જાણો, રેલવેના ખાનગીકરણમાં પ્રાઈવેટ કંપનીઓ શા માટે રસ નથી દાખવી રહી

રેલવેના ખાનગીકરણની પ્રક્રિયા હેઠળ માત્ર 2 કંપનીઓએ નાણાકીય બિડિંગમાં રસ દર્શાવ્યો હતો, જેમાંથી એક IRCTC છે. એવું માનવામાં આવે છે કે રેલવેની કેટલીક કડક શરતોને કારણે ખાનગી રોકાણકારો રસ દાખવતા નથી.

જાણો, રેલવેના ખાનગીકરણમાં પ્રાઈવેટ કંપનીઓ શા માટે રસ નથી દાખવી રહી
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 12:05 PM

Private Trains : કેન્દ્ર સરકાર રેલવેના ખાનગીકરણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ તેને યોગ્ય ખરીદનાર કોઈ મળી રહ્યું નથી. રેલવેએ તેના 30 હજાર કરોડના ખાનગીકરણના મેગા પ્લાનને ફરી ચકાસવાનો નિર્ણય કર્યો છે. રેગ્યુલેટરનું ન હોવું, નિશ્ચિત વહન ખર્ચ, આવક વહેંચણી માટેનું બિઝનેસ મોડલ, રૂટ ફ્લેક્સિબિલિટી  જેવી કેટલીક સમસ્યાઓ છે જેના કારણે ખરીદવા માટે કોઈ વધારે રસ દાખવતું નથી.

ખાનગીકરણ અંગે રેલવે દ્વારા જુલાઈ 2020 માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આરએફક્યુ (લાયકાત માટેની અરજી) હેઠળ, જે પ્રારંભિક તબક્કો છે, ઓક્ટોબર 2020 સુધી 15 કંપનીઓ પાસેથી 12 ક્લસ્ટરો માટે 120 અરજીઓ પ્રાપ્ત થઈ હતી.

મેઘા ​​એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, સાઈનાથ સેલ્સ એન્ડ સર્વિસીસ, આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈઆરસીટીસી, જીએમઆર હાઈવે, વેલસ્પન એન્ટરપ્રાઈઝ, ગેટવે રેલ ફ્રેઈટ લિમિટેડ, ક્યુબ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મલેમપટિ પ્રાઈવેટ લિમિટેડ, એલ એન્ડ ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરકે એસોસિએટ્સ એન્ડ હોટેલિયર, Construcciones y Auxiliar de Ferrocarrriles, S.A, PNC Infra tech, Arvind Aviation અને BHEL તરફથી પ્રાઈવેટ ટ્રેનને લઈને અરજીઓ મળી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

 જુલાઈ 2021 માં શરૂ થયું ફાઈનાન્શીયલ બિડિંગ

એક મીડીયા રિપોર્ટ અનુસાર, રેલવેએ ફેબ્રુઆરી 2021 સુધીમાં ક્લસ્ટરને વિભાજીત કરવાની યોજના બનાવી હતી. કોરોનાને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને માત્ર બે કંપનીઓએ ફાઈનાન્શીયલ બિડિંગમાં ભાગ લીધો હતો. જુલાઈ 2021 માં, રેલવેએ ફાઈનાન્શીયલ બિડિંગ ખોલ્યું. ખાનગી ટ્રેન માટે માત્ર મેઘા એન્જિનિયરિંગ અને IRCTC દ્વારા ફાઈનાન્શીયલ બિડ રજૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે રેલવે ફરી ટેન્ડર બહાર પાડી શકે છે. આની મદદથી નવા રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે.

151 ખાનગી ટ્રેનો દોડાવવામાં આવશે

જુલાઈ 2020 માં રેલવે દ્વારા ખાનગી ટ્રેનો માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રેલવે 109 જોડી રૂટ પર ખાનગી ટ્રેનો ચલાવવા માંગે છે. આ માટે 151 ખાનગી ટ્રેનો દોડાવવામાં આવશે. 109 રૂટ 12 ક્લસ્ટરમાં વહેંચાયેલું છે. ખાનગી ટ્રેનોની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાક હશે. દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હશે. એવું માનવામાં આવે છે કે તેના દ્વારા રેલવેને 30 હજાર કરોડનું રોકાણ મળશે. ખાનગીકરણને લગતી સૌથી મહત્વની શરત એ છે કે તમામ ખાનગી ટ્રેનો ભારતમાં બનવી જોઈએ.

રેલવે ઘણા પ્રકારના ચાર્જ વસૂલશે

રેવન્યુ મોડલની વાત કરીએ તો, ખાનગી કંપનીઓએ રેલવેને ફિક્સ ચાર્જ અથવા હોલેજ ચાર્જ, એનર્જી ચાર્જ અને કેટલાક અન્ય પ્રકારના ચાર્જ ચૂકવવા પડશે. આ સિવાય કુલ આવકમાં પણ રેલવેની ભાગીદારી હશે. રેલવે અને ખાનગી ખેલાડીઓ વચ્ચે કરાર હેઠળ, મુક્તિનો સમયગાળો 35 વર્ષનો રહેશે. એવું માનવામાં આવે છે કે વિવિધ ચાર્જીસ અને આવક વહેંચણી મોડેલને કારણે ખાનગી કંપનીઓ રસ દાખવી રહી નથી.

આ પણ વાંચો :  ગરીબો માટે પીએમ મોદીએ લોન્ચ કરી ફ્રી ગેસ કનેક્શનની યોજના, એક અઠવાડીયામાં મળી 60 લાખ અરજી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">