AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rule Changes From 1 July 2023 : આજથી બદલાયા આ 8 નિયમ, ધ્યાનમાં રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં

Rule Changes From 1 July 2023 : આજથી જુલાઈ શરૂ થઈ ગયો છે. મહિનો શરૂ થતાની સાથે જ સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલા 8 ફેરફારો પણ જોવા મળ્યા છે. પછી તે LPG ગેસ સિલિન્ડરની કિંમત(LPG Gas Cylinder Price) હોય કે પછી CNG PNGની કિંમત હોય...

Rule Changes From 1 July 2023 : આજથી બદલાયા આ 8 નિયમ, ધ્યાનમાં રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 9:04 AM
Share

Rule Changes From 1 July 2023 : આજથી જુલાઈ શરૂ થઈ ગયો છે. મહિનો શરૂ થતાની સાથે જ સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલા 8 ફેરફારો પણ જોવા મળ્યા છે. પછી તે LPG ગેસ સિલિન્ડરની કિંમત(LPG Gas Cylinder Price) હોય કે પછી CNG PNGની કિંમત હોય… જૂતા અને ચપ્પલમાં પણ અને બેંકની પોલિસીઓમાં પણ ઘણા ફેરફારો થયા છે જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર જોવા મળી શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે આખરે સામાન્ય લોકોના ખિસ્સા પર કેટલી અસર પડશે.

ક્રેડિટ કાર્ડ પર 20% TCS

વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચને TCSના દાયરામાં લાવવાનો નવો નિયમ આજથી અમલમાં આવ્યો છે. આનો અર્થ એ છે કે 7 લાખથી વધુના ખર્ચ પર 20% સુધી TCS ચાર્જ વસૂલવામાં આવશે. એટલે કે, જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડ પર 7 લાખ કે તેથી ઓછો ખર્ચ કરો છો, તો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને જો તમે તેનાથી વધુ ખર્ચ કરો છો, તો 20 ટકા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવામાં આવશે.

HDFC BANK  અને HDFCનું મર્જર

HDFC બેંક અને HDFC વચ્ચેનું મર્જર 1 જુલાઈ 2023થી એટલે કે આજથી અમલી બન્યું છે. HDFC ગ્રુપના ચેરમેન દીપક પરીખે નિવૃત્તિની પણ જાહેરાત કરી હતી. એચડીએફસી બેંક અને એચડીએફસીની બંને ટોચની મેનેજમેન્ટ ટીમોએ વિલીનીકરણમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, નાણાકીય કંપનીઓ, તેમના શેરધારકો, ગ્રાહકો અને એકંદર અર્થતંત્ર પર તેની સકારાત્મક અસર દર્શાવે છે.

RBI ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ

હાલમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડીને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોઈપણ રીતે, તમામ બેંકો આના પર ગ્રાહકોને સારું વ્યાજ આપી રહી છે. 1 જુલાઈ 2023 થી એટલે કે આજથી, RBI ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ પર વધુ વ્યાજ ઉપલબ્ધ થશે. હાલમાં 7.35 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે 1 જુલાઈથી વધારીને 8.05 ટકા થઈ શકે છે. તે દર 6 મહિને બદલાતું રહે છે.

ક્વોલિટી કંટ્રોલ

1લી જુલાઈ 2023થી દેશભરમાં નબળી ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર લાગુ કરવાની જાહેરાત કરી છે, જેનો અમલ 1લી જુલાઈથી એટલે કે આજથી કરવામાં આવ્યો છે. આ પછી તમામ ફૂટવેર કંપનીઓ માટે ગુણવત્તાના નિયમોનું પાલન કરવું જરૂરી બનશે.

ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી

ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર મહિનાની પહેલી તારીખે જોવા મળે છે. આ વખતે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે જૂન મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને અગાઉ 1 મે 2023ના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. માર્ચથી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

CNG  અને PNG ના ભાવમાં કોઈ ફેરફાર નથી

IGLની વેબસાઈટ અનુસાર, CNG અને PNGની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં CNG અને PNGના ભાવ એપ્રિલમાં જ લાગુ રહેશે. ડેટા અનુસાર, એપ્રિલ 2023માં દિલ્હીમાં CNGની કિંમત 73.59 રૂપિયા જોવા મળી હતી, જે હજુ પણ છે. બીજી તરફ, પાઈપ્ડ નેચરલ ગેસની કિંમત 48.59 પ્રતિ CSM છે, જેમાં છેલ્લો ફેરફાર 9મી એપ્રિલે જોવા મળ્યો હતો.

ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ

દરેક કરદાતાએ તેનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ જુલાઈમાં નજીક આવી રહી છે. જો તમે હજી સુધી તમારું ITR ફાઇલ કર્યું નથી, તો તેને 31મી જુલાઈ સુધીમાં પૂર્ણ કરો.

પાન-આધાર કાર્ડ લિંક

જો કોઈએ 30 જૂન સુધીમાં તેમના PAN ને આધાર સાથે લિંક ન કર્યું હોય, તો 1 જુલાઈથી, તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આનો અર્થ એ છે કે તે બેંકિંગ સંબંધિત કોઈપણ કામ કરી શકશે નહીં. આવનારા દિવસોમાં તેની સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે.

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">