AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે? આ સરળ સ્ટેપ ફોલો કરી પૈસા પરત મેળવી શકાશે, જાણો વિગતવાર

જો તમારા ખાતામાં ભૂલથી પૈસા આવી ગયા છે, તો સૌથી પહેલા તમારી બેંકને તેની જાણ કરો. તમારી પાસે પાછા આવેલા પૈસાનો સ્ક્રીનશોટ રાખો. આ સાથે તમારી પાસે પાસ પ્રૂફ હશે કે તમે પૈસા પાછા આપી દીધા છે.

ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે? આ સરળ સ્ટેપ ફોલો કરી પૈસા પરત મેળવી શકાશે, જાણો વિગતવાર
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 7:41 AM
Share

આજકાલ મોટાભાગના વ્યવહારો ડિજિટલ રીતે થઈ રહ્યા છે, કારણ કે આ પદ્ધતિ સલામત અને સરળ છે, તેથી લોકોનો ચલણ આ દિશામાં વધ્યો છે, ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન જ્યારે બહાર જવું અને કામ કરવું સલામત નહોતું, તે દરમિયાન લોકોનો રસ આ તરફ વધારો થયો છે. આ પદ્ધતિ જેટલી સરળ છે એટલી જ સલામતી રાખવી પણ જરૂરી છે. હાલના દિવસોમાં આપણે જોઈએ છીએ કે છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે અથવા તો નેટવર્કના કારણે ઘણી વખત પૈસા ફસાઈ જવાની બાબતો સામે આવી રહી છે.

ઘણી વખત ઉતાવળને કારણે અથવા ફરીથી વિગતો ન તપાસવાને કારણે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો સમજી શકતા નથી કે શું કરવું જોઈએ અને શું નહીં. પરંતુ તે દરમિયાન ચિંતા કર્યા વિના તમારે કેટલાક મહત્વપૂર્ણ કામ કરવા પડશે. જેના કારણે તમે ખોટા ખાતામાં ગયેલા પૈસા પાછા પરત મેળવી શકો છો.

આ બાબતો ધ્યાનમાં રાખો 1. જો ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો સૌથી પહેલા તમારે તે ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ લેવો પડશે. આ પછી બેંકમાં જાઓ અને તેમને લેખિતમાં આ બાબતની માહિતી આપો. ધ્યાનમાં રાખો કે ફરિયાદ કરતી વખતે તમારે પુરાવા તરીકે કેટલીક વસ્તુઓ પણ જોડવી પડશે. તેથી જો તમે ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ લો છો, તો તમને ટ્રાન્ઝેક્શનની તારીખ, સમય, એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ નંબરની સંપૂર્ણ વિગતો મળશે જેમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થયા હતા.

2. આ સિવાય જે ખાતામાં ભૂલથી પૈસા ગયા છે તેની વિગતો પણ માંગી શકો છો. જો તમને બેંકમાંથી તે ખાતાધારકોનો નંબર મળે છે, તો તમે તેમને ફોન કરીને આ વિશે જાણ કરી શકો છો. અને તેમને રકમ પરત આપવા વિનંતી કરી શકે છે. જો લાભાર્થી આ માટે સંમત થાય છે તો તમારા ખાતામાંથી 7 કામકાજના દિવસોમાં રકમ પરત કરવામાં આવશે. અથવા લાભાર્થી ડાયરેક્ટ પણ તે પૈસા તમને પરત કરી શકે છે.

3. ઘણી વખત, વધારાના પૈસા ખાતામાં આવ્યા પછી, લોકો તેને પરત કરવામાં આનાકાની કરવા લાગે છે. આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત તમારી પાસે તમામ વિગતો રાખવાની છે, જે સાબિત કરે છે કે, તમારા પૈસા ભૂલથી કયા ખાતામાં ગયા છે. અને આ સિવાય તમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકો છો.

4. અમાન્ય એકાઉન્ટ નંબર અથવા ખોટો આઈએફએસસી કોડ દાખલ કરવાને કારણે ઘણી વખત તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, આ સ્થિતિમાં 7 દિવસની અંદર તમારા ખાતામાં પૈસા પાછા આવી જશે. પરંતુ જો તમને કોઈ પ્રકારનો ડર હોય તો તમે તમારી બેંક સાથે તેના વિશે વાત કરી શકો છો. આવી સ્થિતિમાં બેંક તમને જણાવશે કે તમને તમારા પૈસા કેવી રીતે અને ક્યારે પાછા મળશે.

5. જો તમને કોઈપણ એકાઉન્ટ નંબર પર શંકા હોય અથવા કોઈ મૂંઝવણ હોય તો પહેલા તે ખાતામાં થોડી રકમ મોકલીને તપાસો. આમ કરવાથી તમે આ સ્થિતિને થતા રોકી શકો છો અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. આ સિવાય, ટ્રાન્ઝેક્શન કરતી વખતે બધી વિગતોને બે વાર તપાસવાનું સુનિશ્ચિત કરો.

પૈસા પરત કરતી વખતે ધ્યાન રાખો જો તમારા ખાતામાં ભૂલથી પૈસા આવી ગયા છે, તો સૌથી પહેલા તમારી બેંકને તેની જાણ કરો. અથવા, જો તમને તે ખાતાધારકો તરફથી પણ કૉલ આવે છે, જેમના પૈસા તમારા ખાતામાં આકસ્મિક રીતે જમા થઈ ગયા છે, તો તમારી પાસે પાછા આવેલા પૈસાનો સ્ક્રીનશોટ રાખો. આ સાથે તમારી પાસે પાસ પ્રૂફ હશે કે તમે પૈસા પાછા આપી દીધા છે.

આ પણ વાંચો :  Income Tax Notice: આ કારણોસર તમને મળી શકે છે ઇન્કમ ટેક્સ નોટિસ, જાણો સમસ્યા ટાળવા માટે કેવી રીતે આપવો જવાબ

આ પણ વાંચો :  ડીસ્કોમ પર પાવર જનરેટીંગ કંપનીઓનું લેણું 1.13 લાખ કરોડને પાર, ગયા વર્ષની તુલનામાં થયો આટલો વધારો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">