AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New wage code : તમારા પગાર માળખામાં ફરી ફેરફાર થઈ શકે છે, હવે તમારી બેઝિક સેલેરી 50 ટકા નહિ હોય

નવો વેતન કોડ(New wage code) નવા લેબર કોડ(New Labour Code)ને લાગુ કરવાનો છે. આશા છે કે નવા નાણાકીય વર્ષમાં આનો અમલ થઈ શકે છે.

New wage code : તમારા પગાર માળખામાં ફરી ફેરફાર થઈ શકે છે, હવે તમારી બેઝિક સેલેરી 50 ટકા નહિ હોય
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 7:30 AM
Share

ગયા વર્ષના એપ્રિલથી નવા વેતન સંહિતા(New wage code)ની રાહ જોવાઈ રહી છે. તેની તારીખ ઘણી વખત બદલાઈ છે. 1લી એપ્રિલ 2021 પછી જુલાઈ 2021 અને ઓક્ટોબર 2021ની તારીખો મળ્યા પછી પણ તેનો અમલ થઈ શક્યો નથી. નવો વેતન કોડ(New wage code) નવા લેબર કોડ(New Labour Code)ને લાગુ કરવાનો છે. આશા છે કે નવા નાણાકીય વર્ષમાં આનો અમલ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ડ્રાફ્ટ ઇનપુટ પર ચર્ચા કરવામાં આવી રહી છે. દરમિયાન એવા સમાચાર છે કે નવા વેતન કોડ(New wage code)માં કેટલાક ફેરફારોની તૈયારી કરવામાં આવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર (Modi Government)નવા લેબર કોડમાં ફરી એકવાર પગાર માળખામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નવો લેબર કોડ 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે.

ભથ્થાના હિસ્સામાં ફેરફાર થઈ શકે છે

શ્રમ મંત્રાલય અને લેબર યુનિયન વચ્ચે ચર્ચા બાદ નવા ડ્રાફ્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવી શકે છે. અત્યાર સુધી જે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કુલ CTCનો 50% બેઝિક પગારમાં અને 50% ભથ્થામાં રાખવો જોઈએ. એવો અંદાજ હતો કે જોબનો ઇનહેન્ડ પગાર ઘણો ઓછો હોઈ શકે છે. સાથે જ ટેક્સનો બોજ વધી શકે છે. પરંતુ હવે આ માળખામાં થોડો ફેરફાર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવો વેતન સંહિતા લાગુ થતાં જ ભથ્થાનો ભાગ સીધો 50% પર રાખવામાં આવશે નહીં.

શું લાગુ પડી શકે છે ફેરફાર?

નવા વેતન કોડમાં નવો ફેરફાર એ હશે કે પ્રથમ વર્ષના ભથ્થાની મર્યાદા 70-75% રાખવામાં આવશે. જેમ કંપનીઓ હાલના માળખામાં કરે છે. પરંતુ તે ધીમે ધીમે 3 વર્ષમાં 50 ટકા સુધી ઘટાડવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો અમલીકરણના પ્રથમ વર્ષમાં 70% ભથ્થું અને 30% બેઝિક પગાર હશે. આ પછી 3 વર્ષમાં ભથ્થાનો હિસ્સો 50% અને બેઝિક પગાર વધારીને 50% કરવામાં આવશે.

છટણીથી કંપની બંધ કરવાના નિયમોમાં પણ ફેરફાર થશે

નવા લેબર કોડમાં છટણી અને કંપની બંધ થવા અંગેના નિયમો પણ છે. વર્તમાન પરિસ્થિતિમાં તેની મર્યાદા 300 કર્મચારીઓની હતી. જો કે આનો મજદૂર સંઘ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આમાં ફેરફાર થવાની શક્યતા છે. તેને 300 થી ઘટાડીને 100 કર્મચારીઓ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. ઔદ્યોગિક સંબંધો સંહિતા હેઠળ કર્મચારીઓની છટણી અથવા વ્યવસાય બંધ કરવા માટે 100 જેટલા કર્મચારીઓ ધરાવતી કંપનીઓ માટે સરકારની મંજૂરી જરૂરી છે.

આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ થયો, જાણો ક્યાં શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ

આ પણ વાંચો : Vedanta એ નફા પર 30 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી, કંપની કોર્પોરેટ માળખામાં ફેરફાર નહીં કરે

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
g clip-path="url(#clip0_868_265)">