Air India Handover: મહારાજાની ઘરવાપસી, Tata ગ્રૂપને સત્તાવાર રીતે સોંપાઈ એર ઈન્ડિયાની કમાન

આખરે એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને સોંપવામાં આવી (Air India handover to Tata Group). આ સાથે એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

Air India Handover: મહારાજાની ઘરવાપસી, Tata ગ્રૂપને સત્તાવાર રીતે સોંપાઈ એર ઈન્ડિયાની કમાન
Air india handover to Tata group officially completed (Representational Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 5:33 PM

આખરે એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને સોંપવામાં આવી (Air India handover to Tata Group). આ સાથે એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. DIPAM સેક્રેટરી તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયામાં સરકારનો સમગ્ર હિસ્સો ટાટા સન્સની પેટાકંપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડ (Talace Pvt Ltd)ને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હવેથી એર ઈન્ડિયાના નવા માલિક ટાટા ગ્રુપ છે. આ અવસર પર ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને(N Chandrasekhran) કહ્યું કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એર ઈન્ડિયાની વાપસીથી અમે ઘણા ખુશ છીએ. હવે અમારો ધ્યેય આ એરલાઇનને વર્લ્ડ ક્લાસ બનાવવાનો છે.

ANIના અહેવાલ મુજબ, મહારાજાનું પદ સંભાળતાની સાથે જ ટાટા ગ્રુપ એર ઈન્ડિયાના અંતમાં લતીફીના ડાઘને ધોઈ નાખશે. ટાટા ગ્રુપનો પહેલો પ્રયાસ એ હશે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ સમયસર ચાલે.આ સિવાય અન્ય ઘણા ફેરફારો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં બેઠક વ્યવસ્થા તેમજ કેબિન ક્રૂનો ડ્રેસ કોડ બદલવાનો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપનો બિઝનેસ હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ છે. આવી સ્થિતિમાં એર ઈન્ડિયાના મુસાફરોને સારી ગુણવત્તાનું ભોજન પણ મળી શકશે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

એર ઈન્ડિયાના અધિકારીના જણાવ્યા અનુસાર હવે એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સમાં રતન ટાટાનો વોઈસ રેકોર્ડ વગાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2021માં ટાટા ગ્રુપે એર ઈન્ડિયામાં 18000 કરોડમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ બિડ ટાટા સન્સની સબસિડિયરી કંપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી.

પીટીઆઈના અહેવાલ મુજબ, એસબીઆઈના નેતૃત્વમાં બેંકોનું એક સંઘ એર ઈન્ડિયાના સંચાલન માટે ટાટા ગ્રુપને લોન આપશે. કન્સોર્ટિયમમાં SBI, PNB, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. આ કન્સોર્ટિયમ ટાટા ગ્રુપને ટર્મ લોન તેમજ વર્કિંગ કેપિટલ લોન આપશે. ટાટા ગ્રુપની પેટાકંપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડે 8 ઓક્ટોબર 2021ના રોજ એર ઈન્ડિયાને 18000 કરોડમાં ખરીદી હતી.

આ પણ વાંચો:

ભારત-મધ્ય એશિયા સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા અફઘાનિસ્તાનની ઘટનાથી ચિંતિત

આ પણ વાંચો:

5G Lawsuit : દિલ્હી હાઈકોર્ટની જુહી ચાવલાને રાહત, પેનલ્ટી 20 લાખથી ઘટાડીને 2 લાખ કરાઈ

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">