AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips : આ સરકારી યોજનામાં પહેલા કરતા ઓછા સમયમાં પૈસા ડબલ થશે, 1000 રૂપિયાથી સુરક્ષિત રોકાણ કરી શકાય છે

જો તમે ખેડૂત (Farmer)છો અને રોકાણ (Investment) કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે. પોસ્ટ ઓફિસ વિભાગ (Post Office Department) હાલમાં ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra Yojana) યોજના ચલાવી રહ્યું છે જેમાં તેમને રોકાણ પર બમ્પર વળતર મળશે.

Investment Tips : આ સરકારી યોજનામાં પહેલા કરતા ઓછા સમયમાં પૈસા ડબલ થશે, 1000 રૂપિયાથી સુરક્ષિત રોકાણ કરી શકાય છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 7:01 AM
Share

જો તમે ખેડૂત (Farmer)છો અને રોકાણ (Investment) કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે. પોસ્ટ ઓફિસ વિભાગ (Post Office Department) હાલમાં ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra Yojana) યોજના ચલાવી રહ્યું છે જેમાં તેમને રોકાણ પર બમ્પર વળતર મળશે.

ખાસ વાત એ છે કે સરકારે હાલમાં જ આ સ્કીમ પર ઉપલબ્ધ વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે આ સ્કીમ હેઠળ રોકાણ કરવા પર તમને 7.5 ટકા વ્યાજ મળશે. મતલબ કે હવે 120 મહિનાને બદલે 115 મહિનામાં પૈસા બમણા થઈ જશે.

ભારત સરકારે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. આ એક પ્રકારનો એકમ રોકાણ પ્લાન છે. એટલે કે આ સ્કીમમાં તમારે એકવાર પૈસા જમા કરાવવાના રહેશે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે ખેડૂતોના પૈસા એક નિશ્ચિત સમયગાળામાં બમણા થઈ જશે. આવી સ્થિતિમાં રોકાણકારોને ખૂબ સારું વળતર મળે છે. અત્યારે દેશમાં આ યોજનામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે.

ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરી શકાય

આ વર્ષે 1 એપ્રિલે, કેન્દ્ર સરકારે કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર વાર્ષિક 7.2% થી વધારીને 7.5% કર્યો. એટલે કે હવે રોકાણકારોના પૈસા 10 વર્ષ પહેલાજ બમણા થઈ જશે. તે જ સમયે, સરકારે અગાઉ તેની પરિપક્વતાનો સમય 123 મહિનાથી ઘટાડીને 120 મહિના કર્યો હતો. પરંતુ હવે તે વધુ ઘટાડીને 115 મહિના કરવામાં આવી છે. કિસાન વિકાસ પત્ર યોજના દેશની તમામ પોસ્ટ ઓફિસ અને મોટી બેંકોમાં કાર્યરત છે. જો ખેડૂત ભાઈઓ આ યોજનામાં તેમની મૂડી રોકાણ કરવા માંગતા હોય, તો તેઓ પોસ્ટ ઓફિસમાં જઈને અધિકારીઓ સાથે વાત કરી શકે છે. ખેડૂત ભાઈઓ આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકે છે. પરંતુ મહત્તમ રકમ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

આ દસ્તાવેજોની જરૂર પડશે

આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે ખેડૂતના પરિવારનો કોઈપણ સભ્ય પોતાનું ખાતું ખોલાવી શકે છે. બસ આ માટે રોકાણકારની ઉંમર 10 વર્ષથી વધુ હોવી જોઈએ. આ માટે કોઈ વાલીની જરૂર પડશે નહીં. તે જ સમયે, એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. આ માટે સૌથી પહેલા તમારે ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં જવું પડશે. ત્યારબાદ અધિકારી સાથે વાત કર્યા બાદ ખાતુ ખોલાવવા માટે ફોર્મ ભરવાનું રહેશે. ખાતું ખોલતાની સાથે જ તમને કિસાન વિકાસ પત્રનું પ્રમાણપત્ર મળી જશે. પોસ્ટ ઓફિસમાં જતી વખતે કિસન ભાઈએ આધાર કાર્ડ, ઉંમરનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, KVP અરજી ફોર્મ અને મોબાઇલ તમારી સાથે લેવો આવશ્યક છે કારણ કે તેની જરૂર પડી શકે છે.

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">