AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: દેશમાં કોરોનાના આંકડા સતત ઘટી રહ્યા છે, એક દિવસમાં 50,407 નવા કેસ સામે આવ્યા, 1.36 લાખ લોકો થયા રિકવર

ભારતમાં કોરોના વાયરસની (Coronavirus in India) સંખ્યા સતત ઘટી રહી છે. તાજેતરના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 50,407 નવા કેસ નોંધાયા છે.

Corona Virus: દેશમાં કોરોનાના આંકડા સતત ઘટી રહ્યા છે, એક દિવસમાં 50,407 નવા કેસ સામે આવ્યા, 1.36 લાખ લોકો થયા રિકવર
Corona cases figures in the country (Image-PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 1:15 PM
Share

ભારતમાં એક દિવસમાં કોરોના વાઈરસના (Coronavirus India) 50,407 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1,36,962 રિકવરી પણ નોંધાઈ છે. તાજેતરના આંકડા જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દરરોજ 804 મૃત્યુ (Daily Covid Death) નોંધાયા છે. જેના કારણે કુલ મૃતકોની સંખ્યા 5,07,981 થઈ ગઈ છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 6,10,443 છે, જે કુલ કેસના 1.43 ટકા છે. દૈનિક પોઝિટિવિટી દર 3.48 ટકા (India Positivity Rate) છે તેમજ રસીકરણની સંખ્યા વધીને 1,72,29,47,688 થઈ ગઈ છે.

જેમ જેમ કોરોના વાઈરસના કેસ ઘટી રહ્યા છે તેમ તેમ રાજ્યો તેને નિયંત્રિત કરવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોને ઘટાડી રહ્યા છે. સિક્કિમે શુક્રવારે એક આદેશ જારી કરીને બજારો, દુકાનો અને અન્ય વ્યવસાયોને સામાન્ય રીતે કામ કરવા જણાવ્યું હતું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સામાજિક, રાજકીય, ધાર્મિક અને રમતગમત સંબંધિત મેળાવડા પર હવે કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

મધ્યપ્રદેશ સરકારે રાત્રિ કર્ફ્યુ સિવાયના તમામ કોવિડ પ્રતિબંધો હટાવવાનો પણ નિર્ણય લીધો છે. શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવામાં આવી છે અને તમામ સામાજિક, વ્યાપારી, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો પરના પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવવામાં આવ્યા છે.

કેરળમાં સૌથી વધુ મૃત્યુ

કોરોના વાયરસના કારણે મૃત્યુના મામલામાં કેરળ દેશમાં સૌથી આગળ છે. અહીં એક દિવસમાં 241 મૃત્યુ નોંધાયા છે. કેરળ પછી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 મૃત્યુ થયા છે. આ પછી કર્ણાટકમાં 41 મૃત્યુ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં 12, ગુજરાતમાં 14 અને ઓડિશામાં 20, તમિલનાડુમાં 25 અને ઉત્તર પ્રદેશમાં 27 મૃત્યુ નોંધાયા છે.

કેરળ પ્રતિબંધોને હળવા કરી રહ્યું છે

કેરળમાં મૃત્યુઆંક સૌથી વધુ છે, તેમ છતાં સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. કેરળે કોવિડ પ્રતિબંધોને વધુ હળવા કર્યા અને અલુવા શિવરાત્રી, મૈરામોન સંમેલન અને અટ્ટુકલ પોંગલા સહિત રાજ્યમાં મુખ્ય ધાર્મિક તહેવારો અને કાર્યક્રમોમાં 1,500 લોકોને હાજરી આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Coronavirus: કોરોનાએ ત્રીજા લહેરમાં યુવાનોને બનાવ્યા સૌથી વધુ શિકાર ! સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: Corona Vaccination Update: ભારતમાં રસીકરણનો આંકડો 172 કરોડને પાર, 24 કલાકમાં 43 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">