Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unnao Murder Case: ઉન્નાવ હત્યા કેસમાં રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કહ્યું- ઉત્તર પ્રદેશમાં આ નવું નથી, ભાજપ જવાબ આપે

કેસમાં હત્યારાનો સંબંધ સમાજવાદી પાર્ટીના નેતા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવનું (Akhilesh Yadav) નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે, તેની સાથે સમાજવાદી પાર્ટીના (SP) નેતાનું નામ જોડવામાં આવી રહ્યું છે. તેમને ગુજરી ગયાને 4 વર્ષ થઈ ગયા છે.

Unnao Murder Case: ઉન્નાવ હત્યા કેસમાં રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કહ્યું- ઉત્તર પ્રદેશમાં આ નવું નથી, ભાજપ જવાબ આપે
priyanka gandhi (file image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 1:10 PM

ઉન્નાવ હત્યા કેસમાં (Unnao Murder Case) હવે રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પણ મેદાનમાં ઉતર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ (Tweet) કરીને કહ્યું કે, ઉન્નાવમાં જે થયું તે ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) નવું નથી. દલિત બાળકીની માતા પોતાની પુત્રીને શોધવા માટે ઓફિસોના ચક્કર લગાવતી રહી, આખરે તેને તેની પુત્રીની લાશ મળી. વહીવટીતંત્રે તેમની વાત સાંભળી નહીં. આ મુદ્દે રાજનીતિ કરવાને બદલે ભાજપે (BJP) જવાબ આપવો જોઈએ કે વહીવટીતંત્ર જાન્યુઆરીથી તે માતાને કેમ દોડાવતું રહ્યું? આ દીકરીની માતાની આજીજી કોણે ન સાંભળી?

અન્ય એક ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ CMને ટેગ કરીને કહ્યું કે ‘ યોગી આદિત્યનાથજી, તમારા ભાષણોમાં કાયદો અને વ્યવસ્થાની વાત કરવાનું બંધ કરો. તમારા વહીવટમાં મહિલાઓને ન્યાય માટે ઘરે-ઘરે ભટકવું પડે છે. જ્યારે મહિલાઓ પર અત્યાચાર થાય છે, ત્યારે તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી. મહિલાઓ પર ત્રાસ ગુજારવામાં આવે છે અને તેમની હત્યા કરવામાં આવે છે અને તમે ખોટા દાવાઓમાં વ્યસ્ત છો.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

આરોપીનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યો છે

સાથે જ હત્યારાનો સંબંધ સમાજવાદી પાર્ટીના નેતા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે તેની સાથે સમાજવાદી પાર્ટીના નેતાનું નામ જોડવામાં આવી રહ્યું છે. તેમને ગુજરી ગયાને 4 વર્ષ થઈ ગયા છે. અખિલેશ યાદવે ANI સાથેની વાતચીતમાં કહ્યું કે, જે લોકો SPમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમનું 4 વર્ષ પહેલા અવસાન થયું હતું. આખરે પોલીસને તેમને શોધવામાં આટલા દિવસો કેમ લાગ્યા? પોલીસ આ પહેલા પણ કડક કાર્યવાહી કરી શકી હોત. મૃતક બાળકીની માતા જે પણ માંગણી કરી રહી છે, તે પૂરી થવી જોઈએ.

SPએ કહ્યું- CM યોગી જવાબદાર છે

આ પહેલા સમાજવાદી પાર્ટીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભાજપના શાસનમાં અન્યાય હેઠળ ઉન્નાવમાં દીકરી પર જઘન્ય અપરાધ કરવામાં આવ્યો હતો. દલિત પુત્રીની હત્યા માટે સીએમ જવાબદાર છે. હત્યારાને એસપી સાથે કોઈ લેવાદેવા નથી. મિશન શક્તિનો પ્રચાર કરતી સરકારમાં પુત્રીની અરજી સાંભળવામાં આવી ન હતી. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના. ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ.

બીજી તરફ ઉન્નાવ પોલીસના ASP શશિ શેખર સિંહે જણાવ્યું કે, 8 ડિસેમ્બરે એક છોકરી ગુમ થયાની જાણ થઈ હતી. તેના આધારે અમે FRI નોંધી છે. અમે એક શંકાસ્પદની ધરપકડ કરી છે અને તેના આધારે અમને ગુરુવારે મૃતદેહ મળ્યો હતો.

આ પણ વાંચો: UP News : દહેજમાં આપવામાં આવેલી રકમની નોટોનું પ્રદર્શન કરતો વીડિયો વાયરલ, બુમો પાડી પાડી કરાયું પ્રદર્શન

આ પણ વાંચો: UP Good News: યોગી સરકાર 55 લાખથી વધુ લોકોના ખાતામાં 1500 રૂપિયા મોકલશે, જાણો શું છે સમગ્ર મામલો

g clip-path="url(#clip0_868_265)">