AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટી ઈ-કોમર્સ કંપનીઓ નહીં કરી શકે નાના દુકાનદારોનું નુકસાન, આ માટે સરકારે બનાવ્યો જબરદસ્ત પ્લાન

સરકાર હવે સોશિયલ મીડિયા કંપનીઓની જેમ ઈ-કોમર્સ કંપનીઓમાં ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા અંગે વિચારી રહી છે.

મોટી ઈ-કોમર્સ કંપનીઓ નહીં કરી શકે નાના દુકાનદારોનું નુકસાન, આ માટે સરકારે બનાવ્યો જબરદસ્ત પ્લાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 10:43 PM
Share

દેશના નાના વેપારીઓ, ખાસ કરીને છૂટક વેપારીઓ, હંમેશા ડરતા રહ્યા છે કે ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીઓના કારણે તેમનો વ્યવસાય ધીમો થઈ ગયો છે. દેશના વેપારી સંગઠનો તેનો સતત વિરોધ કરી રહ્યા છે. આ માટે વેપારી સંગઠનોએ સરકારને પણ અપીલ કરી છે પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે દેશના નાના દુકાનદારોને ઈ-કોમર્સ કંપનીઓના કારણે કોઈ મુશ્કેલી ભોગવવી નહીં પડે. હકીકતમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર ગ્રાહકો અને નાના દુકાનદારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. સરકારે ખાતરી પણ આપી છે કે આ બાબતે નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે.

લોકસભામાં  કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) માહિતી આપતા જણાવ્યું છે કે સરકાર સતત ઈ-કોમર્સ નિયમો પર નજર રાખી રહી છે અને સરકાર નિયમોને વધારે કડક કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દરમિયાન સરકાર હવે સોશિયલ મીડિયા કંપનીઓની જેમ ઈ-કોમર્સ કંપનીઓમાં ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા અંગે વિચારી રહી છે.

મહત્વના પગલા લેવામાં આવ્યા

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે સરકારે ઈ-કોમર્સ કંપનીઓની મનમાનીને રોકવા માટે ઘણા પગલાં લીધા છે. ગોયલે કહ્યું કે દેશમાં આ મુદ્દે ભારે ચિંતા પ્રવર્તી રહી છે. પીયૂષ ગોયલે આ બાબતે ગૃહમાં સ્પષ્ટ કહ્યું છે કે વડાપ્રધાન મોદીની સૂચના છે કે ગ્રાહક સુરક્ષિત રહે અને નાના દુકાનદારોને તકલીફ ન પડે. ગોયલે કહ્યું કે સરકાર નિયમોને લઈને ખૂબ જ ગંભીર છે.

શું છે ઘટના 

ઈ-કોમર્સ કંપનીઓ વધુ નફો મેળવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે. જેનો દેશના વેપારી સંગઠનો દ્વારા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમો હેઠળ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ પર નોંધાયેલા વિક્રેતાઓ વચ્ચેના તમામ પ્રકારના કરાર પારદર્શક રીતે જાહેર કરવા જોઈએ.

જેમાં વેચનાર અને પ્રોડક્ટ્સ વિશેની તમામ માહિતી ગ્રાહક સમક્ષ જાહેર કરવી જોઈએ. વધુમાં જણાવ્યું કે ઈ-કોમર્સ માર્કેટપ્લેસ દ્વારા ઉપયોગમાં લેવાતા સર્ચ અલ્ગોરિધમમાં પણ પારદર્શિતા હોવી જોઈએ.

દેશના વ્યાપારી થયા એકજૂટ

ઈ-કોમર્સ કંપનીઓની મનમાની રોકવા માટે દેશના વેપારીઓએ મોરચો ખોલ્યો છે. આ વેપારીઓનો આરોપ છે કે મોટી સંખ્યામાં ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને છેતરી રહી છે, તેમજ બીજી બાજુ સરકારે બનાવેલા નિયમોનો ઉલાળ્યો કરી રહી છે.

આ પણ વાંચો : TET 2021 Registration: TET 2021 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આવી રીતે કરો અરજી

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">