AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કામની વાત: ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો બીજી કંપનીની ફ્લાઇટમાં કરી શકશો મુસાફરી, Air India અને Air Asia વચ્ચે થયો મોટો કરાર

બંને એરલાઈન્સ કંપનીઓએ બે વર્ષના સમયગાળા માટે આ કરાર કર્યો છે. એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચેનો આ કરાર 10 ફેબ્રુઆરી, 2022થી 9 ફેબ્રુઆરી, 2024 સુધીની સ્થાનિક ફ્લાઇટ્સ પર જ લાગુ થશે.

કામની વાત: ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો બીજી કંપનીની ફ્લાઇટમાં કરી શકશો મુસાફરી, Air India અને Air Asia વચ્ચે થયો મોટો કરાર
Air india (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 8:44 PM
Share

પ્લેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હા, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા (Air India) અને એર એશિયા (Air Asia) વચ્ચે સમજૂતી થઈ છે. આ કરાર હેઠળ એર ઈન્ડિયાની ટિકિટ ખરીદનારા મુસાફરો એર એશિયાની ફ્લાઈટમાં ઉડાન ભરી શકશે, તેવી જ રીતે એર એશિયાની ટિકિટ ખરીદનારા લોકો એર ઈન્ડિયાના વિમાનમાં ઉડી શકશે. બંને એરલાઈન્સ વચ્ચેના આ મહત્વપૂર્ણ અને મોટા કરારથી મુસાફરોને મોટી રાહત મળશે અને જો સેવાઓમાં કોઈ સમસ્યા હશે તો તેઓ અન્ય એરલાઈન્સ કંપનીની ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો આ બંને કંપનીઓની કોઈપણ ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો તે ફ્લાઈટના મુસાફરો એર ઈન્ડિયા અથવા એર એશિયાની અન્ય ઉપલબ્ધ ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે.

ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો મુસાફરોને વધુ મુશ્કેલી નહીં પડે

એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચેના આ કરાર હેઠળ જો ફ્લાઈટમાં કોઈ સમસ્યા ઉભી થશે તો બંને કંપનીઓ મુસાફરોને તેમની ફ્લાઈટમાં મુસાફરી કરાવશે. તમને જણાવી દઈએ કે ફ્લાઈટમાં કોઈ પણ પ્રકારની સમસ્યામાં વિલંબ થવાને કારણે મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક સમસ્યા એટલી જટિલ હોય છે કે ફ્લાઈટને જ કેન્સલ કરવી પડે છે. આ કરારથી મુસાફરોને આટલી મોટી સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચે બે વર્ષનો કરાર

અહેવાલો અનુસાર બંને એરલાઈન્સે આ કરાર બે વર્ષના સમયગાળા માટે કર્યો છે. એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચેનો આ કરાર 10 ફેબ્રુઆરી, 2022થી 9 ફેબ્રુઆરી, 2024 સુધીની સ્થાનિક ફ્લાઈટ્સ પર જ લાગુ થશે. તમને જણાવી દઈએ કે બંને કંપનીઓ વચ્ચેનો આ કરાર IROPS વ્યવસ્થા છે. આ વ્યવસ્થા હેઠળ જ્યારે કોઈ કંપનીની ફ્લાઇટના સંચાલનને લગતી સમસ્યા હોય છે, ત્યારે તેઓ તેમના મુસાફરોની ટિકિટને અન્ય કંપનીની ફ્લાઈટમાં ટ્રાન્સફર કરે છે.

જણાવી દઈએ કે એર ઈન્ડિયા અને એર એશિયા બંને ટાટા ગ્રુપનો હિસ્સો છે. ટાટાએ તાજેતરમાં સરકાર પાસેથી એર ઈન્ડિયા ખરીદીને કામગીરી શરૂ કરી છે, જ્યારે ટાટા ગ્રુપ એર એશિયા ઈન્ડિયામાં 83.67 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો : Corona Virus: દેશમાં કોરોનાના આંકડા સતત ઘટી રહ્યા છે, એક દિવસમાં 50,407 નવા કેસ સામે આવ્યા, 1.36 લાખ લોકો થયા રિકવર

આ પણ વાંચો : Unnao Murder Case: ઉન્નાવ હત્યા કેસમાં રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કહ્યું- ઉત્તર પ્રદેશમાં આ નવું નથી, ભાજપ જવાબ આપે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">