મોટી ઈ-કોમર્સ કંપનીઓ નહીં કરી શકે નાના દુકાનદારોનું નુકસાન, આ માટે સરકારે બનાવ્યો જબરદસ્ત પ્લાન

સરકાર હવે સોશિયલ મીડિયા કંપનીઓની જેમ ઈ-કોમર્સ કંપનીઓમાં ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા અંગે વિચારી રહી છે.

મોટી ઈ-કોમર્સ કંપનીઓ નહીં કરી શકે નાના દુકાનદારોનું નુકસાન, આ માટે સરકારે બનાવ્યો જબરદસ્ત પ્લાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 10:43 PM

દેશના નાના વેપારીઓ, ખાસ કરીને છૂટક વેપારીઓ, હંમેશા ડરતા રહ્યા છે કે ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીઓના કારણે તેમનો વ્યવસાય ધીમો થઈ ગયો છે. દેશના વેપારી સંગઠનો તેનો સતત વિરોધ કરી રહ્યા છે. આ માટે વેપારી સંગઠનોએ સરકારને પણ અપીલ કરી છે પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે દેશના નાના દુકાનદારોને ઈ-કોમર્સ કંપનીઓના કારણે કોઈ મુશ્કેલી ભોગવવી નહીં પડે. હકીકતમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર ગ્રાહકો અને નાના દુકાનદારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. સરકારે ખાતરી પણ આપી છે કે આ બાબતે નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

લોકસભામાં  કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) માહિતી આપતા જણાવ્યું છે કે સરકાર સતત ઈ-કોમર્સ નિયમો પર નજર રાખી રહી છે અને સરકાર નિયમોને વધારે કડક કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દરમિયાન સરકાર હવે સોશિયલ મીડિયા કંપનીઓની જેમ ઈ-કોમર્સ કંપનીઓમાં ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા અંગે વિચારી રહી છે.

મહત્વના પગલા લેવામાં આવ્યા

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે સરકારે ઈ-કોમર્સ કંપનીઓની મનમાનીને રોકવા માટે ઘણા પગલાં લીધા છે. ગોયલે કહ્યું કે દેશમાં આ મુદ્દે ભારે ચિંતા પ્રવર્તી રહી છે. પીયૂષ ગોયલે આ બાબતે ગૃહમાં સ્પષ્ટ કહ્યું છે કે વડાપ્રધાન મોદીની સૂચના છે કે ગ્રાહક સુરક્ષિત રહે અને નાના દુકાનદારોને તકલીફ ન પડે. ગોયલે કહ્યું કે સરકાર નિયમોને લઈને ખૂબ જ ગંભીર છે.

શું છે ઘટના 

ઈ-કોમર્સ કંપનીઓ વધુ નફો મેળવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે. જેનો દેશના વેપારી સંગઠનો દ્વારા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમો હેઠળ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ પર નોંધાયેલા વિક્રેતાઓ વચ્ચેના તમામ પ્રકારના કરાર પારદર્શક રીતે જાહેર કરવા જોઈએ.

જેમાં વેચનાર અને પ્રોડક્ટ્સ વિશેની તમામ માહિતી ગ્રાહક સમક્ષ જાહેર કરવી જોઈએ. વધુમાં જણાવ્યું કે ઈ-કોમર્સ માર્કેટપ્લેસ દ્વારા ઉપયોગમાં લેવાતા સર્ચ અલ્ગોરિધમમાં પણ પારદર્શિતા હોવી જોઈએ.

દેશના વ્યાપારી થયા એકજૂટ

ઈ-કોમર્સ કંપનીઓની મનમાની રોકવા માટે દેશના વેપારીઓએ મોરચો ખોલ્યો છે. આ વેપારીઓનો આરોપ છે કે મોટી સંખ્યામાં ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને છેતરી રહી છે, તેમજ બીજી બાજુ સરકારે બનાવેલા નિયમોનો ઉલાળ્યો કરી રહી છે.

આ પણ વાંચો : TET 2021 Registration: TET 2021 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આવી રીતે કરો અરજી

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">