જેને નોકરી છોડવી હોય તે છોડે, મને કોઇ ચિંતા નથી : Elon Musk
એલોન મસ્કની તાનાશાહી બાદ હજારો લોકોએ ટ્વિટરની નોકરી માંથી રાજીનાનમું આપ્યુ છે, આ બાબત Twitter પર RIP Twitter ટ્રેન્ડ થઇ રહ્યુ, આની પ્રતિક્રિયા રુપે એલોન મસ્ક ટ્વિટ કર્યુ છે કે 'મને કોઇ ચિંતા નથી, જેને કામ કરવું હશે તે કંપનીમાં રહેશે.'
એલોન મસ્ક દ્વારા ટ્વિટરના કર્મચારીઓને અઠવાડિયામાં 80 કલાક કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય તમામ સવલતો પણ પાછી ખેંચી લેવામાં આવી છે અને આ તાનાશાહી તાત્કાલિક અસરથી ઓફિસમાં કામકાજમાં લાગુ કરી દેવામાં આવ્યું છે. ત્યારથી ટ્વિટર કર્મચારીઓના રાજીનામા ચાલુ થયા છે અને સેંકડો લોકોએ તેમની નોકરી છોડી દીધી છે. ત્યારથી ટ્વિટરના ભવિષ્યને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, એલોન મસ્કે કર્મચારીઓની નોકરી છોડી દેવા અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે સારા લોકો રહ્યા છે. હું ખાસ ચિંતિત નથી. ઈલોન મસ્કે ટ્વીટ કરીને આ વાત કહી છે.
ઇલોન મસ્કે ગુરુવારે જ કહ્યું હતું કે જેઓ હાર્ડકોર વર્ક કલ્ચરમાં કામ કરવા માટે તૈયાર નથી તેમને છોડવું પડશે. મસ્કની આ જાહેરાત બાદ ઘણા કર્મચારીઓએ બહાર નીકળવાનો માર્ગ પસંદ કર્યો હતો. આ કારણે ટ્વિટરે તેનું હેડક્વાર્ટર સોમવાર સુધી બંધ કરી દીધું છે. કર્મચારીઓના રાજીનામા બાદ ઈલોન મસ્કે વધુ એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ટ્વિટરનો ઉપયોગ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. ટ્વિટરના અધિગ્રહણ પછી, એલોન મસ્કએ ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેના માટે તેમની આકરી ટીકા થઈ રહી છે.
ટ્વિટર ખરીદ્યું ત્યારથી તેણે કંપનીમાંથી અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. જેના કારણે 7,500 લોકો પ્રભાવિત થયા છે. તેમણે તાત્કાલિક અસરથી વર્ક ફ્રોમ હોમ પોલિસી નાબૂદ કરી છે અને કામના કલાકો પણ વધાર્યા છે. ઈલોન મસ્કનું કહેવું છે કે કંપનીને નફાકારક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, એલોન મસ્કએ પણ વેરિફાઈડ યુઝર્સ પાસેથી દર મહિને $8ની ફી વસૂલવાનો નિર્ણય લીધો છે. તે કહે છે કે તે સબ્સ્ક્રિપ્શન ફીમાંથી આવકનો મોટો હિસ્સો એકત્ર કરવા માંગે છે.