લોનધારકો માટે રાહતના સમાચાર, EMIમાં નહીં થાય કોઈ વધારો, RBIએ 6.5% રેપો રેટ યથાવત્ રાખ્યો

RBI MPC: RBI ગવર્નર શક્તિકાંતા દાસ દ્વારા શુક્રવારે, જૂન 7 ના રોજ નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. ગવર્નર દ્વારા રેપો રેટને સતત 8મી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

લોનધારકો માટે રાહતના સમાચાર, EMIમાં નહીં થાય કોઈ વધારો, RBIએ 6.5% રેપો રેટ યથાવત્ રાખ્યો
Follow Us:
| Updated on: Jun 07, 2024 | 12:09 PM

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સતત 8મી વખત વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકનું ફોકસ અત્યારે મોંઘવારીને નિયંત્રણમાં લેવા પર છે. આરબીઆઈના આ નિર્ણયથી સામાન્ય લોકોની લોનની EMI વધશે નહીં. શુક્રવારે 7 જુને નવી નાણાકીય નીતિ જાહેર કરવામાં આવી છે. દાસે સતત 8મી વખત રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. આ પહેલા છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

વ્યાજ દરોની સમીક્ષા કરવા માટે RBI MPCની બેઠક 5 જૂનથી 7 જૂનની વચ્ચે યોજાઈ હતી, જેમાં 6 સભ્યોની MPCમાંથી 4 MPC સભ્યોએ બહુમતીના આધારે વ્યાજ દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, યુરોપિયન સેન્ટ્રલ બેંકે ગુરુવારે વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જ્યારે કેનેડાએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 08-07-2024
Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો

કેવો રહેશે મોંઘવારી દર ?

RBI MPCએ પણ અંદાજિત ફુગાવાના આંકડામાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાકીય વર્ષ 2025માં રિટેલ મોંઘવારી 4.5 ટકા રહી શકે છે. જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં મોંઘવારી દર 4.9 ટકા રહેવાનો અંદાજ છે. બીજા ક્વાર્ટરમાં મોંઘવારી દર 3.8 ટકા રહી શકે છે. ત્રીજા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 4.6 ટકા રહી શકે છે. જ્યારે ચોથા ક્વાર્ટરમાં મોંઘવારીનો આંકડો 4.5 ટકા રહી શકે છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ખાદ્ય મોંઘવારી પર નજર રાખવી પડશે. SBI અનુસાર, મે મહિનામાં મોંઘવારી દર 5 ટકા રહી શકે છે.

ગ્રોથ રેટના અંદાજમાં વધારો

GDPના મોરચે RBIનું સેન્ટિમેન્ટ સકારાત્મક રહ્યું છે. RBI ગવર્નરે GDP ગ્રોથ રેટના અંદાજમાં વધારો કર્યો છે. RBI ગવર્નરના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2025માં ભારતનો વિકાસ દર 7.2 ટકા રહી શકે છે. અગાઉ આરબીઆઈ ગવર્નરે 7 ટકાનો અંદાજ મૂક્યો હતો. જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં 7.3 ટકા વૃદ્ધિની અપેક્ષા છે. બીજા ક્વાર્ટરમાં આ અંદાજ 7.2 ટકા હતો. જો આપણે ત્રીજા ક્વાર્ટરની વાત કરીએ તો તે 7.3 ટકા હોઈ શકે છે.

ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં કરાયો હતો વધારો

મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો. રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે પછી પોલિસી રેટ ઘટીને 6.50 ટકા થઈ ગયો. ત્યારપછી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી. આનો અર્થ એ થયો કે છેલ્લી 8 મીટિંગમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.

સતત બે મહિનાથી મોંઘવારી દરમાં ઘટાડો

છેલ્લા બે મહિનામાં મોંઘવારીનો આંકડો 5 ટકાથી નીચે જોવા મળ્યો હતો. જ્યારે એપ્રિલ મહિનામાં મોંઘવારીનો આંકડો ઘટીને 4.83 ટકા પર આવી ગયો હતો. જ્યારે તે પહેલા માર્ચ મહિનામાં મોંઘવારીનો આંકડો 4.85 ટકા હતો. મતલબ કે મોંઘવારી નિયંત્રણમાં છે. SBI રિસર્ચના અહેવાલ મુજબ, ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો મે મહિનામાં 5 ટકા રહેવાનો અંદાજ છે (આ મહિનાના બીજા સપ્તાહમાં ડેટા જાહેર કરવામાં આવશે). RBIનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો ફુગાવાનો દર 4.5 ટકા રહી શકે છે.

આ પણ વાંચો: “PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા?” રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
g clip-path="url(#clip0_868_265)">