Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Awas Yojana: સરકારી યોજના હેઠળ ઘર બનાવવા માટે ત્રણ ગણી વધુ રકમ મળી શકે છે, જાણો શું છે સરકારી યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભારતના કોઈપણ શહેરમાં મકાન ખરીદવા માટે આ સબસિડી આપવામાં આવે છે. આ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેનો હેતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સસ્તા મકાનો પૂરા પાડવાનો છે.

PM Awas Yojana: સરકારી યોજના હેઠળ ઘર બનાવવા માટે ત્રણ ગણી વધુ રકમ મળી શકે છે, જાણો શું છે સરકારી યોજના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 9:55 AM

જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે આ ખાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે એટલે કે પહેલાથી ત્રણ ગણી રકમ મળશે. સમિતિએ કહ્યું છે કે હવે મકાનો બનાવવાનો ખર્ચ વધી ગયો છે. તે કિસ્સામાં, રકમ પણ હવે વધારવી જોઈએ. જો આ પ્રસ્તાવ પર સહમતિ થશે તો લોકોને પીએમ આવાસ યોજના હેઠળ પહેલા કરતા 3 ગણા વધુ પૈસા મળશે. ચાલો જાણીએ શું છે આ પ્રસ્તાવમાં…

પીએમ આવાસ યોજના(PM Awas Yojana)ના લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયા આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. સમિતિ માને છે કે હવે મકાનો બનાવવાની કિંમત વધી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો હવે લોકોને પીએમ આવાસ હેઠળ પહેલા કરતા 3 ગણા વધુ પૈસા મળશે.

શું પીએમ આવાસ યોજનાની રકમમાં વધારો થશે? ઝારખંડ વિધાનસભાની અંદાજ સમિતિએ રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવવા માટે ચાર લાખ રૂપિયાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ દીપક બિરુઆએ સમિતિનો અહેવાલ ગૃહના ટેબલ પર મૂક્યો હતો. JMMના ધારાસભ્ય દીપક બિરુઆ કહે છે કે દરેક વસ્તુની કિંમતમાં વધારો થયો છે. રેતી, સિમેન્ટ, સળિયા, ઇંટોના મોંઘવારીના કલર મોંઘા થયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવતા મકાનોની કિંમત વધી છે.

ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આગ્રહ કરાયો બિરુઆએ કહ્યું કે બીપીએલ પરિવારો તેમની બાજુથી 50 હજારથી એક લાખ રૂપિયા આપવા સક્ષમ નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલતી પીએમ આવાસ યોજના અંતર્ગત બનતા મકાનોની કિંમત 1.20 લાખ રૂપિયાથી વધારીને 4 લાખ રૂપિયા કરવી જોઈએ, જેથી ઘરો વ્યવહારીક બનાવી શકાય અને લોકો આગળ વધે તે માટે આ જરૂરી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે રાજ્યની સરકાર રાજ્યનો હિસ્સો વધારવા પર વિચાર કરી શકે છે. ધારાસભ્યો વૈદ્યનાથ રામ, નારાયણ દાસ, લંબોદર મહતો અને અંબા પ્રસાદ અંદાજ સમિતિમાં સભ્યો તરીકે હાજર રહ્યા હતા.

શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના? પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભારતના કોઈપણ શહેરમાં મકાન ખરીદવા માટે આ સબસિડી આપવામાં આવે છે. આ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેનો હેતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સસ્તા મકાનો પૂરા પાડવાનો છે. આ અંતર્ગત પ્રથમ વખત ઘર ખરીદનારાઓને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. મતલબ કે જો તમે લોન પર ઘર ખરીદી રહ્યા છો તો હોમ લોન પર સબસિડી મળે છે.

કોને મળે છે લાભ ? આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલીક શરતો આપવામાં આવી છે. સૌ પ્રથમ જે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેના નામે કોઈ ઘર ન હોવું જોઈએ. બીજી બાજુ જો તમે પહેલાથી સબસિડી લઈ રહ્યા છો, તો તમને અન્ય હોમ લોન પર સબસિડી નહીં મળે. જો તમે પરિણીત દંપતી છો તો પછી તમે સંયુક્ત હોમ લોન પર સબસિડી લઈ શકો છો પરંતુ માત્ર એક જ સબસિડી મળશે.

આ પણ વાંચો :  શું તમે પ્રોપર્ટીના રોકાણ કરવા વિચારી રહ્યા છો? ખરીદી પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો ચોક્કસ લાભમાં રહેશો

આ પણ વાંચો :  આપણાં આ પાડોશી દેશમાં આર્થિક સંકટના ભણકારા, તેલ ખરીદવા પણ પૈસા નથી! ભારત પાસે 50 કરોડ ડોલરની માંગી લોન

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">