશે

કંપનીએ 30 માર્ચ સુધી ત્રણ દિવસ માટે બિડ પરત કરવાની તક આપી છે. આ માટે સેબીએ કંપનીના મર્ચન્ટ બેન્કર અને એફપીઓને પેપરમાં જાહેરાત કરવા જણાવ્યું છે.

Ruchi Soya FPO : બાબા રામદેવની કંપનીના  FPO ને 3.60 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, 30 માર્ચ સુધી બિડ પરત ખેંચી શકાશે
Baba Ramdev
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 8:20 AM
Share

બાબા રામદેવ(Baba Ramdev)ની કંપની રુચિ સોયાના (Ruchi Soya FPO) માટે સબસ્ક્રિપ્શન 28 માર્ચે બંધ થઈ ગયું હતું. આ FPO ને 3.6 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ હેઠળ કંપની રૂ. 4300 કરોડનું ભંડોળ એકત્ર કરશે જેની મદદથી કંપનીનું દેવું ચૂકવવામાં આવશે. આ FPO 24મી માર્ચે ખોલવામાં આવ્યો હતો. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1290 કરોડ એકત્ર કર્યા હતા. આ સાથે બજાર નિયામક સેબી(SEBI)એ સોમવારે જણાવ્યું હતું કે જો કોઈ રોકાણકાર રૂચી સોયાના એફપીઓમાંથી તેની બિડ પાછી ખેંચવા માંગે તો તેને ત્રણ દિવસનો સમય મળશે. વાસ્તવમાં એક એસએમએસ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં રોકાણકારો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. જેના કારણે સેબીએ આ જાહેરાત કરી છે. રોકાણકારો 30 માર્ચ સુધી તેમની બિડ પાછી ખેંચી શકે છે.

વાયરલ SMSમાં કહેવામાં આવી રહ્યું છે કે રુચિ સોયાનો FPO બજાર કિંમતની સામે 30 ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ શેર FPO હેઠળ રૂપિયા 615-650ની રેન્જમાં ઉપલબ્ધ છે. રોકાણ માટે આ એક મોટી તક છે. આ રીતે રોકાણકારોને FPO તરફ લલચાવવામાં આવી રહ્યા છે. સેબીનું માનવું છે કે આવા સંદેશાઓ દ્વારા રોકાણકારોને છેતરવામાં આવે છે અને તે એક પ્રકારની છેતરપિંડી છે. આવી સ્થિતિમાં આ જાળમાં ફસાયેલા રોકાણકારોને બિડ પરત કરવાની તક છે.

30 માર્ચ સુધીમાં બિડ પરત ખેંચવાની તક

કંપનીએ 30 માર્ચ સુધી ત્રણ દિવસ માટે બિડ પરત કરવાની તક આપી છે. આ માટે સેબીએ કંપનીના મર્ચન્ટ બેન્કર અને એફપીઓને પેપરમાં જાહેરાત કરવા જણાવ્યું છે. આ જાહેરાતમાં સ્પષ્ટપણે લખવામાં આવશે કે જો કોઈ રોકાણકાર આ FPOમાં રોકાણ કરવા માંગતા ન હોય અને તેણે બિડ કરી હોય તો તેણે 30 માર્ચ સુધીમાં બિડ પાછી ખેંચી લઇ શકે છે. જો કે એન્કર રોકાણકારો બિડ પાછી ખેંચી શકતા નથી.

પ્રાઇસ રેન્જ રૂ. 615-650 પ્રતિ શેર

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ઉપલબ્ધ ડેટા મુજબ લાયકાત ધરાવતા Qualified institutional buyers 2.20 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું હતું જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી 11.75 ગણી સબ્સ્ક્રાઇબ થઈ હતી. ડેટા મુજબ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત વિભાગને 90% સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપનીએ એફપીઓની પ્રાઇસ રેન્જ રૂ. 615-650 પ્રતિ શેર રાખી હતી.

આ પણ વાંચો : Gold Price Today : સસ્તું થયું સોનું, જાણો તમારા શહેરની 1 તોલાની કિંમત

આ પણ વાંચો : ગ્રોસરી બજારને બદલવાની તૈયારીમાં મુકેશ અંબાણી, JioMart કરશે કરિયાણાની ઈન્સ્ટન્ટ ડિલિવરી

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">