AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi ની આ યોજનાએ રેકોર્ડબ્રેક 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન આપી

આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા આવક કરવાના છે. તેમણે કહ્યું કે આ યોજનાએ ખાસ કરીને નાના ઉદ્યોગો માટે સક્ષમ વાતાવરણ ઉભું કરવામાં અને પાયાના સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી કરવામાં મદદ કરી છે.

PM Narendra Modi ની આ યોજનાએ રેકોર્ડબ્રેક 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન આપી
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 11:25 AM
Share

નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે સાત વર્ષ પહેલા શરૂ થયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. PMMY નોન-કોર્પોરેટ અને નોન-ફાર્મ નાના અથવા સૂક્ષ્મ સાહસોને રૂ. 10 લાખ સુધીની લોન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)દ્વારા 8 એપ્રિલ 2015 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ લોન ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. પ્રથમ શ્રેણી શિશુ છે જેમાં 50,000 રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. બીજી શ્રેણી કિશોર છે જેમાં 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે અને ત્રીજી શ્રેણી તરુણ છે જેમાં 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

નાણામંત્રીનું નિવેદન

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ યોજનાની સાતમી વર્ષગાંઠ પર કહ્યું હતું કે નોંધનીય છે કે આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા આવક કરવાના છે. તેમણે કહ્યું કે આ યોજનાએ ખાસ કરીને નાના ઉદ્યોગો માટે સક્ષમ વાતાવરણ ઉભું કરવામાં અને પાયાના સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી કરવામાં મદદ કરી છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ મંજૂર કરાયેલા લોન ખાતાઓમાં 68 ટકા મહિલાઓના છે અને 22 ટકા લોન એવા નવા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવી છે જેમણે તેની શરૂઆતથી કોઈ લોન લીધી નથી.

તેમણે તમામ લાભાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી અને અન્ય સંભવિત ઋણધારકોને આગળ આવવા અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં ભાગ લેવા વિનંતી કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે અત્યાર સુધી મંજૂર થયેલી કુલ લોનમાંથી 51 ટકા SC, ST અને OBC કેટેગરીની છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના સામાજિક ન્યાયનું પ્રતીક છે અને તે PM દ્વારા કલ્પના કરાયેલ ‘સબકા સાથ સબકા વિકાસ’ની સાચી ભાવનાનું પ્રતીક છે.

જાણો યોજના વિશે

PMMY યોજના હેઠળ, આવક પેદા કરવાની પ્રવૃત્તિઓમાં રોકાયેલા નવા ઉદ્યોગસાહસિકો અને ખેડૂતોને રૂ. 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ લોન PMMY હેઠળ સભ્ય સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે જેમ કે અનુસૂચિત વાણિજ્યિક બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, નાની ફાઇનાન્સ બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ, કોઈપણ કોલેટરલ વગર લાભ અપાય છે. આ લોન ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. પ્રથમ શ્રેણી શિશુ છે જેમાં 50,000 રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. બીજી શ્રેણી કિશોર છે જેમાં 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે અને ત્રીજી શ્રેણી તરુણ છે જેમાં 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

આ પણ વાંચો : Super Mechanic Contest: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘TV9 નેટવર્ક સુપર મિકેનિક કોન્ટેસ્ટ’માં ભાગ લીધો, કાર્યક્રમ વિશે આ કહ્યું

આ પણ વાંચો : Forex Reserves: વિદેશી મુદ્રા ભંડારમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">