AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ 2023 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિજિટલ કરન્સી બજારમાં આવી શકે છે : નાણાં મંત્રી

નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકારનો હેતુ માત્ર ડિજિટલ ચલણ સાથે નાણાકીય સમાવેશના ઉદ્દેશ્યોને પૂરો કરવાનો નથી પરંતુ વિવિધ વ્યવસાયિક લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવાનો છે.

વર્ષ 2023 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિજિટલ કરન્સી બજારમાં આવી શકે છે : નાણાં મંત્રી
Finance Minister Nirmala Sitharaman
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:01 AM
Share

ભારત ડિજિટલ ચલણ(Digital Currency)ની શરૂઆત કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) પણ હવે કહ્યું છે કે ભારતનું લક્ષ્ય 2023 સુધીમાં ડિજિટલ કરન્સી લાવવાનું છે. ફિક્કીના એક કાર્યક્રમમાં આ સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર અને ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India) ડિજિટલ ચલણના વિવિધ વ્યાવસાયિક ઉપયોગની શક્યતાઓ શોધવામાં વ્યસ્ત છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકારનો હેતુ માત્ર ડિજિટલ ચલણ સાથે નાણાકીય સમાવેશના ઉદ્દેશ્યોને પૂરો કરવાનો નથી પરંતુ વિવિધ વ્યવસાયિક લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવાનો છે. તેમણે કહ્યું કે સરકાર JAM  (જન ધન-આધાર-મોબાઇલ) દ્વારા નાણાકીય સમાવેશના લક્ષ્યોને હાંસલ કરી રહી છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર તમામ ઉદ્યોગોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. સરકારનો ભાર તમામ ક્ષેત્રોનું ઝડપી અને સતત ડિજીટલાઇઝેશન કરવા પર છે. તેથી જ સરકારે બજેટમાં ડિજિટલ કરન્સી, ડિજિટલ બેન્ક અને ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ડિજિટલ ચલણ વધુ સસ્તું અને કાર્યક્ષમ નાણાકીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપશે. તેથી જ સરકારે ડિજિટલ કરન્સી, બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિકસિત રૂપિયા બ્લોકચેન તમામ વ્યવહારોને ટ્રેક કરી શકશે. હાલમાં, ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી મોબાઇલ વોલેટની સિસ્ટમમાં તમામ વ્યવહારો ટ્રેક કરી શકાતા નથી.

નોંધપાત્ર વાત એ છે કે બજેટમાં નાણામંત્રીએ ભારત દ્વારા પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ડિજિટલ કરન્સી લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તે જ સમયે, ભારતે હજુ સુધી ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી નથી. બજેટમાં નાણામંત્રીએ ક્રિપ્ટોથી થતી કમાણી પર 30 ટકા ટેક્સ અને એક ટકા ટીડીએસ લાદવાની જાહેરાત કરી હતી. ક્રિપ્ટો રેગ્યુલેશનને લઈને ભારતનું કહેવું છે કે તે ક્રિપ્ટોકરન્સી અંગે કોઈ નિર્ણય ઉતાવળમાં લેશે નહીં. ક્રિપ્ટોકરન્સી અંગેની આશંકાઓ દૂર થયા બાદ જ ભારત તેના નિયમન અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો : Gold Price Today : સોનું 400 રૂપિયા અને ચાંદી 950 રૂપિયા સસ્તી થઇ, જાણો સોના – ચાંદીના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : જો ઓરીજીનલ NSC ખોવાઈ કે ચોરી થઈ જાય તો? આ પ્રક્રિયા અનુસરો તમારું રોકાણ સલામત રહેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">