AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Cylinder Price : ફેસ્ટિવલ સિઝનમાં Commercial Gas Cylinder પર મોટી રાહત અપાઈ, કિંમતમાં કેટલો ઘટાડો કરાયો?

30 ઓગસ્ટે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર(LPG gas cylinder)ની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર(commercial gas cylinder)નો ઉપયોગ કરતા લોકોને પણ મોટી રાહત મળી છે. IOCLની વેબસાઈટ અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને(commercial gas cylinder Price Cut) ઘટાડો થયો છે.

LPG Gas Cylinder Price : ફેસ્ટિવલ સિઝનમાં Commercial Gas Cylinder પર મોટી રાહત અપાઈ, કિંમતમાં કેટલો ઘટાડો કરાયો?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 6:53 AM
Share

30 ઓગસ્ટે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર(LPG gas cylinder)ની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર(commercial gas cylinder)નો ઉપયોગ કરતા લોકોને પણ મોટી રાહત મળી છે. IOCLની વેબસાઈટ અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને(commercial gas cylinder Price Cut) ઘટાડો થયો છે.

દિલ્હીથી ચેન્નાઈ સુધી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 150 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. બે મહિનાની વાત કરીએ તો 250 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોની સિઝનમાં રેસ્ટોરન્ટના માલિકો સાથે મીઠાઈ બનાવનારાઓને સૌથી વધુ ફાયદો થશે. આ ચીજોની કિંમતમાં ઘટાડો થી શકે છે.

સપ્ટેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર કેટલા સસ્તા થયા?

  • દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 157.5 રૂપિયાનો ઘટાડો થયો છે અને ગેસ સિલિન્ડરની કિંમત 1522.50 રૂપિયા થઈ ગઈ છે. ઓગસ્ટમાં તેની કિંમત 1680 રૂપિયા હતી.
  • કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 166.5 રૂપિયાનો ઘટાડો થયો છે, ત્યારબાદ તેની કિંમત ઘટીને 1636 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનામાં તેની કિંમત 1802.50 રૂપિયા હતી
  • મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 158.5 રૂપિયાનો ઘટાડો થયો છે અને કિંમત ઘટીને 1482 રૂપિયા થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનામાં તેની કિંમત રૂ.1640.50 હતી.
  • ચેન્નાઈમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 157.5 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની કિંમત 1695 રૂપિયા થઈ ગઈ છે. ઓગસ્ટમાં કિંમત 1852.50 રૂપિયા હતી.

બે મહિનામાં કિંમતમાં કેટલો ઘટાડો થયો?

  • જો બે મહિનાની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 257.5 રૂપિયાનો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં અહીં ભાવ રૂ.1780 હતા.
  • કોલકાતામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 259 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે જુલાઈ મહિનામાં અહીં ભાવ 1895 રૂપિયા હતા.
  • મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બે મહિનામાં 251 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે જુલાઈ મહિનામાં તેની કિંમત 1733 રૂપિયા હતી.
  • ચેન્નાઈમાં બે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જુલાઈ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂ.1945 હતી.

ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર

ઘરેલું ગેસ સિલિન્ડર(domestic gas cylinder)ની કિંમતમાં ફરી એકવાર સરકાર દ્વારા બદલાવ કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં સ્થાનિક એલપીજીની કિંમત રૂ. 903 છે. કોલકાતામાં એલપીજીની કિંમત રૂ.929 છે. મુંબઈમાં રૂ. 902.50 અને ચેન્નાઇમાં રૂ. 918.50. સરકારે 29 ઓગસ્ટની સાંજે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જે બાદ 30 ઓગસ્ટે નવા દરો લાગુ કરવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજના હેઠળ આવતા 10 કરોડથી વધુ લોકોને 400 રૂપિયાનો લાભ મળશે કારણ કે તેમને પહેલાથી જ 200 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">