AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund : Liquid Fundsમાં રોજે રોજ મળે છે વ્યાજ, જાણો શું છે liquid fund અને ક્યારે રોકાણ કરવુ જોઇએ

લિક્વિડ ફંડ્સ ડેટ ફંડ્સની જ એક કેટેગરી છે. લિક્વિડ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો લિક્વિડિટી છે. લિક્વિડિટી અર્થ એ છે કે સંપત્તિ કેટલી ઝડપથી વેચી અથવા ખરીદી શકાય છે અને રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે.

Mutual Fund : Liquid Fundsમાં રોજે રોજ મળે છે વ્યાજ, જાણો શું છે liquid fund અને ક્યારે રોકાણ કરવુ જોઇએ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 9:50 AM
Share

liquid funds : જો તમારા પાસે નાણાં પડ્યા છે પણ તમે તેનું લાંબા ગાળા માટે રોકાણ કરવા માગતા નથી છતા પણ ઇચ્છો છો કે આ નાણાંમાંથી વ્યાજ મળતુ રહે તો liquid fund તમારા માટે યોગ્ય વિકલ્પ છે. લિક્વિડ ફંડમાં રોકાણકાર (Investor) એક નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત રિટર્ન (Return) માટે રોકાણ (investment) કરે છે. આ ફંડ રોકાણકારોમાં અત્યારે ખૂબ જ જાણીતો છે.

આ પણ વાંચો-Gujarat Govt Scheme : સરકારની સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજનાનો લાભ કેવી રીતે મેળવવો ?

જાણો શું છે liquid fundમાં રોકાણના ફાયદા

લિક્વિડ ફંડ્સ ડેટ ફંડ્સની જ એક કેટેગરી છે. લિક્વિડ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો લિક્વિડિટી છે. લિક્વિડિટી અર્થ એ છે કે સંપત્તિ કેટલી ઝડપથી વેચી અથવા ખરીદી શકાય છે અને રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે. લિક્વિડ ફંડના કેટલાક ફાયદા પણ છે જેમ કે તેમાં રોકાણથી નિશ્ચિત વળતર મળે છે. તેમાં કોઈ એક્ઝિટ ચાર્જ નથી સાથે જ ઓછું જોખમ રહેલુ છે.

જાણો ક્યારે અને કેવા સંજોગોમાં રોકાણ કરવુ જોઇએ

ઉદાહરણ જોઇએ તો જેમ કે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે. જેના માટે ક્રમશ: કોઇને કોઇ ખર્ચ થોડા સમય સુધી આવતો રહેવાનો છે. જો કે ક્યારે કેટલો ખર્ચ કરવાનો રહેશે તે નિશ્ચિત નથી હોતુ. ત્યારે તમે તમારા નાણાં liquid fundમાં રોકી શકો છો. તેનાથી તમને તમારા નાણાં પર દરેક દિવસનું તો વ્યાજ મળે છે. સાથે જ તમને નાણાં જ્યારે જોઇએ તેના બે દિવસ પહેલા withdrawal પ્રોસેસથી તમને મળી શકે છે. સાથે જ આ નાણાંનો કોઇ એક્ઝિટ ચાર્જ પણ નહીં લાગે અને તમારા નાણાં પણ સુરક્ષિત રહે છે.

લિક્વિડ ફંડ્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે. તે ટ્રેઝરી બિલ્સ, સરકારી સિક્યોરિટીઝ અને કૉલ મની જેવા ખૂબ જ ટૂંકા ગાળાના બજાર સાધનોમાં તમારા નાણાંનું રોકાણ કરે છે. આ ફંડ્સ 91 દિવસની પાકતી મુદતવાળા સાધનોમાં રોકાણ કરી શકે છે. લિક્વિડ ફંડનો ઉપયોગ સામાન્ય રીતે રોકાણકારો એક થી ત્રણ મહિનાના સમયગાળા માટે કરે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">