જો વોડાફોન-આઈડિયા બંધ થશે તો 28 કરોડ ગ્રાહકો અને 8 મોટી બેંકોને થશે અસર, જાણો સમગ્ર મામલો

હકીકતમાં, કંપનીનું દેવું વધી રહ્યું છે, તેમજ નવા રોકાણના ના થવાને કારણે સમસ્યાઓ વધી છે. જેના કારણે વોડાફોન-આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કંપનીમાં પોતાનો હિસ્સો સરકારને વેચવાની ઓફર કરી હતી.

જો વોડાફોન-આઈડિયા બંધ થશે તો 28 કરોડ ગ્રાહકો અને 8 મોટી બેંકોને થશે અસર, જાણો સમગ્ર મામલો
Big news came about Vodafone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 5:21 PM

ભારતનું ટેલિકોમ ક્ષેત્ર આ દિવસોમાં ચર્ચામાં છે. ખાસ કરીને વોડાફોન-આઈડિયા (Vodafone Idea ) વિશે. હકીકતમાં, કંપનીની વધતી જતી ખોટ અને નવા રોકાણો બંધ થવાને કારણે કંપનીની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તમામ પ્રયાસો છતાં કંપનીની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. આવી સ્થિતિમાં, જો કંપની બંધ થાય, તો તેની અસર કંપનીના દેશવ્યાપી 28 કરોડ ગ્રાહકો પર પડશે, તેમજ તેની સીધી અસર દેશની 8 મોટી બેંકો ઉપર સીધી કે આડકતરી રીતે જોવા મળશે.

વોડાફોન આઈડિયાની (Vodafone Idea ) મુશ્કેલીઓમાં વધારો થતાં SBI સહિત દેશની 8 મોટી બેંકોને પણ અસર થશે. ખરેખર, કંપની પર 1.80 લાખ કરોડનું દેવું છે, જે તેણે અલગ અલગ રીતે લોન સ્વરૂપે લીધું છે. જો વોડાફોન આઈડિયા બંધ થઈ જાય, તો આ બેંકોની મોટી રકમ પણ ડિફોલ્ટ થઈ શકે છે.

બેંક રકમ ( કરોડમાં) ટકાવારી ( કુલ લોનની)
આઈડીએફસી બેંક 3240 2.9
યસ બેંક 4000 2.4
પંજાબ નેશનલ બેંક 3000 0.44
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 11000 0.43
આઈસીઆઈસીઆઈ 1700 0.23
એક્સિસ બેંક 1300 0.21
એચડીએફસી 1000 0.09
ઈન્ડસઈન્ડ બેંક 3500 1.65

28 કરોડ ગ્રાહકોને પણ અસર થઈ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જો વોડાફોન આઈડિયા (Vodafone Idea ) બંધ થઈ જાય તો તેની અસર દેશના મોબાઈલ વપરાશકર્તા મોટાભાગના ગ્રાહક પર પણ જોવા મળશે. વોડાફોન આઈડિયા પાસે દેશવ્યાપી વિશાળ ગ્રાહકવર્ગ છે જે લગભગ 28 કરોડનો હોવાનું કહેવાય છે. જો વોડાફોન આઈડિયા કંપની બંધ થાય, તો આ ગ્રાહકોની મોબાઈલ ફોન પણ બંધ થાય તે સ્વાભાવિક છે. જોકે, Jio, Airtel જેવી અન્ય કંપનીઓ ચોક્કસપણે આનો લાભ મેળવી શકે છે. કારણ કે તેઓ આ વિશાળ ગ્રાહકવર્ગને પોતાના તરફ આકર્ષવા માંગશે.

કેમ કંપની બંધ થવાની વાત છે

હકીકતમાં, કંપનીનું દેવું વધી રહ્યું છે, તેમજ નવા રોકાણ ના થવાને કારણે સમસ્યાઓ વધી છે. જેના કારણે વોડાફોન-આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કંપનીમાં પોતાનો હિસ્સો સરકારને વેચવાની ઓફર કરી હતી. પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ ન મળતા તેમણે રાજીનામું આપ્યું હતું. બિરલાના રાજીનામા બાદ એક વાત વેગ પકડી રહ્યું છે કે શું કંપની હવે બંધ થવા જઈ રહી છે. જોકે, વોડાફોન ઇન્ડિયાના સીઇઓએ તેમના કર્મચારીઓને ખાતરી આપી છે કે ગભરાવાની જરૂર નથી. મામલો હજુ પણ તમામ પ્રકારના નિયંત્રણમાં છે. પરંતુ જે આંકડાઓ છે તે કઈક જૂદુ જ દર્શાવી રહ્યાં છે.

મર્જરથી સમસ્યા હલ થઈ નથી

વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે. નાણાંકીય ભંડોળ એકત્ર કરવાના તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. બિરલાએ તાજેતરમાં દેવામાં ડૂબી ગયેલી કંપનીને બહાર કાઢવા માટે તાત્કાલિક સરકારી પેકેજની માંગ કરી હતી. 31 ઓગસ્ટ, 2018 ના રોજ વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરનું મર્જર થયું હતુ. ત્યારથી આ કંપની સતત ખોટમાં ચાલી રહી છે, તેના પર 1.80 લાખ કરોડનું દેવું છે. વોડાફોનને આઈડિયા સાથે એટલા માટે જોડી દેવાઈ હતી કે, આમ કરવાથી કંપની પરની મુશ્કેલીઓ ઓછી થઈ શકે પરંતુ મુશ્કેલીઓ ઘટવાને બદલે વધતી જ રહી છે.

આ પણ વાંચોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકીની ઐતિહાસિક જીત બાદ MS Dhoni છવાયો, કારણ છે 7 વર્ષ જૂનું

આ પણ વાંચોઃ મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું, અચાનક આવું થતા કરોડો ચાહકોમાં નિરાશા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">