SBIના ખાતેદારો માટે અગત્યના સમાચાર, જો તમે 10000 થી વધુ રોકડ ઉપાડી રહ્યા છો તો ATMના નવા નિયમ જાણો
વર્ષ 2020 માં SBI એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને OTP આધારિત ATM ટ્રાન્ઝેક્શનની સિસ્ટમ રજૂ કરી હતી. આ વખતે આ જ સિસ્ટમ રિફ્રેશ કરવામાં આવી છે અને વધુ સુરક્ષા પગલાં ઉમેરવામાં આવ્યા છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ રોકડ વ્યવહારને લઈને મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા છે. આ તે લોકો માટે છે જેઓ એટીએમમાંથી 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડી રહ્યા છે. આ નિયમ હેઠળ, જો તમે 10 હજારથી વધુ રકમ ઉપાડી રહ્યા છો, તો તેના માટે OTP લેવો પડશે. OTP ટ્રાન્ઝેક્શન સુરક્ષિત બનાવશે અને છેતરપિંડી માટે નહિવત અવકાશ બનાવશે.
Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#SBI #StateBankOfIndia #ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal pic.twitter.com/9EnJH883bx
— State Bank of India (@TheOfficialSBI) November 21, 2021
બેંકોના ટ્રાન્ઝેક્શનમાં વધી રહેલી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને આવા સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્ટેટ બેંકના ગ્રાહકો વિપુલ પ્રમાણમાં છે જેઓ આ OTP સુવિધાનો લાભ મેળવી શકશે. સ્ટેટ બેંક તેના ગ્રાહકો માટે સમયાંતરે આવી સેવાની જાહેરાત કરે છે જેથી કરીને તેમના વ્યવહારોને સુરક્ષિત અને સરળ બનાવી શકાય. OTP દ્વારા પૈસા ઉપાડવા પણ તેનો એક ભાગ છે. આ માટે, બેંકમાં નોંધાયેલ મોબાઇલ નંબર તમારી પાસે હોવો જોઈએ, જેના પર OTP આવશે. તમે OTP દ્વારા પૈસા ઉપાડી શકશો.
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે વર્ષ 2020 માં SBI એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને OTP આધારિત ATM ટ્રાન્ઝેક્શનની સિસ્ટમ રજૂ કરી હતી. આ વખતે આ જ સિસ્ટમ રિફ્રેશ કરવામાં આવી છે અને વધુ સુરક્ષા પગલાં ઉમેરવામાં આવ્યા છે. રોકડ ઉપાડતા પહેલા ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે જે ATM પર વેરિફાય કરવાનું રહેશે. જો આ ઓટીપી એટીએમમાં વેરિફાઈ નહીં થાય તો કેશ બહાર આવશે નહીં. તેથી રોકડ ઉપાડવા માટે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ તમારી સાથે રાખવાની જરૂર પડશે.
નિયમો માત્ર SBI ATMમાં જ કામ કરશે આ નિયમ ફક્ત SBI એટીએમ અથવા ડેબિટ કાર્ડ ધારકો માટે છે. જો તમારી પાસે અન્ય બેંક કાર્ડ છે અને તમે SBI ATMમાંથી પૈસા ઉપાડી રહ્યા છો તો OTPની જરૂર પડશે નહીં. જો તમે SBI કાર્ડ ધારક છો પરંતુ અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડી રહ્યા હોવ તો પણ તમે OTP સુવિધાનો લાભ લઈ શકશો નહીં. SBI કાર્ડની સાથે SBI પાસે ATM પણ હોવું જોઈએ. આ કિસ્સામાં OTP આધારિત ATM ટ્રાન્ઝેક્શન થશે.
ગ્રાહકો SBI ATM પર SBI કાર્ડમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરે છે કે તરત જ તેમના મોબાઈલ ફોન પર 4 અંકનો OTP આવશે. એટીએમમાં કાર્ડ નાખ્યા બાદ એક વિન્ડો ખુલશે જેમાં OTP દાખલ કરવાનો રહેશે. તેનાથી OTP વેરિફાય થશે અને ATMમાંથી પૈસા ઉપાડવામાં આવશે.
આ પણ વાંચો : Share Market : આજે શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 57,762 સુધી ઉપલા સ્તરે દેખાયો
આ પણ વાંચો : Tega Industries IPO : આજથી 3 દિવસ મળી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજના વિશે વિગતવાર