AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા! ભારત સાથે વેપારી સંબંધો બગડ્યા બાદ ભીખ માંગવાની કગાર પર આવ્યું

પહેલગામ હુમલા પછી ભારતની કાર્યવાહી હજુ પણ પાકિસ્તાનને નુકસાન પહોંચાડી રહી છે! માલવાહક જહાજો પર પ્રતિબંધથી ભારે નુકસાન થઈ રહ્યું છે. નિકાસકારોએ એમ પણ કહ્યું છે કે ભારત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ પછી શિપિંગ અને વીમા ખર્ચમાં પણ વધારો થયો છે. જોકે, તેમણે કહ્યું કે નિકાસ પર એકંદર અસર ઓછી છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજો પર આયાત ડ્યુટી વધારીને 200 ટકા કરી દીધી.

પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા!  ભારત સાથે વેપારી સંબંધો બગડ્યા બાદ ભીખ માંગવાની કગાર પર આવ્યું
Trade Restrictions
| Updated on: Jun 29, 2025 | 5:07 PM
Share

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને માત્ર નુકસાન પહોંચાડ્યું જ નહીં, પરંતુ અનેક પ્રકારના પ્રતિબંધો લાદીને પાકિસ્તાનને ઘૂંટણિયે પણ મૂકી દીધું. ભારતે પાકિસ્તાની માલ વહન કરતા જહાજો તેમજ પાકિસ્તાનથી આવતા માલના બંદરો પર પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે તેનો શિપિંગ ખર્ચ વધ્યો છે અને માલવાહક પરિવહનમાં પણ વિલંબ થઈ રહ્યો છે.

માલભાડાના ચાર્જમાં વધારો થયો

પાકિસ્તાની આયાતકારોએ જણાવ્યું હતું કે ભારતીય પ્રતિબંધને કારણે શિપિંગનો સમય વધ્યો છે અને માલભાડાના ચાર્જમાં વધારો થયો છે, એમ ડોન અખબારના રવિવારે અહેવાલમાં જણાવાયું છે. “ભારતીય કાર્યવાહીને કારણે મુખ્ય જહાજો પાકિસ્તાન આવી રહ્યા નથી. જેના કારણે અમારી આયાતમાં 30 થી 50 દિવસનો વિલંબ થઈ રહ્યો છે,” કરાચી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જાવેદ બિલવાનીએ જણાવ્યું હતું.

વીમા ખર્ચમાં પણ વધારો

તેમણે કહ્યું કે, આયાતકારો હવે ફીડર જહાજો પર આધાર રાખી રહ્યા છે, જેના કારણે ખર્ચમાં વધારો થાય છે. ભારતીય પ્રતિબંધ બાદ નિકાસકારોએ શિપિંગ અને વીમા ખર્ચમાં પણ વધારો નોંધાવ્યો હતો. જોકે તેમણે કહ્યું કે નિકાસ પર એકંદર અસર ન્યૂનતમ હતી. “વીમા ખર્ચમાં વધારા સિવાય નિકાસ પર કોઈ નોંધપાત્ર અસર થઈ નથી. શિપિંગ ખર્ચ પહેલાથી જ વધી ગયો હતો,” કાપડના મેક-અપ્સના નિકાસકાર આમિર અઝીઝે જણાવ્યું હતું.

ભારતે આયાત ડ્યુટીમાં 200 ટકાનો વધારો કર્યો

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વેપાર સંબંધો બગડ્યા. જેના પગલે ભારતે પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી વધારીને 200 ટકા કરી. પાકિસ્તાન અને ભારત વચ્ચે ઔપચારિક વેપાર સંબંધો 2019 થી સ્થિર રહ્યા છે અને દ્વિપક્ષીય વેપાર 2018 માં US$2.41 બિલિયનથી ઘટીને US$2024 માં US$1.2 બિલિયન થયો છે. પાકિસ્તાનની ભારતમાં નિકાસ 2019 માં US$547.5 મિલિયનથી ઘટીને 2024 માં માત્ર US$4,80,000 થઈ ગઈ છે.

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
g clip-path="url(#clip0_868_265)">