AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રાહકોને ફાયદો કરાવતી SBI ની આ સ્કીમ ટૂંક સમયમાં થઈ જશે બંધ, રોકાણ કરવા માટે માત્ર થોડા દિવસ બાકી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકો માટે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે 3 ટકાથી લઈને 7 ટકા સુધી, અમૃત કલશ સિવાય પર વ્યાજ આપે છે. સિનિયર સિટીઝન્સને 3.50 ટકાથી લઈને 7.50 વ્યાજ આપવામાં આવે છે. SBI ની સ્પેશિયલ સ્કીમમાં વ્યાજ પાકતી મુદત પર ચૂકવવામાં આવે છે.

ગ્રાહકોને ફાયદો કરાવતી SBI ની આ સ્કીમ ટૂંક સમયમાં થઈ જશે બંધ, રોકાણ કરવા માટે માત્ર થોડા દિવસ બાકી
SBI Scheme
| Updated on: Feb 08, 2024 | 2:45 PM
Share

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રોકાણકારોને વધારે ફાયદો કરાવતી સ્કીમ હવે બંધ થવા જઈ રહી છે. આ સ્કીમનું નામ ‘અમૃત કલશ’ છે. આ સ્કીમ ફિક્સ ડિપોઝીટના રૂપમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમ બંધ કરવાની છેલ્લી તારીખ અનેક વખત આગળ વધારવામાં આવી છે. SBIની ઓફિશિયલ વેબસાઈટ મૂજબ આ 400 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સામાન્ય નાગરિકો માટે 7.1 ટકા અને સિનિયર સિટીઝન્સને 7.6 ટકા વ્યાજ આપે છે.

અમૃત કલશ સ્કીમની વિગતો

અમૃત કલશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. SBIની ઓફિશિયલ વેબસાઈટ મૂજબ 400 દિવસની આ સ્કીમમાં ઈન્વેસ્ટર્સને 7.10% વ્યાજ મળે છે. આ વ્યાજ 12 એપ્રિલ, 2023થી લાગુ છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન્સને 7.60% વ્યાજ આપવામાં આવે છે.

આ સ્કીમ 31 ડિસેમ્બર 2023 સુધી જ માન્ય રહેશે. તમે SBI ની અમૃત કલશ ફિક્સ ડીપોઝિટ સ્કીમમાં SBI બેંકની બ્રાંચ, INB, YONO ચેનલો દ્વારા ઈન્વેસ્ટ કરી શકો છો. SBI ની આ સ્કીમમાં ડિપોઝિટ વિકલ્પો સામે સમય પહેલા ઉપાડ અને લોનની સુવિધા પણ આપવામાં આવે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના FD વ્યાજ દર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકો માટે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે 3 ટકાથી લઈને 7 ટકા સુધી, અમૃત કલશ સિવાય પર વ્યાજ આપે છે. સિનિયર સિટીઝન્સને 3.50 ટકાથી લઈને 7.50 વ્યાજ આપવામાં આવે છે.

આ પણ વાંચો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે 10 રૂપિયાનો ઘટાડો, ક્રૂડ ઓઈલના ભાવ સતત ચોથા દિવસે ગગડ્યા

વ્યાજ TDS બાદ કરી ખાતામાં જમા કરવામાં આવશે

SBI ની સ્પેશિયલ અમૃત કલશ ફિક્સ ડીપોઝિટ સ્કીમમાં વ્યાજ પાકતી મુદત પર ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત તમને મળવા પાત્ર વ્યાજ TDS બાદ કરી ખાતામાં જમા કરવામાં આવે છે. વેબસાઈટ અનુસાર, મેચ્યોરિટી પહેલા રકમ ઉપાડવા પર બેંકમાં થાપણના સમયગાળા માટે લાગુ પડતા વ્યાજ દર કરતા અડધા ટકાથી લઈને એક ટકા ઓછું મળશે. અથવા કરારના દર કરતાં 0.50 ટકા અથવા 1 ટકા જે ઓછું હશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">