AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO નો રસ્તો સરળ બન્યો, સંસદના બંને ગૃહે વીમા સુધારા બિલને લીલી ઝંડી દેખાડી ,જાણો વિગતવાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) બિલ પસાર કરવાની દરખાસ્ત કરી અને ગૃહએ ટૂંકી ચર્ચા બાદ તેને મંજૂરી આપી હતી. આ દરમિયાન વિપક્ષના ઘણા સભ્યો આસન નજીક ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

LIC IPO નો રસ્તો સરળ બન્યો, સંસદના બંને ગૃહે વીમા સુધારા બિલને લીલી ઝંડી દેખાડી ,જાણો વિગતવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:32 AM
Share

ભારતીય જીવન વીમા નિગમના ખાનગીકરણ(LIC Privatisation)નો માર્ગ સરળ થઈ ગયો છે. LIC સહિત જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ(PSU Insurance Companies)માં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારવા માટે રાજ્યસભા(Rajya Sabha)માં રજૂ કરાયેલ સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારો બિલ, 2021, એક સૂરમાં પસાર કરવામાં આવ્યો હતો.

જો કે કેટલાક વિપક્ષી દળોએ બિલ પસાર કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે બિલને ગૃહની પ્રવર સમિતિને મોકલવાની માગણી પણ કરી હતી પરંતુ ગૃહે તેમની વિનંતીને ફગાવી દીધી હતી. લોકસભા પહેલાથી જ આ બિલ પસાર કરી ચૂક્યું છે.

બિલ પાસ થવાથી ક્યાં ફાયદા થશે નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) બિલ પસાર કરવાની દરખાસ્ત કરી અને ગૃહએ ટૂંકી ચર્ચા બાદ તેને મંજૂરી આપી હતી. આ દરમિયાન વિપક્ષના ઘણા સભ્યો આસન નજીક ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બિલ દ્વારા જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ (રાષ્ટ્રીયકરણ) અધિનિયમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ અધિનિયમ 1972 માં અમલમાં આવ્યું હતું. આમાં, સામાન્ય વીમા (General Insurance) વ્યવસાયના વિકાસ દ્વારા અર્થવ્યવસ્થાની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવા માટે ભારતીય વીમા કંપનીઓના શેર અને અન્ય હાલની વીમા કંપનીઓના ઉપક્રમોના હસ્તાંતરણ અને સ્થાનાંતરણને મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

બિલના ઉદ્દેશો અને તેને લાવવાના કારણો શું છે? કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Government) LIC નો IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ પસાર થવાથી તેના માટે રસ્તો સરળ થઈ ગયો છે. બિલના ઉદ્દેશો અને કારણો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓમાં ખાનગી ભાગીદારી વધારવા, વીમાની એક્સેસ વધારવા, સામાજિક સુરક્ષા પૂરી પાડવા અને પોલિસીધારકોના હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરવા અને અર્થતંત્રના ઝડપી વિકાસમાં યોગદાન આપવાનું છે. આ માટે કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવો જરૂરી બન્યો હતો. તદનુસાર, સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021 લાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  Franklin Templeton MF ના રોકાણકારો માટે રાહતના સમાચાર! કંપનીએ બંધ પડેલી 6 સ્કીમના 21,000 કરોડ રૂપિયા પરત કર્યા

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">