AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senior citizen માટે ખુશખબર, FD પર 7.15% સુધી મળી રહ્યું છે વ્યાજ, આ બેંકો આપી રહી છે વિશેષ ઓફર

ટેક્સ સેવિંગ એફડી(Tax Saving FD)માં 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મળે છે. આ FD માં સમયમર્યાદા વધુહોય છે અને 5 વર્ષ લોક ઇન પીરિયડ હોય છે.

Senior citizen માટે ખુશખબર, FD પર 7.15% સુધી મળી રહ્યું છે વ્યાજ, આ બેંકો આપી રહી છે વિશેષ ઓફર
વરિષ્ઠ નાગરિકો બેંકમાં ફોર્મ 15H ભરીને TDS ટાળી શકે છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 6:40 AM
Share

ઘણી બેંકો વરિષ્ઠ નાગરિકો( (Senior citizen) માટે ફિક્સ્ડ ડિપોઝિટ(Fixed Deposit) પર સારું વ્યાજ દર(FD Rate) ઓફર કરી રહી છે. આ ખાસ ઓફર ટેક્સ સેવિંગ FD માટે છે. તે એવી FD છે જે ટેક્સ બચાવવા(Tax Saving FD)ના હેતુથી ખોલવામાં આવે છે. આવી FD 5 વર્ષ માટે થાય છે. ટેક્સ સેવિંગ એફડી(Tax Saving FD) આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્ત છે. વરિષ્ઠ નાગરિકો( (Senior citizen) રોકાણ સુરક્ષા અને વધુ સારા વળતર માટે ટેક્સ સેવિંગ્સ એફડીમાં નાણાં જમા કરે છે. આ FD સામાન્ય દર કરતાં વધુ વ્યાજ ચૂકવે છે. ટેક્સ બચાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. બેંકો (FDs) વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7% થી વધુ વ્યાજ ચૂકવે છે.

ટેક્સ સેવિંગ એફડી(Tax Saving FD)માં 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મળે છે. આ FD માં સમયમર્યાદા વધુહોય છે અને 5 વર્ષ લોક ઇન પીરિયડ હોય છે. અર્થાત્ 5 વર્ષો પહેલા આ એફડી કોઈ તોડી શકે નહિ. અન્ય એફડીની જેમ ટેક્સ સેવિંગ FDનો સમય પહેલા બંધ ન કરી શકો અને તેના પર પૈસા પણ લોન ન થઈ શકે છે. વધુમાં બેંક સીનિયર સિટીજન માટે સામાન્ય થી 0.50 રેટ વધુ વ્યાજ આપે છે.

ટેક્સ સેવિંગ FD નો લાભ

FD રિટર્ન પર થાપણદારે તેના ટેક્સ સ્લેબ મુજબ TDS ચૂકવવો પડશે. જો કે, વરિષ્ઠ નાગરિકો ફોર્મ 15H ભરીને TDS ટાળી શકે છે. કલમ 80TTBની મદદથી વરિષ્ઠ નાગરિકો FD માં જમા નાણાં પર રૂ.50,000નો વધારાનો ટેક્સ બચાવી શકે છે. આ 1.5 લાખની મર્યાદા ઉપરાંત હશે.

કઈ બેંકમાં કેટલું વ્યાજ મળે છે?

  • HDFC બેંક 5.90 ટકા વ્યાજ ચૂકવી રહી છે અને 1.5 લાખ રૂપિયા જમા કરાવ્યા પછી 5 વર્ષ પછી તેને 2,01,035 રૂપિયા મળી રહ્યા છે.
  • ICICI બેન્ક રૂ. 1.5 લાખની સ્કીમ ખોલવા પર 5.95 ટકા વ્યાજ ચૂકવે છે અને રૂ. 2,01,531 મળે છે.
  • IDBI બેંક 6 ટકા વ્યાજ ચૂકવે છે જ્યાં રૂ. 1.5 લાખની થાપણ સામે રૂ. 2.02,028 ચૂકવવામાં આવે છે.
  • IDFC ફર્સ્ટ બેંક વરિષ્ઠ નાગરિકોને ટેક્સ સેવિંગ FD પર 6.75 ટકા વ્યાજ ચૂકવે છે અને 1.5 લાખ રૂપિયા સામે 2.09,525 રૂપિયા મળે છે.
  • Indusind Bank વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 6.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે અને રૂ 1.5 લાખ સામે રૂ. 2,07,063 આપે છે.

આ બેંક સૌથી વધુ રિટર્ન આપી રહી છે

RBL બેંક સીનિયર સિટીજન કો ટેક્સ સેવિંગ એફડી પર 6.80 પરસેન્ટ વ્યાજ આપી રહ્યું છે. 1.5 લાખ રૂપિયા જમા કરવા માટે 2,10,141 રૂપિયા મળી રહ્યા છે. સાઉથ ભારતીય બેંક 6.15 ટકાવ્યાજ સાથે 1.5 લાખ સામે 2,03,526 રૂપિયા રિટર્ન આપી રહી છે. યસ બેંક 7 પરસેન્ટ વ્યાજ સાથે 1.5 લાખ રૂપિયા જમા કરવા પર 2,12,217 રૂપિયા રિટર્ન આપી રહી છે. સૂર્યોદર સ્મોલ ફાઈનેંસ બેંક તમારી સીનિયર સિટીજન ગ્રાહકોને 7 ટકા વ્યાજ સાથે 1.5 લાખની જમા રકમ પર 2,12,217 રૂપિયા રિટર્ન આપી રહી છે. ઉજ્જીવન સ્મોલ ફાઈનેંસ બેંક 7.15 પરસેન્ટ વ્યાજ સાથે 1.5 લાખ પર 2.13,786 રૂપિયા રિટર્ન આપી રહી છે.

આ પણ વાંચો : Adani Wilmar IPO : ગૌતમ અદાણીની કંપની લાવી કમાણીની તક, જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : GOLD : દેશમાં સોનાની માંગમાં સતત થઇ રહ્યો છે વધારો, વર્ષ 2021માં ભારતીયોએ 797.3 ટન સોનું ખરીદ્યું, 2020ની સરખામણીમાં 78.6% વધુ ખપત થઇ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">